SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ *१४ श्रीकल्पसूत्रम् પ્રેમમાં મવેળું) અનુપમ આર્જવ એટલે માયારહિતપણે, (અનુત્તોનું મળ્વવેળું) અનુપમ માર્દવ એટલે માનરહિતપણે, (અનુત્તોનું તાઘવેળું) અનુપમ લાઘવ વડે ક્રિયાઓમાં કુશળપણે, અથવા લાધવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપાધિપણું અને ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ, તે વડે, (અનુત્તરા વંતીē) ક્રોધના નિગ્રહરૂપ અનુપમ ક્ષાંતિ એટલે ક્ષમા વડે, (અનુત્તરા મુત્તિ) અનુપમ મુક્તિ વડે એટલે નિર્લોભપણે, (અનુત્તરાગુત્તીæ) અનુપમ મનોગુપ્તિ વિગેરે ગુપ્તિ વડે, (અનુત્તા તુીણ) ઇચ્છાની નિવૃત્તિરૂપ અથવા મનની પ્રસન્નતા રૂપ એવી અનુપમ તુષ્ટિ એટલે સંતોષ વડે, (અનુત્તોનું સત્ત્વ-સંનમ-તવમુઘરિયોવવિદ્ય નિષ્વાળમોળું) સત્ય, સંયમ અને તપને સારી રીતે આચરવાથી પુષ્ટ થયેલા મુક્તિરૂપી ફળવાળા ત્રણ રત્ન સ્વરૂપ નિર્વાણ માર્ગ વડે. આવી રીતે સમગ્ર ગુણોના સમૂહ વડે (બપ્પાનું મવેમાળĂ) પોતાના આત્માને ભાવતા ભગવાન મહાવીરને (યુવાન સંવારૂં વવવંતાઽ) બાર વરસ વીતી ગયાં. શ્રીમહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં જે તપ કર્યા. તેમની સંખ્યા, તથા પારણાં કર્યા તેની સંખ્યા આ પ્રમાણેએક છમાસી, એક-પાંચ દિવસ ઓછાનો છમાસી, નવ ચારમાસી, બે ત્રણમાસી, બે અઢીમાસી, છે બે માસી, બે દોઢમાસી, બાર માસક્ષપણ, બહોંતેર પક્ષક્ષપણ, બાર અટ્ટમ, બસો અને ઓગણત્રીશ છઠ્ઠ, એક સર્વતોભદ્ર પ્રતિમાદસ દિવસના પ્રમાણની, એક મહાભદ્ર પ્રતિમા-ચાર દિવસના પ્રમાણની, એક ભદ્ર પ્રતિમા-બે દિવસના પ્રમાણની, ત્રણસો અને ઓગણપચાસ પારણાના દિવસ, અને એક દીક્ષાનો દિવસ. આ પ્રમાણે પ્રભુએ બાર વરસ અને છ માસ સુધી જે જે તપ કર્યાં તે સઘળાં જળરહિત જ કર્યાં. જધન્યમાં જધન્ય તપ છટ્ઠનો કર્યો, કોઇ પણ વખત એક વખત કરીને પારણું કર્યું નથી, શ્રીપ્રભુએ નિત્ય ભોજન તો કોઇ વખત કર્યું જ નથી. (તે સમસ્ત સંવર્Æ અંતરા વ૮માળH) આ પ્રમાણે તેરમા વરસની મધ્યમાં વર્તતા શ્રમણ ભગવાન્ મહાવીરને (ને સે ગાળું યુદ્ધે માસે) જે તે ગ્રીષ્મકાળનો બીજો મહિનો (ઘો પવવે-વસાહનુદ્ધે) અને ચોથું પખવાડિયું એટલે વૈશાખમાસનું શુક્લ પખવાડિયું, (તક્ષ્યાં વસાહસુઘĪ વસમીપવવેળું) તેની દશમી તિથિ, (પાળનામિળી છાયા) પૂર્વદિશા તરફ છાયા જતાં, (પોરિસી મિનિવિટ્ટા પમાળપત્તા) પ્રમાણ પ્રાપ્ત એટલે અન્ય્નાધિક પાછલી પોરસી થતાં, (મુળ્વપ્નવિવસે ગં) સુવ્રત નામના દિવસે, (વિનાં મુત્તે Ō) વિજય નામના મુહૂર્તમાં, (ઝમિયાનÆ નગર# વહિયા) જુભિંકાગ્રામ નામના નગરની બહાર,(ઝુવાશ્તિયા નğ તીરે) ૠજુવાલિકા નામની નદીને કાંઠે, (વેદ્યાવત્તક્સ હેવન બહૂ સામંતે) કોઈ વ્યંતરના જીર્ણ થઇ ગયેલા મંદિરથી બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવા સ્થાનકે, (HISH ગાવÄ Íસિ) શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં, (સાતપાવવર્સ બહે) શાલ નામના વૃક્ષની નીચે, (નોવોહિયા વડિયનિસિપ્નાર) ગાયને દોવા બેસીએ તેવા પ્રકારના ઉત્કટિક આસન બેસી (બચાવ આદ્યાવેમાળĂ) સૂર્યના તાપ વડે આતાપના લેતા છતાં (દેદ મત્તેનું અપાળાં) અને નિર્જલ છઠ્ઠ તપ વડે યુક્ત થયા છતાં પ્રભુને (ઘુત્તહિં નવવશેનું નોમનુવાળ- રળ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (જ્ઞાનંતરિયા વામાળĂ) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા, એટલે કે-શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે છેલ્લા બે ભેદમાં તો ચૌદમે ગુણઠાણે રહેલા કેવળીજ વર્તે છે, તેથી શુક્લ ધ્યાનના તે છેલ્લા બે ભેદમાં ન વર્તતા પ્રથમના બે ભેદમાં વર્તતા એવા શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. કેવા પ્રકારનું કેવળજ્ઞાન અને કેવળદર્શન?-(બળંતે) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, (અનુત્તì) અનુપમ, (નિવ્વાઘા) કોઇપણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવું (નિરાવરણે) સમસ્ત **⠀⠀⠀⠀⠀ 152 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy