SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ करणापायत्वं ज्ञानस्य प्रामाण्य पर्यवस्यति, अन्यथाऽननुगमात् । तत्र च विशेषणविशेष्यभावे विनिगमनाविरहः। 'ज्ञान' प्रमाणम्' इति वचन विनिगमकमिति चेत् १ तदपि समर्थप्रवृत्त्यौ. पयिकेम रूपेण विनिगमयेत्, न तु विशिष्टापायात्वेनानीदृशेन । सम्यक्त्वानुगतत्वेन ज्ञानस्य ज्ञानत्वम् , अन्यथा त्वज्ञानत्वमिति व्यवस्था तु नापायमात्रप्रामाण्यसाक्षिणी, सम्यग्दृष्टिसम्बन्धिनां संशयादीनामपि ज्ञानत्वस्य महाभाष्यकृता परिभाषितत्वाद् । અવલંબી ન હોય કિન્તુ ગૌણ મુખ્યપણે ઉભયાવલંબી હોય તે જ્ઞાન પ્રમાણ છે. (૩) તાર્કિક ન્યાયમતે પ્રમેયની અવ્યભિચારિતા એ જ પ્રામાણ્ય છે. અર્થાત્ જે જ્ઞાન પ્રમેય સાથે વિસંવાદી ન હોય તે પ્રમાણ. અહીં પૂર્વપક્ષીને એમ કહેવું છે કે આ ત્રણેય જાતનું પ્રામાણ્ય પ્રત્યક્ષને અગ્ય છે તેથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન અસંભવિત છે. માટે ગમે એટલો અભ્યાસ હોય તે પણ પ્રત્યક્ષ જ્ઞાન વડે તેનું ગ્રહણ કયારેય શક્ય નથી. બીજી વાત એ છે કે આ જાતના પ્રામાણ્યનું જ્ઞાન થાય તો પણ તે સમર્થપ્રવૃત્તિના ઉપાયભૂત ન હોવાથી ઉપાદેય પણ બનતું નથી. પછી એના સ્વતઃ ૫ણુના કે પરતઃપણાના વિચારનું કઈ પ્રજન રહેતું નથી. [સમ્યક્ત્વ સમાનાધિકરણઅપાયત્વરૂપ પ્રામાણ્ય ] તત્વાર્થસૂત્રની વૃત્તિમાં જે કહ્યું છે કે પદગલિક સમ્યકત્વવાળા અર્થાત્ સમ્યકત્વમોહનીયના ઉદયવાળા જીનો, ઉદયમાં આવેલા સમ્યકત્વમોહનીયકર્મના દલિકેથી વિશિષ્ટ જે અપાયભૂત જ્ઞાનાંશ છે તે પ્રમાણ. તથા ક્ષાયિકસમ્યફવવાળા જીવોને માત્ર અપાયરૂપ જ્ઞાનાંશ તે પ્રમાણ. (કારણ કે ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને સમ્યફમેહનીયન ક્ષય થઈ ગયો હોય છે) આ વચનના તાત્પર્યનું પર્યાલચન કરીએ તો સમ્યક્ત્વસમાનાધિકરણઅપાયત્વ એ જ જ્ઞાનના પ્રામાણ્યરૂપે ફલિત થાય છે. નહિ તો બનેનું સાધારણ એક લક્ષણ બની શકે નહિ. પણ આ લક્ષણમાં વિનિગમના (નિયમન)ને અભાવ દેષરૂપે છે. કારણ કે સમ્યક્ત્વ-વિશિષ્ટઅપાયત્વને પ્રામાણ્યરૂપ માનીએ તો અપાયવિશિષ્ટસમ્યકત્વને પ્રામાણ્યરૂપ કેમ ન માનવું એ સવાલને ઉત્તર દુર્લભ છે. તાત્પર્ય, સમ્યક્ત્વ અને અપાયમાં કેણ વિશેષણ અને કણ વિશેષ્ય એની કઈ નિયામકયુક્તિ નથી. કોઈ એમ કહેતું હોય કે-“સ્વપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ–આ વચન જ જ્ઞાનરૂપ અપાયને વિશેષ્ય માનવામાં નિયામક થઈ શકે છે. સમ્યક્ત્વ એ કાંઈ જ્ઞાનરૂપ નથી.”—તો એમ કહેતાં પહેલા એ સમજી રાખવાની જરૂર છે કે “જ્ઞાન પ્રમાણમ” એ વચન જ્ઞાનને પ્રમાણ માનવામાં ત્યારે જ નિયામક બની શકે કે જ્યારે એ સમર્થ (સફળ) પ્રવૃત્તિના ઉપાયભૂત બને. જે જ્ઞાન સમર્થ પ્રવૃત્તિના ઉપાયભૂત ન બને તે સમ્યક્ત્વવિશિષ્ટ અપાય રૂપ હોય તે પણ “જ્ઞાન પ્રમાણમ’ એ વચનથી પ્રમાણરૂપે નહિ લઈ શકાય. - જે એવું માનીએ કે-“શાસ્ત્રમાં સમ્યક્ત્વથી અનુગત હોય તે જ્ઞાનને જ જ્ઞાનરૂપ કહ્યું છે, સમ્યકત્વ રહિત જ્ઞાનને તે અજ્ઞાનરૂપ હોવાનું કહ્યું છે. આ શાસ્ત્રોક્ત વ્યવસ્થાના બળે વિશેષ તરીકે અપાયમાં જ પ્રામાણ્ય હોવાનું કહી શકાશે નહિ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy