SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિર શ્રીપ્રિયગ્રંથ સૂરિનો સંબંધ આ પ્રમાણે અજમેર શહેરમાં નજીકમાં સુભટપાલ નામના રાજાનું હર્ષપુર નામે નગર હતું. તે નગર ત્રણસો જિનમંદિર, ચારસો અન્યદર્શનીઓનાં મંદિરો, અઢારસો બ્રાહ્મણોનાં ઘર, છત્રીસસો વૈશ્યનાં ઘર, નવસો બગીચા, સાતસો વાવ, બસો કૂવા, અને સાતસો દાનશાળા વડે શોભતું હતું. શ્રીપ્રિયગ્રંથસૂરિ વિચરતા છતાં અનુક્રમે તે હર્ષપુર નગરમાં પધાર્યા. ત્યાં એક વખતે બ્રાહ્મણો યજ્ઞમાં બકરાને હણવાનો આરંભ કરતા હતા. તે સમયે શ્રીપ્રિયગ્રંથસૂરિએ તે બકરા ઉપર શ્રાવકને હાથે વાસક્ષેપ નખાવી તેને અંબિકાદેવી વડે અધિષ્ઠિત કર્યો. તેથી તે બકરો ત્યાંથી ઉડી આકાશમાં સ્થિર રહીને મનુષ્ય વાણી વડે બોલવા લાગ્યો કે "हनिष्यथ नु मा हुत्यै, बध्नीताऽऽयात मा हत ।युष्मद्वन्निर्दयः स्यां चेत्, तदा हन्मि क्षणेन वः ॥१॥ यत्कृतं रक्षसां द्रङ्गे, कुपितेन हनूमता।तत् करोम्येव स्वस्थो वः, कृपा चेद् नाऽन्तरा भवेत् ॥२॥" શું તમે મને હોમને માટે હણવા ધારો છો? ઠીક છે, તમારું સામર્થ્ય હોય તો હવે આવો, મને બાંધો, અને હણો જોઇએ? હે નિષ્ફરો! જો હું તમારા જેવો નિર્દય થાઉં તો તમને બધાને ક્ષણવારમાં હણી નાખું.૧.” “જો દયા વચમાં ન આ આવી હોત તો, કોપ પામેલા હનુમાને લંકાનગરીમાં રાક્ષસોની જે હાલત કરી હતી, તે જ હાલત તમારી પણ આકાશમાં રહ્યો થકો હું પણ કરત. ૨.” આવી રીતે બકરાનું કથન સાંભળી ભયભીત થયેલા બ્રાહ્મણો બોલ્યા કે- “તમે કોણ છો? તે જણાવો'. તેણે કહ્યું કે- “હું અગ્નિદેવ છું, બકરો મારું વાહન છે, તે પશુને તમે શા માટે હણો છો? પશુઓને હણવાથી પુણ્ય થતું નથી, પણ પાપ થાય છે, અને તેથી આત્મા દુર્ગતિમાં પડે છે. માટે આ નગરમાં પધારેલા શ્રીપ્રિયગ્રન્થ સૂરીશ્વર પાસે જઈ તેમને પૂછો, તેઓ તમને સદ્ગતિ આપનાર પવિત્ર ધર્મ કહેશે, તેમણે કહેલા ધર્મને શુદ્ધિપૂર્વક આચરજો”. “यथा चक्रीनरेन्द्राणां, धानुष्काणंधनपयः।तथाधुरि स्थितिः साधुः, स एकः सत्यवादिनम् ॥१॥" હે મનુષ્યો! જેમ રાજાઓમાં ચક્રવર્તી અને ધનુર્ધારીઓમાં અર્જુન અગ્રેસર છે, તેમ સત્યવાદીઓમાં અગ્રેસર તે એક જ સાધુ-મહાત્મા છે”. ૧. પછી બ્રાહ્મણોએ તે પ્રમાણે કર્યું. (વેરહિંતોffપવોકિંતો) સ્થવિર પ્રિયગ્રંથથી રૂત્ય ડ્રામા Hહાનિયા) અહીં મધ્યમા નામે શાખા નીકળી. (યુરેડિંતોrવિMાહગોવાહિંતોસવગુહિંતો) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોપાળથી (લ્યાં વિઝીણી HIRI નિવા) અહીં વિદ્યાધરી નામે શાખા નીકળી. थेरस्सणं अनइंददिन्नस्स कासवगुत्तस्स अजदिन्ने थेरे अंतवासी गोयमसगुत्ते।थेररसणं अनदिन्नस्स गोयमसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था; तं जहा- थेरे अजसंतिसेणिए माढरसगुत्ते, थेरे अनसीहगिरी पाइस्सरे कोसियगुत्ते। थेरेहितो णं अनसंतिसेणिएहिंतो माढरसगुत्तेहितो इत्थ णं उच्चनागरी साहा निग्गया।थेरस्सणं अजसंतिसेणियस्स माढरसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-(ग्रं. १०००) थेरे अजसेणिए, थेरे अज्जतावसे थेरे अजकुबेरे थेरे अजइसिपालिए। (યેરનું ઝરૅવિનHIRવત્તH) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ઇન્દ્રદિને (કMવિન્ને યેરે બંતવાલી ગયગુ) ગૌતમ ગોત્રવાળા આર્યદિન નામે સ્થવિર શિષ્ય હતા. (યેરરસ | AMવિન્નર ******** *******251Dઅ*+***********અસ્પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy