SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् સત્ત અંતેવાસીઓ) આ સાત શિષ્યાઓ (બાવવ્વાો અમિન્ગાવાઓ હત્યા) પુત્રી સમાન પ્રસિદ્ધ હતી. (તે ના) તે આ પ્રમાણે (પવવા ા પવવવિના) યક્ષા, યક્ષદિન્ના, (મૂળ ત દેવ મૂબવિના ૪) ભૂતા, તથા ભૂતદિન્ના, (મેળાવેળા મેળા ) સેણા,વેણા અને રેણા, (મફળીબો ફૂલમવમ્સ) એ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી. ૧. (થેમ્સ નું બાવૂલમવÆ ગોયમસનુત્તÆ ) ગૌતમ ગોત્રના સ્થવિર આર્ય સ્થૂલભદ્રને (રૂમે તો RT અંતેવામી) આ બે સ્થવિર શિષ્યો ( બહાવત્ત્તા અમિળાયા હ્રા) પુત્ર સમાન્ પ્રસિદ્ધ હતા, (તંજ્ઞા-) તે આ પ્રમાણે(રે બન્નનાવવ્વસમુત્તે) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, (ઘેરે અવ્નમુહત્થી વાસિદસમુત્તે) અને વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તી. (યેÆÍ બન્નનગિરિ+ભાવ—સમુત્તH) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિને (રૂમે અદ ઘેરા અંતેવાસી) આ આઠ સ્થવિર શિષ્યો (બાવત્ત્વા અમળાવા દુત્તા) પુત્ર સમાન પ્રસિદ હતા. (તં નI-) તે આ પ્રમાણે (RoR) સ્થવિર ઉત્તર, ( રે ઘત્તિ-સહે) સ્થવિર બળિસ્સહ, (à ઇન્ગડ્યું ) સ્થવિર ધનાઢચ, (`ffg) સ્થવિર શ્રીઆચ, (, રે ડિને ) સ્થવીર કૌડિન્સ, (રે નાગે) સ્થવિર નાગ, (રે નામિત્તે) સ્થવિર નાગમિત્ર, (ઘેરે છતૂરોનુત્તે ગેસિવનુત્તેણં) અને કૌશિક ગોત્રવાળા સ્થવિર ષડુલૂ રોહગુપ્ત. રોહગુપ્તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના છ પદાર્થોની પ્રરૂપણા કરેલી હતી, તેથી તે ષટ્ કહેવાય, અને ઉલૂક એટલે કૌશિક ગોત્રમાં ઉત્પન્ન થવાથી ઉલૂક કહેવાય. એટલે છ પદાર્થના પ્રરૂપક હોવાથી અને ઉલૂક ગોત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી રોહગુપ્ત ષડુલૂક' કહેવાય. ઉલૂક અને કૌશિક શબ્દ સમાન અર્થવાળા છે, તેથી જ સૂત્રકાર મહારાજે તેને કૌશિક ગોત્રવાળા કહ્યા છે. (Rહિંતોનંછલૂણસિંતોોત્તેહિંતોનેસિવનુત્તેહિંતો) કૌશિક ગોત્રવાળા સ્થવિર પડુલૂક રોહગુપ્ત થકી (તાં નં તેસિયા નિમ્નવા) ત્યાં ઐરાશિક નીકળ્યા. એટલે જીવ, અજીવ અને નોજીવ, એ પ્રમાણે ત્રણ રાશિને પ્રરૂપનારા તેમના શિષ્ય-પ્રશિષ્યો થયા. તેની ઉત્પત્તિ આ પ્રમાણે ૫૨માત્મા શ્રીમહાવીરના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીશમે વરસે અંતરંજિકા નામે નગરીના ઉદ્યાનમાં ભૂતગૃહ નામે વ્યંતરના ચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય ગચ્છસહિત રહ્યા હતા. તેમનો રોહગુપ્ત નામે શિષ્ય બીજા ગામમાં હતો, તે ગુરુ મહારાજને વંદન ક૨વા તે નગરીમાં આવ્યો. આ વખતે ત્યાં પોટ્ટશાળ નામે સંન્યાસી આવ્યો હતો. તે વાદકળામાં નિપુણ હતો, તેથી તેણે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવ્યો હતો. વળી કોઇ પ્રતિવાદી તેને જીતી જાય એવો આવતો, ત્યારે પોટ્ટશાલ તે પ્રતિવાદીને વૃશ્ચિક, સર્પ, મૂષક, મૃગી, વરાહી, કાકી અને શકુનિકા નામે સાત ત્રવિદ્યાઓ વડે ઉપદ્રવ કરતો. આ પ્રમાણે વિદ્યાથી ગર્વિષ્ઠ બનેળા પોટ્ટશાલે તે નગરીમાં પડહ વગડાવ્યો કે-“મારી સાથે કોઇ વાદ કરવાને સમર્થ નથી, છતાં કોઇને હિમ્મત હોય તો તૈયાર થાય’'. આ વખતે નગરીમાં પ્રવેશ કરતા રોહગુપ્તે તે પડહ સાંભળયો, તેથી તેણે ‘હું તેની સાથે વાદ કરીશ. ‘એમ કહી તે પડહને નિવારણ કર્યો'. પછી તેણે ગુરુમહારાજ પાસે આવી વંદન કરી વાદ કરવાનું કબૂલ કર્યાનો વૃત્તાન્ત કહ્યો. આચાર્ય મહારાજે રોહગુપ્તનો વાદ કરવાનો નિર્ણય જાણી તે સંન્યાસીઓની વિદ્યાઓને બાધ કરનારી અને માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી ૧. મયૂરી, ૨. નકુલી, ૩. બિલાડી, ૪. વ્યાઘ્રો, ૫. સિંહી, ૬. ઉલૂકી અને ૭. શ્યુની સાત વિદ્યાઓ આપી. વળી આચાર્ય મહારાજે ૧. ષટ્ અને ઉલૂકનો કર્મધારય્ સમાસ થવાથી ‘પડ્યૂક’ શબ્દ બન્યા છે, અને પ્રાકૃતમાં ‘છલૂઅ’ બને છે. ૨. કલ્પસૂત્ર મૂળપાઠમાં રોહગુપ્તને આર્યશ્રી મહાગિરીનો શિષ્ય કહ્યો છે, પણ ઉત્તરાધ્યયનપ્રવૃત્તિ સ્થાનાંગવૃત્તિ વિગેરેમાં તો શ્રીગુપ્તઆચાર્યનો શિષ્ય કહ્યો છે, અહીં શ્રીગુપ્તઆચાર્યનો શિષ્ય જણાવેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે ૩. તે વિદ્યાઓ વડે અનુક્રમે વીંછી સાપ, ઉંદર મૃગ, સુવર, કાગડા અને સમડીઓ વિક્ર્વીને ઉપદ્રવ કરતો. તે વિદ્યાઓ વડે અનુક્રમે મોર, નોળિયા, બિલાડા, વાઘ, સિંહ, ઘૂવડ અને બાજપક્ષી ઉત્પન્ન થાય. +245 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy