SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (રસ્તવતપfwifesi+નહંસિરસાવત્ત મત્ય, બંગાનં ) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (વં વવાણી) તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો કે - ૧૫. ___ नमुत्थु णं अरिहंताणं भगवंताणं, आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं, पुरिसुत्तमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरीयाणं पुरिसवरगंधहत्थीणं, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं लोगपईवाणं लोगपजोअगराणं, अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं बोहिदयाणं. धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं । (નમુત્યુ નું રિહંતા) અરિહંતોને નમસ્કાર હો, કર્મરૂપી વૈરીને હણનારા હોવાથી અરિહંત કહેવાય. કોઈ ઠેકાણે “અરહંતાણં, પાઠ છે, ઇન્દ્રાદિકે કરેલી પૂજાને જે યોગ્ય હોય તે અરહંત કહેવાય, તેમને નમસ્કાર હો. કોઈ ઠેકાણે” “અરહંતાણં' પાઠ છે. પ્રભુએ કર્મરૂપી બીજનો નાશ કરેલો છે, તેથી તેમને સંસાર રૂપી ક્ષેત્રમાં ઉગવું નથી, અર્થાત્ ફરીને જન્મ લેવો નથી, તેથી તેઓ અરુહંત કહેવાય, તેમને નમસ્કાર હો. અરિહંત કેવા છે? તે કહે છે(માવંતાdi) જ્ઞાનાદિ બાર અર્થવાળા ભગથી યુક્ત. ભગ શબ્દના ચૌદ અર્થ છે, તે આ પ્રમાણે સૂર્ય, જ્ઞાન , માહાભ્ય, યજ્ઞ, વૈરાગ્ય ", મુક્તિ, રૂપ ૭, વીર્ય ૮, પ્રયત્ન ૯, ઈચ્છા ૧૦, લક્ષ્મી, ઐશ્વર્યા અને યોનિ . અ. ચૌદ અર્થમાંથી પહેલો અને છેલ્લો અર્થ એટલે સૂર્ય અને યોનિ એ બે અર્થ છોડીને બાકીના બાર અર્થવાળાં ભગથી યુક્ત. તે આવી રીતે જ્ઞાનવાળા માહામ્યવાળા સર્પ, મયૂર, બિલાડી, કૂતરા વિગેરે હમેશાંની શત્રુતા રાખનારા પ્રાણીઓના પણ વૈરને શાંત કરનારા હોવાથી યશસ્વી, વૈરાગ્યવાળા, મુકિતવાળા, સુંદર રૂપવાળા, અપરિમિત બળયુક્ત હોવાથી વીર્યવાળા, તપસ્યાદિ કરવામાં પ્રયત્નવાળા, જગતના જીવોનો ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા, ચોત્રીશ અતિશયયુક્ત લક્ષ્મીવાળા, ધર્મવાળા, ઇન્દ્રાદિ કરોડો દેવો અને રાજા-મહારાજઓ વડે સેવાતા હોવાથી ઐશ્વર્યવાળા. (બાળRTI) પોતપોતના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિના કરનારા (તિત્યaRIST) તીર્થ એટલે સંઘ અથવા પ્રથમ ગણધર, તેમના સ્થાપનારા (સર્વસંધુદ્ધાળુ) પરના ઉપદેશ વિના પોતાની મેળે જ બોધ પામેલા. (પુરતુત્તમ) અનંતા ગુણોના ભંડાર હોવાથી પુરુષને વિષે ઉત્તમ (પુરસસીહાઈi ) કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં શૂરવીર હોવાથી, પરીષહોને સહન કરવામાં ધીર હોવાથી, ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષોમાં સિંહ સમાન (gfસવરપુંડરીવાળું) પુરુષોને વિષે ઉત્તમ સફેદ કમળ સરખાં એટલે-જેમ સફેદ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, ભોગરૂપી પાણીથી વધે છે, વૃદ્ધિ પામે છે, અને અનુક્રમે તે કર્મો તથા ભોગો બન્નેને ત્યજીને નિરાળા થઈને રહે છે. (કુરિવરyiઘહત્યીf) પુરુષોને વિષે ઉત્તમ ગન્ધહસ્તી સમાન, એટલે જેમ ગન્ધહસ્તીના ગધેથી બીજા હાથીઓ નાશી જાય છે, તેમ ભગવાન્ જ્યાં-જયાં વિચરે છે ત્યાંના પવનના ગન્ધથી દુષ્કાળ, રોગ વિગેરે ઉપદ્રવો નાશ પામે છે. (તોTHISi') ભગવાન્ ચોત્રીશ અતિશયયુક્ત હોવાથી ભવ્ય લોકોને વિષે ઉત્તમ (નોગનાAITI) ભવ્ય લોકોના નાથ, એટલે-યોગ અને ક્ષેમ કરનારા, યોગ એટલે નહિ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકનું રક્ષણ; તેઓના કરનારા (તોnfહવા) દયાના પ્રરૂપક હોવાથી સર્વ જીવોનું હિત કરનારા, (તોપવા ) મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનારા હોવાથી લોકોને વિષે પ્રદીપ સમાન (નોપોઝRIUM) સૂર્યની પેઠે સકળ પદાર્થોનો પ્રકાશ કરનારા હોવાથી લોકોમાં પ્રદ્યોત કરનારા. (માવાઈi) સાતે ભયને હરનારા હોવાથી અભયને દેવાવાળા, સાત ભય આ પ્રમાણે-મનુષ્યને મનુષ્ય થકી જે ભય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy