SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પામવા રૂપ છ પ્રકારની અવિરતિ તથા પાંચ ઈન્દ્રિય અને મનના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ થવા રૂપ છ પ્રકારની અવિરતિ છે. આમ બાર પ્રકારની અવિરતિ છે. આ બારે ય પ્રકારની અવિરતિ આ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. પ્ર. ૯૮. અવિરત સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ.: અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકનો જઘન્યથી કાળ એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટકાળ સાધિક ૩૩ સાગરોપમ હોય છે. પ્ર. ૯૯. અવિરતિ ગુણસ્થાનકમાં કેટલા પ્રકારનાં સમ્યકત્વ હોય છે? કયા ? કયા ? ઉ. : ત્રણ. (૧) ઉપશમ સમ્યકત્વ (૨) ક્ષયોપશ્મ સમ્યકત્વ (૩) ક્ષાયિક સમયકત્વ. પ્ર. ૧૦૦. ઉપશમ સમીકીત કોને કહેવાય ? તેની પ્રાપ્તિનો ક્રમ શું છે ? ઉ.: મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ આ પાંચ પ્રકૃતિના સર્વથા ઉપશમ દ્વારા જીવને સર્વજ્ઞ ભગવંત પ્રણીત તત્ત્વો ઉપર યથાસ્થિત શ્રદ્ધા થાય છે. આ શ્રદ્ધા સ્વરૂપ જે પરિણામ છે તે ઉપશમ સમીકીત કહેવાય છે. તેની પ્રાપ્તિનો ક્રમ નીચે મુજબ છે. : અનાદિ કાળથી ભટકતો જીવ કર્મને વશ રહેલો હોય છે. તેમાં ય મુખ્ય મોહનીય કર્મ છે. મોહનીયમાં મુખ્ય મિથ્યાત્વ મોહનીય છે. નદી ઘોલ પાષાણ ન્યાયે અનાદિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ મિથ્યાત્વ મોહનીય આદિ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટાડીને અંતઃકોટાકોટિ પ્રમાણ કરે છે. ત્યારે તે ગ્રંથીદેશે આવ્યો કહેવાય છે. ગ્રંથીદેશ પ્રાપ્ત કર્યા બાદ કોઈક જીવ વિશેષ સ્વાભાવિક અને કોઈક જીવ વિશેષ ધર્મશ્રવણના પ્રતાપે ગ્રંથીને એના વાસ્તવિક સ્વરૂપમાં ઓળખે છે, જેના પ્રતાપે તેને ગ્રંથીને ભેદવાનું મન થાય છે. ત્યારબાદ અપૂર્વ વીર્ષોલ્લાસને કારણે ગ્રંથભેદ માટે તીક્ષ્ણ કુઠારની ધાર સમાન તીવ્ર અધ્યવસાય પેદા થાય છે કે જે કોઈ વખત પ્રાપ્ત નહિ થયેલ એવો જોરદાર પરિણામ પેદા થાય છે જેને અપૂર્વકરણ કહેવાય છે. તેના દ્વારા સંસારના સુખ પ્રત્યેનો જે તીવ્ર રાગ તથા દુઃખ પ્રત્યેનો તીવ્ર દ્વેષ તે રાગ દ્વેષ રૂપી ગ્રંથી ભેદાય છે. આ અપૂર્વકરણમાં જીવ પોતાના અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયના બળે (૧) અપૂર્વ સ્થિતિ બંધ (૨) અપૂર્વ સ્થિતિઘાત (૩) અપૂર્વ રસઘાત તથા (૪) ગુણશ્રેણી-આ ચાર અપૂર્વ પદાર્થ કરે છે. ત્યારબાદ જીવ અનિવૃત્તિકરણ નામના પરિણામને પામે છે. અનિવૃત્તિકરણ એટલે સમ્યક્ત્વને પમાડયા વિના ન અટકે તેવો પરિણામ. તેમાં પણ અપૂર્વકરણમાં જણાવ્યા મુજબ સ્થિતિઘાતાદિ થાય છે. આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જીવ મિથ્યાત્વનું અંતકરણ કરે છે એટલે કે ઉદય સમયથી એક અંતમુહૂત પ્રમાણ સ્થિતિને છોડીને પછીના એક - ૯૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy