SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમુહૂત પ્રમાણ સ્થિતિના દલિકોને ત્યાંથી દૂર કરે છે. તેમાં જે દલિકોની સ્થિતિ ઘટી શકે તેની સ્થિતિને ઘટાડીને અંતકરણની નીચેની પ્રથમ સ્થિતિમાં નાખે છે અને જે દલિકોની સ્થિતિ ઘટી ન શકે તેને વધારીને અંતકરણની પછીની બીજી સ્થિતિમાં નાંખે છે. આ પ્રમાણે અંતકરણ કરતા એક અંતર્મુહૂત થાય છે. જીવ જ્યારે પ્રથમ સ્થિતિને ભોગવીને અંતકરણના પ્રથમ સમયને પામે છે ત્યારે તે ઉપશમ સમકત પામ્યો તેમ કહેવાય છે. આમાં મિથ્યાત્વને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો વિપાકોદય કે પ્રદેશોદય હોતો નથી. પ્ર. ૧૦૧. આ ઉપશમ સમીકીત ભવક્રમાં જીવો કેટલી વાર પ્રાપ્ત કરે છે ? ઉ. : આ ઉપશમ સમકત જીવો વધારેમાં વધારે પાંચ વાર પ્રાપ્ત કરી શકે. મતાંતરે પાંચમા કર્મગ્રંથના આધારે અનેકવાર પ્રાપ્ત કરી શકે. પ્ર. ૧૦૨. આ ઉપશમ સમકતમાં કેટલી પ્રકૃતિનો સર્વથા ઉપશમ હોય છે ? ઉ.: આ ઉપશમ સમકતના કાળમાં અનંતાનુબંધી ચાર કષાયો તથા મિથ્યાત્વ મોહનીય એ પાંચેય પ્રકૃતિનો સર્વથા ઉપશમ હોય છે. ધસંગ્રહમાં ગાથા ૨રની ટીકામાં જણાવ્યું છે કે મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લોભ એ કર્મોનો ઉપશમ એટલે ઉપશમ સમકત કહેવાય છે, પ્ર. ૧૦૩. આ ઉપશમ સમકિતના કાળમાં જીવ શું પ્રયત્ન કરે છે ? ઉ. : આ ઉપશમ સમકતના કાળમાં જીવો સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દલીકોનાં ત્રણ વિભાગ (કરે છે.) કરવાનો પ્રયત્ન કરે છે. પ્ર. ૧૦૪/૧. એ ત્રણ વિભાગોનાં શું નામો હોય છે ? ઉ. : (૧) અશુદ્ધ દલીયાં એટલે એવા ને એવા રૂપે જે રહે તેને મિથ્યાત્વ મોહનીયjજ કહેવાય છે. (૨) અર્ધશુદ્ધ દલીકો કરે છે તેને મિશ્ર મોહનીયપુંજ કહેવાય છે અને (૩) શુદ્ધ દલીકો એટલે સમયકુત્વનો ઘાત ન કરી શકે એવા દલીકો બનાવે છે તેને સમ્યકત્વ મોહનીયjજ કહેવાય છે. પ્ર. ૧૦૪/૨. એ ત્રણ વિભાગોનું શું કાર્ય હોય છે ? • ઉ.: મિથ્યાત્વ મોહનીયjજના દલીકોનું કાર્ય જીવને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ તથા હેયમાં હેય બુદ્ધિ થવા ન દે. મિશ્ર મોહનીયjજના દલીકોનું કાર્ય જીન પ્રણીત પદાર્થો પ્રત્યે રાગ તેમજ દ્વેષભાવ પણ પેદા થવા ન દે. સમ્યકત્વ મોહનીયjજના દલીકોનું કાર્ય ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ તથા હેયમાં હેય બુદ્ધિ રૂપ શ્રદ્ધા પેદા કરાવે છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy