SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જે અધ્યવસાય તેને અપૂર્વકરણ અધ્યવસાય કહેવાય છે. તે પ્રાપ્ત થયા બાદ તેના દ્વારા જે ગાઢ રાગદ્વેષની પરિણતીરૂપ ગ્રંથી છે તે ગ્રંથીનો ભેદ થઈ જાય છે. અર્થાત્ ભેદાઈ જાય છે. માટે આ અધ્યવસાયને તીક્ષ્ણ કુઠારની ઉપમા આપેલી છે. પ્ર. ૮૮, આ અધ્યવસાયમાં જીવો બીજું શું કરે છે ? ઉ. : આ અધ્યવસાયમાં વિદ્યમાન જીવો નવા અપૂર્વ ચાર પદાર્થોની પ્રાપ્તિ (શરૂઆત) કરે છે. (૧) અપૂર્વ સ્થિતિબંધ (૨) અપૂર્વ સ્થિતિઘાત (૩) અપૂર્વ રસઘાત તથા (૪) ગુણ શ્રેણી. પ્ર. ૮૯. આ અપૂર્વકરણનો કાળ કેટલો હોય છે ? ઉ. : આ અપૂર્વકરણનો કાળ એક અંતર્મુહૂતનો હોય છે. ૯૦. અપૂર્વકરણ અધ્યવસાય પછી જીવો કયા અધ્યવસાયને પ્રાપ્ત કરે છે ? ઉ. : અપૂર્વકરણ નામના અધ્યવસાય પછી જીવો અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે. જે સમકીત અપાવીને જ રહે છે. પ્ર. ૯૧. આ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયનું કાર્ય શું હોય છે ? અને તે કેટલા કાળનો હોય છે ? ઉ. : આ અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય એક અંતમુહૂત સુધી રહે છે. તેમાં જીવો સમ્યક્ત્વ પામવા માટે સત્તામાં રહેલા મિથ્યાત્વની બે સ્થિતિ કરે છે. એક અંતમુહૂતની જે અનિવૃત્તિકરણ કાળ પછીની અને બીજી મોટી. તેમાં અંતમુહૂતની સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલીકને અનિવૃત્તિકરણમાં લાવી લાવીને ક્ષય કરે છે અને જે દલિક આવે એવા ન હોય તેને મોટી સ્થિતિમાં નાંખે છે. આ રીતે કરતાં કરતાં એ સ્થિતિને મિથ્યાત્વના દલિક વિનાની કરે છે. આ કાર્ય અનિવૃત્તિકરણ કાળમાં રહેલો આત્મા કરે છે. આ અનિવૃત્તિકરણ કાળમાં રહેલો આત્મા કરે છે. આ અનિવૃત્તિકરણ કાળના છેલ્લા સમય સુધી મિથ્યાત્વનો ઉદય હોય છે. પ્ર. ૯૨. ગુણ સંપન્ન મિથ્યાત્વ કઈ ગતિઓમાં પ્રાપ્ત થઈ શકે છે ? ઉ. : આ ગુણ સંપન્ન (ગુણયુક્ત) મિથ્યાત્વ ગુણસ્થાનક ચારેય ગતિમાં નરકગતિ, (સાતેય નરકમાં) તિર્યંચગતિ, મનુષ્યગતિ તથા દેવગતિમાં સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૯૩. સાસ્વાદન ગુણસ્થાનક કોને કહેવાય ? તેનો કાળ કેટલો હોય છે. ઉ.: જે જીવોને ઉપશમ સમકિત પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થવાનો હોય તે પૈકીના કેટલાક જીવોને ઉપશમ સમકતનો જઘન્યથી એક સમયનો કાળ તથા ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે જીવને અનંતાનુબંધી કષાયનો અવશ્ય ઉદય થાય છે. એ અનંતાનુબંધી કષાયના ઉદયવાળો ૯૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy