SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦૫, આ ત્રણ વિભાગ કરવામાં કોઈ મતાંતર છે ? ઉ. : કાર્મગ્રંથિક મતને માનનારા આચાર્યોના મતે આ ત્રણ વિભાગ ઉપશમ સમકીતના પહેલા સમયથી શરૂ થાય છે જ્યારે પંચ સંગ્રહકારને માનનારા આચાર્યોના મતે અનિવૃત્તિકરણનાં છેલ્લા સમયથી શરૂ થાય છે. પ્ર. ૧૦૬. ઉપશમ સમકીતનો કાળ કેટલો હોય છે ? ઉ. : ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂતનો હોય છે. પ્ર. ૧૦૭. ઉપશમ સમકીત કયા જીવો પ્રાપ્ત કરી શકે ? ઉ. : સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા, શુભ લેશ્યાવાળા, ચારે ગતિનાં જીવો સાકાર ઉપયોગમાં વર્તમાન જાગર દશામાં રહેલા હોય ત્યારે તે પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૦૮. દરેક જીવો સૌ પ્રથમ ઉપશત. સમકીત પામે કે તેમાં કોઈ મતાંતર છે ? ઉ. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ઉપશમ સમકીત જ પામે એમ કાર્મગ્રંથીક મતના આચાર્યો માને છે જ્યારે સિદ્ધાંતના મતે મોટે ભાગે ઉપશમ સમકીત પ્રાપ્ત ન કરે એમ માને છે. પ્ર. ૧૦૯. સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ સૌ પ્રથમ કયા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ? ઉ. : સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામે. કોઈ જીવો ક્ષયોપશમ સમ્યક્ત્વ ન પામે તો તે ઉપશમ સમ્યક્ત્વ પામે પણ તે જીવો સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દલીકોના ત્રણ વિભાગરૂપ ત્રણ પુંજોને કરતા નથી જેવા ચઢયા તેવા તરત જ એક અંતર્મુહૂતમાં પડે છે. પ્ર. ૧૧૦. સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકીત પામે તે પ્રાપ્તિનો ક્રમ શું છે ? ઉં. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ગ્રંથીદેશે આવ્યા પછી શુક્ર યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત કરે ત્યારબાદ અપૂર્વકરણ નામનાં અધ્યવસાયને પ્રાપ્ત કરે તે અધ્યવસાયથી ગ્રંથીભેદ થયા બાદ અપૂર્વકરણના કાળમાં સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દલીકનાં ત્રણ પુંજરૂપે ત્રણ ભાગ કરે છે. : (૧) અશુદ્ઘ પુંજ જે મિથ્યાત્વ મોહનીય રૂપ (૨) અર્ધશુદ્ધ પુંજ જે મિશ્ર મોહનીય રૂપ અને (૩) શુદ્ઘ પુંજ જે સમ્યક્ત્વ મોહનીય રૂપ કહેવાય છે. ત્યાર બાદ અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ કરીને જીવ અવશ્ય શુદ્ઘ પુંજને ઉદયમાં લાવે એટલે ક્ષયોપશમ સમકીતને પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે “સિન્ધાન્તસ્ય મતે પુનઃ અપૂર્વક૨ણેનૈવ મિથ્યાત્વે કુરૂતે ત્રિધા ॥ દ્રવ્યોલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક - ૬૪૯ || પ્ર. ૧૧૧. સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઉપશમ સમકીત પ્રાપ્ત કરે કે નહિ ? Jain Education International ૧૦૦ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy