SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.: સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો માટે ભાગે ક્ષયોપશમ સમકત પામે છે તથા કેટલાક જીવો ઉપશમ સમકીત પણ પ્રાપ્ત કરે છે. . પ્ર. ૧૧૨. સિદ્ધાંતના મતે ઉપશમ સમકિત પામનારો જીવ કેવી રીતે પામે છે ? ( ઉં. : કાર્મગ્રંથીક મતના અભિપ્રાયે જે પ્રમાણે જીવો શુદ્ધ યથાપ્રવત્તકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરે છે તે મુજબ કરી ઉપશમ સમકિત પામે છે. પ્ર. ૧૧૩. કાર્મગ્રંથીક તથા સિદ્ધાંતિક મતે ઉપશમ સમકત પામે તે ઉપશમ સમકીતમાં શું ફેરફાર હોય ? ઉ.: કાર્મગ્રંથીક તથા સિદ્ધાંતિક મતે ઉપશમ સમકિત પામે તેમાં કોઈ ફેરફાર હોતો નથી. પણ એ વિશેષતા હોય છે કે કાર્મગ્રંથીક મતે ઉપશમ સમકિત પામે તે સમયથી સત્તામાં રહેલા મિથ્યાત્વનાં ત્રણ પુંજ કરવાની શરૂઆત કરે છે જ્યારે સિદ્ધાંતિક મતે જે જીવો ઉપશમ સમકિત પામે છે તેઓ ત્રણ પંજ કરતા જ નથી માટે ઉપશમ સમીકીતનો કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય અને મિથ્યાદ્રષ્ટિ બને છે. બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે આલંબણમલહંતી જહ સટ્ટાણે ન મંચ એ ઇલિયા | એવં અક્યતિપુંજો મિચ્છે ચિય ઉવસમી એતિ || ૧૨૦ || પ્ર. ૧૧૪. કાર્મગ્રંથીક મતે જીવો ક્ષયોપશમ સમીકીત ક્યારે પ્રાપ્ત કરે છે ? ઉ. : કાર્મગ્રંથીક મતે ઉપશમ સમકતના કાળ પછી જે જીવોને સમ્યક્ત્વ મોહનીય પુંજનો ઉદય થાય તે જીવો ક્ષયોપશમ સમકીત પ્રાપ્ત કરે છે. પ્ર. ૧૧૫. ક્ષયોપશમ સમકીત એટલે શું ? ઉ. શુદ્ધ પંજરૂપ થયેલા મિથ્યાત્વનાં જે દલીકો છે જેને સમ્યકૃત્વ મોહનીય કહેવાય છે તેનો ઉદયાવલિકામાં લાવી લાવીને વિપાકથી અનુભવ કરતાં ક્ષય કરવો તે ક્ષય તથા અનંતાનુબંધી ચાર કષાય મિશ્ર-મોહનીય અને મિથ્યાત્વ મોહનીય દલીકોને (સત્તામાં રાખવા) પોતાના રૂપે ઉદયમાં ન આવવા દેવા તે ઉપશમ આ રીતે ક્ષયોપશમાં કહેવાય છે. પ્ર. ૧૧૬. ઉપશમ સમીકીત તથા ક્ષયોપશમ સમકાત લઈને જીવો કઈ કઈ ગતિમાં જઈ શકે ? ઉ. ઉપશમ સમકત લઈને જીવો મરણ પામતા નથી તેથી કોઈ ગતિમાં લઈને જતાં નથી. ક્ષયોપશમ સમીકીત લઈને સિદ્ધાંતિક મતે ચારેય ગતિમાં જીવો જઈ શકે છે નરકમાં છઠ્ઠી નરક સુધી જઈ શકે છે. જ્યારે કાર્મગ્રંથીક મતના અભિપ્રાય આ સમકત લઈને વૈમાનિક સિવાય બીજી ગતિમાં જાય જ નહિ. આટલો તફાવત જાણવો. ૧0૧ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy