SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ मत्यादिचतुष्करूपमन्दप्रकाशनिरूपणम्-~ (२) तं च स्वभावं यद्यपि सर्वघाति केवलज्ञानावरण कात्स्न्येनैव आवरितुं व्याप्रियते, तथापि तस्य अनन्ततमो भागो नित्यानावृत एवावतिष्ठते, तथास्वाभाव्यात्-१"सव्वजीवाणं पि य गं પદાર્થનું અસ્તિત્વ ન હોવાથી પરાવભાસકતા સંભવતી નથી. તેને પણ અહીં વ્યવ છેદ થાય છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. પરંતુ તૈયાયિક મતે મુક્ત જીવોમાં જ્ઞાનને અત્યંત ઉછેદ માનવામાં આવે છે કે જે બરાબર નથી. કારણ કે જ્ઞાન એ આત્માને સ્વભાવ ભૂત ગુણ છે. નહિ કે પાધિક. એટલે જયારે આત્મા ઉપર વળગેલા સમસ્ત જ્ઞાનાવરણ કર્મને વંસ થઈ જાય છે ત્યારે જીવને સ્વભાવભૂત જ્ઞાન ગુણ સંપૂર્ણપણે ઝળહળી ઉઠે છે. એ સંપૂર્ણ જ્ઞાન જ કેવળજ્ઞાન શબ્દથી ઓળખાય છે. આ વાત સૂર્યના ઉદાહરણથી ગ્રંથકારે સમજાવી છે. પ્રકાશ કરવો એ સૂર્યને સ્વભાવ છે. વાદળાના આવરણથી આ સ્વભાવ અભિભૂત થઈ જાય છે પણ જયારે બધા વાદળા વિખરાઈ જાય છે ત્યારે સૂર્યપ્રકાશ સંપૂર્ણ પણે ઝળહળે છે. [ આવરણ ત્રણ રીતે હેઈ શકે છે. વાદળ એ સૂર્યનું આવરણ છે. આંખ ઉપર બાંધેલો પાટ એ દષ્ટિનું આવરણ છે અને વસ્તુ ઉપર ઢંકાયેલું કપડું એ વસ્તુનું આવરણ છે. આ ત્રણેય આવરણ ચાક્ષુષ જ્ઞાનમાં અવરોધક છે. આશય એ છે કે ચક્ષુ અને વસ્તુનું આવરણ દષ્ટિનું વિરોધી છે અને સૂર્ય ઉપર વાદળનું આવરણ સૂર્ય પ્રકાશનું અવરોધક છે. ] જ્ઞાનાવરણ કર્મ વાદળ જેવું આવરણ છે કે જે જીવના સ્વભાવભૂત જ્ઞાનપ્રકાશને જ અવરોધ કરે છે. પૂર્વાચાર્ય ભગવંતે એ પણ કેવળજ્ઞાન એ જીવને સ્વભાવ છે તેમ દર્શાવતા કહ્યું છે કે “કેવળજ્ઞાન તે જીવનું નિરાવરણ સ્વરૂપ છે, અને અનંત છે.” કેવળજ્ઞાન અનેક રીતે અનંત છે–તેને વિષય સર્વ દ્રવ્ય-પર્યાયો અનંત હોવાથી તે કેવળજ્ઞાન અનંત છે. કેવળજ્ઞાનના પિતાના પર્યાય પણ અનંત છે માટે તે અનંત છે. અંત એટલે વંસ, કેવળજ્ઞાન અવિનશ્વર હોવાથી અનંત છે. અનંતપ્રદેશી આકાશ એનો વિષય હોવાથી તે અનંત છે. અનંત પુદ્ગલપરાવર્ત રૂપી સર્વ કાળનું ભાસક હોવાથી પણ અનંત છે. તેમજ સર્વ જીવોના સર્વભાવે વ્યક્તિગત રીતે અનંત હેવાથી તેનું જ્ઞાન પણ અનંત છે. સર્વ દ્રવ્યની દૈશિક આનુપૂવીના અનંતભાંગાઓ કેવળજ્ઞાનનો વિષય હવાથી કેવળજ્ઞાન અનંત છે. માટે ભગવાનને અનંત જ્ઞાની કહેવામાં આવે છે. [અનcતમ ભાગરૂપ મંદપ્રકાશ નિત્ય અનાવૃત] (૨) કેવળજ્ઞાનાવરણની પ્રકૃતિ (સ્વભાવ) જ્ઞાનને સંપૂર્ણ ઘાત કરવાની હોવાથી, કેવળજ્ઞાનાવરણ જીવના જ્ઞાનસ્વભાવને સંપૂર્ણપણે દબાવી દેવા માટેનષ્ટ કરવા માટે જે કે આક્રમણ તે ઘણું પ્રબળ કરે છે, છતાં પણ તે સંપૂર્ણ પણે સફળ થતું નથી, ઘણું ૬. સર્વ નીવા મ હ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy