________________
श्रीकल्पसूत्रम्
સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞ સ્તંભ, ચોતરો, કમંડલુ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક સહિત લક્ષ્મી, માળા તથા મોર એ બત્રીશ લક્ષણો હોય. વળી પ્રકારાંતરે બત્રીશ લક્ષણો નીચે પ્રમાણે જાણવાં
" इह भवति सप्तरक्तः षडुन्नतः पञ्चसूक्ष्म- दीर्घश्च ।
ત્રિવિપુલ-લઘુ-TMમીરો, દ્વાત્રિંશસ્ત્રક્ષા: ૬ પુમા’॥ ॥
જેના નખ, પગનાં તળિયાં, હથેલી, જીભ, ઓઠ, તાળવું અને આંખના ખૂણા, એ સાતે લાલરંગના હોય. કાંખનો ભાગ, હૃદય, ગરદન, નાક, નખ અતે મુખ, એ છ ઉંચા હોય. દાંત, ચામડી, કેશ, આંગળીઓના વેઢા, અને નખ, એ પાંચે પાતળા હોય. આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી અને ભુજા, એ પાંચે દીર્ઘ હોય. કપાલ છાતી અને મુખ, એ ત્રણે પહોળા હોય. કંઠ, સાથળ અને પુરુષચિન્હ, એ ત્રણે નાનાં હોય. તથા જેને સત્ત્વ-પરાક્રમ સ્વર અને નાભિ, એ ત્રણ ગંભીર હોય, તે પુરુષ બત્રીશ લક્ષણ સમજવો.
मुखमर्धं शरीरस्य सर्वं सा मुखमुच्यते । ततोऽपि नासिका श्रेष्ठा, नासिकायाश्च लोचने ॥ १॥ यथा नेत्रे तथा शीलं यथा नासा तथाऽऽर्जवम् । यथा रूपं तथा वित्तं यथा शीलं तथा गुणाः ॥ २ ॥
મુખ એ શરીરનો અડધો ભાગ છે, એટલું જ નહિ, પણ મુખને શરીરનો આખો ભાગ કહીએ તો ખોટું નથી, કારણ કે -આખા શરીરમાં મુખ પ્રધાન છે. મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે, અને નાસિકાથી પણ નેત્રો શ્રેષ્ઠ છે.
જેવાં નેત્ર તેવું શીલ, જેવી નાસિકા તેવી સરળતા, જેવું રૂપ તેવું ધન અને જેવું શીલ તેવા ગુણો જાણવા. अतिस्वेऽतिदीर्घेऽति-स्थूले चाऽतिकृशे तथा । अतिकृष्णेऽतिगौरे च षट्सु सत्त्वं निगद्यते ॥ ३ ॥ અતિ ટૂંકામાં, અતિ લાંબામાં, અતિ જાડામાં, અતિ પાતળામાં અતિ કાળામાં તથા અતિ ગોરામાં, એ છએમાં સત્ત્વ કહેવાય છે.
સદ્ધર્મ: સુમોની, મુસ્વપ્ન: મુનય: વિ:। સૂત્રયત્યાત્મનઃ શ્રીમાન નર: વર્ષોમા-ડળમૌ ॥ ૪ ॥
જે સારી રીતે ધર્મ ક૨ણી કરતો હોય, સારો ભાગ્યશાળી હોય, શરીરે નિરોગી હોય, જેને સારાં સ્વપ્ન આવતાં હોય. સારી નીતિવાળો હોય, અને કવિ હોય તે પુરુષ પોતાના આત્માને સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનો સૂચવે છે.
નિર્તન: સથો વાની, વાન્તો વક્ષ: સવા ૠનુ, મર્ત્યયોને સમુદ્રભૂતો, મવિતા = પુનસ્તથા ।। જે નિષ્કપટ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, ડાહ્યો હોય, અને હમેશાં સરળ સ્વભાવી હોય, તે માણસને મનુષ્ય જન્મમાંથી આવેલો જાણવો, અને પાછો પણ મનુષ્ય થવાનો જાણવો. માયા-તોમ-ક્ષુધા-ડડનસ્ય-વાદારાવિશ્વતિ તિર્થ યોનિસનુત્પતિ, ચાપયત્માત્મન: પુમાન ॥ ૬ ॥ કપટ, લોભ, ક્ષુધા, આલસ્ય અને ઘણો આહાર વિગેરે ચેષ્ટાથી પુરુષ પોતાની તિર્યંચ યોનિમાં ઉત્પત્તિ જણાવે છે. સરા: સ્વપ્નનદેવી, દુર્ગાષો પૂર્વસંસ્કૃત । શક્તિ સ્વસ્થતા-ડવાત, નરો નરવર્ભનિ। ૭ ।। રાગવાળો, સ્વજનો ઉપર દ્વેષ કરનારો, ખરાબ ભાષા બોલનારો, તથા મૂર્ખનો સંગ કરનારો માણસ પોતાનું નરકગતિમાં ગમન અને નરકગતિમાંથી આવવું સૂચવે છે.
आवर्तो दक्षिणे भागे, दक्षिण: शुभकृद् नृणाम् । वामो वामेऽतिनिन्द्यः स्याद्, दिगन्यत्वे तु मध्यमः ॥ ८ ॥
Jain Education International
15
For Private & Personal Use Only
www.jainelibrary.org