SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् અને સૌંદર્યરહિત દેખી અધિકારીઓને કહ્યું કે-“અરે! સુન્દરી આવી કૃશ થઇ ગઇ છે? શું મારા ગયા પછી કોઇ તેની સંભાળ પણ લેતું નથી?’’ અધિકારીઓએ નમન કરી કહ્યું કે- મહારાજ! જ્યારથી આપ દિગ્વિજય કરવાને પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણ માટે આયંબિલ તપ કરે છે, અને આપે તેમને દીક્ષા લેતાં અટકાવ્યાં તેથી ભાવદીક્ષિત થઇને રહ્યા છે’’. તે સાંભળી સુંદરીનો દીક્ષા લેવાનો દૃઢ આશય જાણી ભરત મહારાજ બોલ્યા કે-‘‘હું આટલા વખત સુધી તમારા વ્રતમાં વિઘ્ન કરનારો થયો, હે બહેન! તમને શાબાશી છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનારી દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છો છો’’. ઈત્યાદિ સુંદરીની પ્રશંસા કરી દીક્ષા લેવાની અનુમતિ આપી. પછી સુંદરીએ અષ્ટાપદ પર્વત પર જઇ શ્રીૠષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક્ર તો આયુધશાળામાં ન પેસતાં બહાર જ રહ્યું. તેથી ભરત મહારાજાએ પોતાના અટ્ઠાણું ભાઇઓને દૂત દ્વારા કહેવરાવ્યું કે‘મારી આજ્ઞા માનો’, તે વખતે તે બધા એકઠા થઇ ને ‘‘શું અમારે ભરતની આજ્ઞા માનવી, કે તેની સાથે યુદ્ધ કરવું?’' એમ પૂછવા માટે પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણા વડે પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. ત્યાર પછી ભરત મહારાજાએ બાહુબલિ ઉપર દૂત મોકલ્યો, પરન્તુ અતુલ બળશાળી બાહુબલિ ભરતની આજ્ઞા ન સ્વીકારતાં લડાઇ કરવાને તૈયાર થયો. દૂતના કથનની બાહુબલિએ પોતાની આજ્ઞા ન સ્વીકારવાનું જાણી ભરતે તેના ઉપર ચડાઇ કરી. ભરત અને બાહુબલિનું ભયંકર યુદ્ધ બાર વરસ સુધી ચાલ્યું, અને બન્નેનાં સૈન્યોમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો, પણ તેઓ બન્નેમાં કોઇ ન હાર્યો. આવી રીતે ઘણા મનુષ્યોનો સંહાર થતો જાણી ત્યાં શકે આવી તેઓને સમજાવ્યા કે-‘સૌજન્યથી સુશોભિત એવા તમે બન્ને ભાઇઓનું યુદ્ધ ખરેખર જગતના દુર્ભાગ્યથી જ ઉપસ્થિત થયું છે, માટે તે બંધ ક૨વું જોઇએ. પણ જો તમે એક-બીજા ઉ૫૨ વિજય મેળવ્યા વગર ન જ અટકવાના હો, તો છેવટે એટલું તો માનો કે, તમો બન્ને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધથી લડો, પણ સંખ્યાબંધ પ્રાણીઓનું વિઘાતક એવું આ મધ્યમ યુદ્ધ તો બંધ જ કરો’’. આ પ્રમાણે શક્રનું વચન તેઓ બન્નેએ કબૂલ કર્યું. પછી શક્રે દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અને દંડયુદ્ધ, એ ચાર યુદ્ધથી પરસ્પર બન્ને ભાઈઓએ લડવું એમ ઠરાવ કર્યો. આ ચારે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો, અને ભરતની હાર થઇ. ચારે યુદ્ધમાં પોતાની હાર થવાથી ભરત મહારાજાને ઘણો ક્રોધ ચડ્યો, તેથી બાહુબલિનો નાશ કરવા તેના ઉપર ચક્ર છોડયું, પરન્તુ બાહુબલિ સમાન ગોત્રના હોવાથી તેમને તે ચક્ર પણ કાંઇ કરી શકયું નહિ. આ વખતે બાહુબલિએ વિચાર્યું કે“અત્યાર સુધી ભ્રાતૃભાવથી જ મેં ભરતની ઉપેક્ષા કરી, છતાં તે તો પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતો નથી, માટે હવે કાંઇ પણ દરકાર કર્યા વગર એક મુષ્ટથી જ એના ચૂરેચૂરા કરી નાખું”. એમ વિચારી ક્રોધથી ધમધમી રહેલા બાહુબલિએ દૂરથી મૂઠી ઉપાડી ભરતને મારવા દોડયા. પરન્તુ સારાસારનો વિચાર કરવામાં વૃહસ્પતિ સમાન એવા તે બાહુબલિ મુષ્ટિ ઉપાડી ભરતને મારવા દોડતાં વિચારવા લાગ્યા કે-‘‘અહો! પિતાતુલ્ય આ મોટા ભાઇને મારે હણવા અનુચિત છે, પરન્તુ આ ઉપાડેલી મુષ્ટિ પણ નિષ્ફળ કેમ થાય?’’. એમ વિચારી મહાત્મા બાહુબલિએ મુષ્ટિને પોતાનાજ મસ્તક પર ચલાવી તે જ વખતે લોચ કર્યો, અને સર્વ સાવદ્ય ત્યજી દઇ કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિરથયા. તે વખતે ભરત મહારાજા તેમને વંદન કરી પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ગયા. હવે બાહુબલિ મુનિ વિચારવા લાગ્યા કે-‘‘પૂર્વ દીક્ષિત મારા નાના ભાઇઓ દીક્ષા પર્યાયથી મારા કરતાં મોટા છે, તેથી જો હું હમણાં પ્રભુ પાસે જઇશ તો તે નાના ભાઇઓને પણ વંદન કરવું પડશે. હું મોટો હોવા છતાં નાનાભાઇઓને વંદન કેમ કરું? તેથી જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે જ પ્રભુ પાસે જઇશ’’. એમ અહંકાર કરી એક વરસ સુધી કાઉસ્સગ્ગમાં જ ઉભા રહ્યા વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બહેનોએ આવીને “હે ભાઇ! ગજથી ઉતરો’’ એમ કહી બાહુબલિને પ્રતિબોધ પમાડયો. અહંકારરૂપી ગજથી ઉતરેલા મહાત્મા બાહુબલિએ જેવા પગ 228 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy