SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ જે રકમ રટીશ્નર (જીવટqખૂણમ કર કર કર કર હક્કર કરે વ્યવહારથી વિમુખ જંગલી પ્રાણીની જેમ ઘરે રહ્યા, છતાં ગૃહવાસમાં બીકણ દાક્ષિણ્ય વગરના અને સ્વેચ્છાચારી એવા એ નેમિકુમાર કદી ચાલ્યા ગયા તો ભલે ગયા. આપણને તેના આવા સ્વભાવની પહેલેથી ખબર પડી તે ઠીક જ થયું. જો કદી એ તમને પરણીને મમતારહિત થયા હોત તો પછી કૂવામાં ઉતારીને દોર કાપવા જેવું થાત. હે બહેન! તમે નેમિકુમારને માત્ર સંકલ્પથી જ અપાયા હતા તેથી જયાં સુધી તેમણે તમારું હસ્તગ્રહણ કર્યું નથી ત્યાં સુધી તમે કન્યારૂપ જ છો, માટે તમે આટલો બધો ખેદ કેમ કરો છો? પ્રીતિને વિષે તત્પર એવો કોઈ બીજો ભર્તાર તમારે માટે શોધી કાઢશું. સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી પોતાના બન્ને કાન ઢાંકી કહેવા લાગી કેહે સખીઓ! તમે મને ન સંભળાવવા લાયક વચનો કેમ સંભળાવો છો? મારા પવિત્ર કુળને કલંક લાગે એવા અને કુલટાના કુળને છાજે એવા વચનો બોલી મને શા માટે સંતપ્ત કરો છો? કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર મર્યાદા છોડે અને પૃથ્વી પાતાળમાં પેસી જાય, તો પણ હું નેમિકુમાર સિવાય બીજો ભર્તાર નહિ જ કરું. હે સખીઓ ! હું મન અને વચનથી તેમને વરી ચૂકી છું. વળી તે રાજીમતી શ્રી નેમિનાથને કહેવા લાગી કે- હે જગતના અધીશ! આપ ઘરે આવેલા વાચકોને તેઓની ઇચ્છા ઉપરાંત આપો છો, પણ હે સ્વામી! પ્રાર્થના કરતી એવી મે તો મારા હસ્ત ઉપર આપનો હસ્ત પણ ન મેળવ્યો. હવે વિરક્ત થયેલી રામતી બોલી કે-રૈલોક્ય શ્રેષ્ઠ એવા શ્રીનેમિકુમારનો હસ્ત લગ્નમહોત્સવમાં તો મારા હસ્તા પર આવ્યો નહિ, તો પણ મારા દીક્ષા મહોત્સવ સમયે તો તેમનો હસ્ત વાસક્ષેપ કરવા વડે મારા મસ્તક પર અવશ્ય થશે. હવે પરિવારસહિત સમુદ્રવિજય રાજા નેમિકુમારને કહેવા લાગ્યા કે વત્સ! એવો કોઈ નિશ્ચયવાદ નથી કે ન પરણેલા જ મોક્ષે જાય, કેમકે પૂર્વે થઇ ગયેલા ઋષભદેવાદિ તીર્થકરો પણ વિવાહ કરી ભોગ ભોગવીને પછી દીક્ષા સ્વીકારી મોક્ષે ગયા છે, તો હે કુમાર! તમારું બ્રહ્મચારીનું શું તેઓ કરતાં ઘણું ઊંચું પદ થશે? “શું પરણેલા મોક્ષે જતા નથી? માટે હે પિતૃવલ્લભ! અત્યારે વિવાહ કરી અમારા મનોરથ પૂરા કર, તે સાંભળી નેમિનાથ પ્રભુ બોલ્યા કે-“હે તાત!ઋષભદેવાદિ તીર્થકરોને ભોગાવલી કર્મો ભોગવવા માટે વિવાહ કરવો પડ્યો હતો, પણ મારાં ભોગાવલી કર્મો ક્ષીણ થયાં છે. વળી તે પિતાજી! અનંત જંતુઓનો સંહાર કરનારા અને સંસારને દુઃખ રૂપ કરનારા એવા એક સ્ત્રીના સંગ્રહવાળા વિવાહ માટે આપ શા માટે આગ્રહ કરો છો? અહીં કવિ ઉન્મેક્ષા કરે છે કે. “मन्येऽङ्गनाविरक्तः परिणयनमिषेण नेमिरागत्य। राजीमती पूर्वभवं-प्रेम्णा समकेतयद् मुक्त्यै ॥१॥" હું એમ માનું છું કે, સ્ત્રીઓથી વિરક્ત એવા શ્રીનેમિનાથ પ્રભુ પરણવાના બહાનાથી અહીં આવીને પૂર્વભવના પ્રેમથી રામતીને મોક્ષ માટેનો સંકેત કરી ગયા. ૧. (165 દિનેની હવવે) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ સર્વ કળાઓમાં કુશળ હતા, (ગાવ તિથિ વાસ મારે) યાવત્-ભદ્રક પ્રકૃતિવાળા અને વડીલોનો વિનય કરનારા પ્રભુ ત્રણસો વરસ સુધી કુમાર રહ્યા હતા. (Rવીસમો સTIT) ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા. (પુલિ તોડવંતિકં નીefufé é) વળી તીર્થકરોને અવશ્યપણે દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા લોકાંતિક દેવો, (ત વર્ધ્વ માવળં) ઇત્યાદિ સર્વ પ્રથમની પેઠે કહેવું. એટલે પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે લોકાંતિક દેવો તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાલી વાણી વડે પ્રભુને અભિનંદતા અને પ્રભુની સ્તુતિ કરતા આ પ્રમાણે બોલ્યા કે-“હે સમૃદ્ધિશાળી! આપ જય પામો, હે કલ્યાણવંત! આપ જય પામો જય પામો, હે કામદેવને જીતનારા તથા સમસ્ત ****ફરક હરફર 201 ર ર ફરે ફરી ફરક * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy