SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ************ b qખૂણમ અ****** ધનદેવ નામને કોઈ વૈશ્ય પાંચસો ગાડી ભરીને નદી ઉતરતો હતો. નદીમાં કીચડ ઘણો હતો, તેથી તે ધનદેવની પાંચસો ગાડી કીચડમાં ખેંચી ગઈ. દરેક ગાડીએ જોડેલા બળદોએ ઘણું જોર કરવા છતાં કીચડમાં સખત ખેંચી ગયેલી ગાડીઓ બહાર નીકળી શકી નહિ. હવે તેમાં એક બળદ ઘણો જોરાવર ઉત્સાહી અને પાણીદાર હતો, તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, ગાડીની ડાબી ધોંસરીએ જોડાઇ, એક પછી એક કરી પાંચસો ગાડી કીચડમાંથી તે એકલાએ બહાર ખેચી કાઢી. પરંતુ હદ ઉપરાંત જોર કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા, તેથી તે બળદ અશક્ત થઇ ગયો. બળદને અશક્ત થયેલો જોઈ ધનદેવે નજીકમાં રહેલાં વર્ધમાન નામે ગામમાં જઇ ગામના અગ્રેસરોને બોલાવી તે બળદ સોંપ્યો, અને તે માટે ઘાસ-પાણી વિગેરેના પૈસા આપી ધનદેવ ચાલતો થયો. બળદના નિભાવ માટે દ્રવ્ય મળવા છતાં ગામના અગ્રેસરોએ બળદની સાર-સંભાળ ન કરી તેથી ભૂખ અને તરસથી પીડાયેલો તે બળદ અકામ નિર્જરા કરી મરીને વ્યંતર જાતિમાં શૂલપાણિ નામે યક્ષ થયો. તે યક્ષ જ્ઞાનથી પોતાના પૂર્વભવનો સંબંધ જાણી વર્ધમાન ગામ ઉપર અતિશય ક્રુદ્ધ થયો, તેથી તેણે તે ગામમાં મરકી ફેલાવી ઘણા માણસો મારી નાખ્યા. મરકીનો ઉપદ્રવ સખ્ત ફેલાવાથી માણસો એટલા બધા મરવા લાગ્યા કે, મડદાઓને બાળનાર પણ મળે નહિ, તેથી ગામના લોકો મડદાઓને અગ્નિ સંસ્કાર કર્યા વગર જ ગામ બહાર મૂકી દેવા લાગ્યા. આવી રીતે એમને એમ મડદા પડી રહેવાથી ત્યાં અસ્થિ એટલે હાડકાઓનો ઢગ થઇ ગયો, તેથી તે ગામનું નામ “અસ્થિકગ્રામ' એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ ગયું. હવે જે કોઈ થોડા માણસો જીવતા રહ્યા હતા, તેઓએ યક્ષની આરાધના કરી. યક્ષે પ્રત્યક્ષ થઇ લોકોને પોતાનું મંદિર અને પોતાની મૂર્તિ કરાવવા જણાવ્યું. મરકીના ઉપદ્રવની શાંતિ માટે ગામના લોકોએ તુરંત મંદિર કરાવી તે મંદિરની અંદર શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી, અને હમેશાં તે મૂર્તિની પૂજા કરવા લાગ્યા. કોઈ માણસ રાત્રિએ મંદિરમાં રહેતો તો તેને યક્ષ મારી નાખતો. હવે શ્રીમહાવીર પ્રભુએ મોરાક ગામથી વિહાર કરી તે યક્ષને પ્રતિબોધવા માટે-પહેલું ચાતુર્માસ તે શૂલપાણિ યક્ષના મંદિરમાં કર્યું. ભગવાન જ્યારે ત્યાં પધાર્યા ત્યારે ગામના લોકોએ પ્રભુને કહ્યું કે-“હે ભગવાન! આ યક્ષ રાત્રિએ પોતાના ચૈત્યમાં રહેલાને મારી નાખે છે, માટે આપ અન્ય સ્થળે પધારો'. આ પ્રમાણે લોકોએ કહેવા છતાં કરુણાળુ પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે તે જ ચૈત્યમાં રહેવા લોકો પાસેથી અનુમા માગી ત્યાં જ રાત્રિ રહ્યા. - હવે પ્રભુ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા, ત્યારે તે દુષ્ટયક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવો અટ્ટાહાસ કર્યો, છતાં ધ્યાનમગ્ન પ્રભુ નિશ્ચલ રહ્યા. વીર પ્રભુની ધીરતા દેખી યક્ષ વધારે ગુસ્સે થયો, તેથી અનુક્રમે હાથી, સર્પ અને પિશાચના રૂપ વિક્ર્વી પ્રભુને દુઃસહ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ તો જરા પણ ક્ષોભ ન પામ્યા. ત્યાર પછી તે યક્ષે પ્રભુને મસ્તક, કાન, નેત્ર, દાંત, પીઠ અને નખ, એ સાતે કોમળ અંગોમાં વિવિધ પ્રકારે એવી તો વેદના કરી, કે જે એક એક વેદના પણ બીજા મનુષ્યનો પ્રાણ હરી લે, છતાં જરા પણ કંપિત ન થયેલા પ્રભુને જોઇ, તે યક્ષ પ્રતિબોધ પામ્યો. આ વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવીને શૂલપાણિ યક્ષને હ્યું કે “અરે અભાગિયા! નીચ કૃત્યની ઈન્દ્રને ખબર પડશે તો તારું સ્થાન ફેંકી દેશે, અને તને રઝળતો કરી મૂકશે'. સિદ્ધાર્થનાં આવાં વચન સાંભળી શૂલપાણિ ભયવિહલ બની ગયો, પ્રભુના ચરણોમાં પડીને કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યો, અને પ્રભુને વધારે ને વધારે પૂજવા લાગ્યો. પ્રભુ આગળ મધુર સ્વરે ગાયન ગાવા લાગ્યો, અને વિવિધ પ્રકારે નાચવા લાગ્યો. યક્ષના મંદિરમાં થતું ગાયન અને નાચ સાંભળી ગામના લોકો વિચારવા લાગ્યા કે “યક્ષે તે મહાત્માને મારી નાખ્યા લાગે છે, તેથી ખુશી થયેલો યક્ષ ગાય છે અને નાચે છે. પ્રભુએ તે આખી રાત્રિના ચાર ** *** *** *** **130) અ * ******* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy