SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલ હોય તે જ્ઞાનનાં ઉપયોગમાં તેની શ્રદ્ધામાં તથા તેના અમલરૂપ ચારિત્રના પરિણામમાં એકાકાર ઉપયોગવાળા હોય તે અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય પ્ર. ૧૩૩. આ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ. : આ ગુણસ્થાનકનો કાળ એક અંતમુહૂતનો હોય છે. પ્ર. ૧૩૪. અપૂર્વકરણ ગુણસ્થાનક અને નિવૃત્તિ ગુણસ્થાનક કોને કહેવાય? ઉ. : પહેલા ઉત્પન્ન નહિ થયેલો એવો જે અધ્યવસાય પ્રાપ્ત થયો તે અપૂર્વકરણ કહેવાય છે. અને ક્રમસર અત્રે અધ્યવસાયોની અનંતગુણ વિશુદ્ધિ રહે છે તેના પ્રતાપે જીવ (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) ગુણ શ્રેણી (૪) ગુણ સંક્રમ તથા (૫) અપૂર્વ સ્થિતિબંધ પ્રાપ્ત કરે છે. અને કર્મોની સ્થિતિનો ઘણો ઘાત કરે છે તથા આ ગુણસ્થાનકના દરેક સમયના અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે તેથી એકી સાથે પણ આ ગુણસ્થાનકને પામેલા જીવોના અધ્યવસાયની નિવૃત્તિ અર્થાત્ જુદાપણ હોય છે. તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૩પ. આ ગુણસ્થાનકમાં રહેલા જીવો શું કાર્ય કરે છે ? ઉ.: આ ગુણસ્થાનકમાં રહેલા જીવો ઉપશમ શ્રેણી કરવાવાળા હોય તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને ઉપશમાવવા માટેની ગોઠવણરૂપ તૈયારી કરે છે. તથા ક્ષપક શ્રેણી કરવાવાળા જીવો હોય તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને ક્ષય કરવા માટેની ગોઠવણરૂપ તૈયારી કરે છે. પ્ર. ૧૩૬. અનિવૃત્તિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ.: આ ગુણસ્થાનકમાં અપૂર્વકરણ ગુણસ્થાનકની જેમ અપૂર્વસ્થિતિઘાતાદિ પાંચેય હોય છે. તથા આ ગુણસ્થાનકમાં સમયે સમયે વિશુદ્ધિ અનંતગુણી હોય છે. આ ગુણસ્થાનકના દરેક સમયનાં જે અધ્યવસાય સ્થાનો છે તે સ્થાનોને વિષે ભૂતકાળમાં જે જીવો પામેલા વર્તમાનમાં જે એ અધ્યવસાયને પામે છે અને ભવિષ્યમાં જે એ અધ્યવસાયને પામશે તે સઘળાંના અધ્યવસાયો એક સરખા હોય છે તે કારણથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૩૭. આ ગુણસ્થાનકને બાદરjપરાય ગુણસ્થાનક કેમ કહેવાય છે ? ઉ. : આ ગુણસ્થાનકમાં વિદ્યમાન જીવોને જે કષાયોનો ઉદય હોય છે તે આગળના ૧૦માં ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર કષાય હોય છે તેથી બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૩૮. આ ગુણસ્થાનકમાં શું કાર્ય હોય છે ? ઉ. : આ ગુણસ્થાનકમાં વિદ્યમાન ક્ષેપક શ્રેણીવાળા જીવો ચારિત્ર મોહનીય કર્મની ૨૦ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કરે છે તથા ૨૧ મી સંજ્વલન લોભનાં મોટા, ૧૦૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy