SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જે કાળ તેને જ શાસ્ત્ર પરિભાષાથી બીજું સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે જેમ ખીર ખાધેલ મનુષ્યને વમન થાય તો તેનો સ્વાદ સામાન્ય અનુભવાય છે. તેમ મિથ્યાત્વ મોહનીયના ઉદય વિનાનો અનંતાનુબંધીનો ઉદય ઉપશમ સમકતના કાળમાં હોય છે. તેથી આસ્વાદ સામાન્ય રહે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટ ૬ આવલિકા જેટલો હોય છે. પ્ર. ૯૪. મિશ્ર ગુણસ્થાનક કોને કહેવાય ? ક્યારે આવે ? ઉ.: મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જીવોને જીનપ્રણીત ધર્મ ઉપર રૂચિ કે અરૂચિ થતી નથી. આવા જીવોના ગુણસ્થાનકને મિશ્ર ગુણસ્થાનક કહેવાય છે. ઉપશમ સમકતી અથવા ક્ષયોપશમ સમકતી અથવા મિથ્યાદ્રષ્ટિ જીવોને મિશ્ર મોહનીયનો ઉદય થતો નથી. પ્ર. ૯૫/૧.મિશ્ર ગુણસ્થાનકનો કાળ કેટલો હોય? અને ત્યાંથી જીવો શું પ્રાપ્ત કરી શકે ? ( ઉં.: મિશ્ર ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂતનો હોય છે. આ ગુણસ્થાનકથી જીવો ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે અથવા પહેલા ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૯૫/૨. મિશ્ર ગુણસ્થાનકની વિશેષતા શું છે ? ઉ.: મિશ્ર ગુણસ્થાનકમાં રહેલા જીવો આયુષ્યનો બંધ કરતાં નથી તેમજ મરણ પામતાં નથી એ વિશેષતા છે. પ્ર. ૯૬/૧. અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષાયિક સમકિતી જીવો વિરતિની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી જરા પણ વિરતિ પામી ન શકે તેવા જીવોના ગુણસ્થાનકને અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકથી પતન થાય ત્યારે તે જીવો મિશ્ર ગુણસ્થાનકને પામે છે. પ્ર. ૯૬/૨. અવિરત સમ્યગ્રદ્રષ્ટિ ગુણસ્થાનકની વિશેષતા શું છે ? ઉ.: સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને આ અવિરત ગુણસ્થાનકે જીનપ્રણીત જીવાદિ તત્વો પ્રત્યે અવિહડ શ્રદ્ધા પેદા થાય છે એટલે કે ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ તથા હેયમાં હેયપણાની બુદ્ધિ પેદા થાય છે. ઉપાદેય = ગ્રહણ કરવા યોગ્ય, હેય = ત્યાગ કરવા યોગ્ય. પ્ર. ૯૭. અવિરતિ કેટલા પ્રકારની હોય છે? કઈ કઈ? ઉ.: અવિરતિ બાર પ્રકારની છે. (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય-આ ષકાયની હિંસાથી વિરામ ન ૭ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy