SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગના બાદર દલીકોનો પણ નાશ કરે છે જ્યારે ઉપશમ શ્રેણીવાળા જીવો ચારિત્ર મોહનીય કર્મની ૨૦ પ્રકૃતિઓનો ઉપશમ કરે છે. આ એનું કાર્ય ગણાય છે. પ્ર. ૧૩૯. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક કોને કહેવાય? ઉ. : જે સંજ્વલન લોભકષાય સૂક્ષ્મરૂપે થયેલો હોય છે તે ઉદયમાં હોય છે તેને ક્ષપક શ્રેણીવાળા જીવો કીટ્ટીવેદનરૂપ કરી કરીને સર્વથા નાશ કરે છે એ સૂક્ષ્મ કષાયનો ઉદય હોવાથી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. ઉપશમ શ્રેણીવાળા જીવો એનો ઉપશમ કરવા પુરૂષાર્થ કરે છે. પ્ર. ૧૪૦/૧. ઉપશાંત મોહ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ. ઉપશાંત મોહ ગુણસ્થાનક કોને કહેવાય ? ( ઉ.: જે જીવોએ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરેલી હોય તે જીવો મોહનીય કર્મની સઘળી પ્રવૃતિઓનો ઉપશમ કરી આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એટલે કે આ ગુણસ્થાનકમાં વિદ્યમાન જીવને મોહનીય કર્મ સર્વથા ઉપશમરૂપે હોય છે આ ગુણસ્થાકમાં વિદ્યમાન જીવ વીતરાગતાનો અનુભવ પણ કરે છે. પ્ર. ૧૪૦/૨. ઉપહાંતમોહ ગુણસ્થાપકનો કાળ કેટલો ? ઉ. : ઉપશાંત મોહ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂતનો હોય છે. પ્ર. ૧૪૧. આ ગુણસ્થાનકમાં કાળ કરે તો ક્યાં જાય ? ઉ. : આ ગુણસ્થાનકમાં જો જીવ કાળ કરે અને પહેલા સંઘયણવાળો હોય તો નિયમ અનુત્તરમાં જાય છે અને બીજા ત્રીજા સંઘયણવાળા જીવો હોય તો તે અનુત્તર સિવાય વૈમાનિકમાં જાય છે. પ્ર. ૧૪૨. આ ગુણસ્થાનકમાં કાળ ન કરે તો જીવો ક્યાં જાય ? ઉ. : આ ગુણસ્થાનકમાં જીવો કાળ ન કરે તો જે ક્રમે ઉપર ચઢયો હતો તે ક્રમે નીચે ઉતરી છઠ્ઠા ગુણસ્થાનકમાં અટકે અથવા ચોથે અટકે અથવા પહેલા ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૪૩. ક્ષીણમોહ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : દશમાં ગુણસ્થાનકમાં એટલે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરી જીવો આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે એટલે ક્ષાયિક ચારિત્ર જીવોને પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકને વિષે ઉદયમાં અને સત્તામાં રહેલી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય તથા અંતરાય કર્મોની પ્રકૃતિઓનો ક્ષય કરે છે. પ્ર. ૧૪૪. સયોગી કેટલી ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : જે જીવોએ આત્મામાં રહેલા ચારેય ઘાતી કર્મોનો સર્વથા એટલે બંધઉદય-સત્તામાંથી નાશ કરેલો છે તે જીવો કેવલજ્ઞાન કેવલદર્શન પામે છે આ ગુણસ્થાનકે ક્ષાયિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ મન-વચન અને કાયાના યોગનો વ્યાપાર ચાલુ હોવાથી ૧૦૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy