SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १४६६१९५१ श्रीकल्पसूत्रम् આખી રાત્રિ ચરી ફરતા ફરતા પાછા પ્રભુની પાસે પોતાની મેળે જ આવ્યા, અને સ્વસ્થ ચિત્તે વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલો ગોવાળીયો પણ ભટકી ભટકી ત્યાં આવ્યો, અને બળદોને બેઠેલા જોઇ તેણે વિચાર્યું કે, ‘અરે ! આને ખબર હતી, તો પણ મને નકામો આખી રાત્રિ ભટકાવ્યો!' એમ વિચારી ક્રોધથી બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દોડયો. આ સમયે શક્રેન્દ્રને વિચાર થયો કે, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં, એમ વિચારી અવધિજ્ઞાન વડે જોયું, ત્યાં તો પ્રભુને માર મારવા તૈયાર થયેલા ગોવાળિયાને જોયો. ઇન્દ્રે તે વૃત્તાંત જાણી તુરત ગોવાળિયાને થંભાવી દીધો, અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી ઇન્દ્ર પ્રભુને વંદન કરી વિનંતી કરી કે, ‘‘હે ભગવન્ આપને બાર વરસ સુધી ઘણાં ઉપસર્ગ થવાના છે, તેથી જો રજા આપો તો ત્યાં સુધી હું આપની પાસે સેવા કરવા રહ્યું’’. પ્રભુ કાઉસગ્ગા પાળીને બોલ્યા કે, ‘હે દેવેન્દ્ર! એવું કદાપિ થયું નથી, થતું નથી, તેમ થશે પણ નહિ કે, કોઇ પણ દેવેન્દ્ર અથવા અસુરેન્દ્રની સહાયથી તીર્થંકરો કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, અને સિદ્ધિપદને પામે. તીર્થંકરો કદાપિ પરસહાયની અપેક્ષા રાખતા નથી, તેઓ તો પોતાનાજ ઉદ્યમ, બળ, વીર્ય, પુરુષાતન તથા પરાક્રમથી કેવળજ્ઞાન મેળવે છે, અને મોક્ષે જાય છે’’. પ્રભુનાં આવાં વચન સાંભળી ઇન્દ્રને પ્રભુ સાથે રહેવાનો વિચાર બંધ રાખવો પડ્યો, અને પ્રભુને મરણાંત ઉપસર્ગ થાય તે અટકાવવા માટે બાળ તપસ્યાથી વ્યંતરજાતિમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માશીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખી ઇન્દ્ર પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી પ્રભુ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં ગયા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ‘મારે સપાત્ર ધર્મ પ્રરૂપવો, એટલે મારી પછી સાધુઓ પાત્રમાં આહાર કરે એમ સૂચના કરવા માટે પ્રભુએ પહેલું પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાનથી કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ ‘ગોવાનમ્’ એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, અને વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ, એ પાંચ દિવ્યો પ્રગટ થયાં. 2 . ત્યાંથી વિહાર કરતાં પ્રભુ મોરાક નામના સન્નિવેશમાં દૂઇજ્જત જાતિના તાપસોના આશ્રમે ગયા. આશ્રમમાં તાપસોનો કુળપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો, તે મળવા માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ પણ પૂર્વના અભ્યાસથી તેને મળવા હાથ પ્રસાર્યા. કુળપતિની પ્રાર્થનાથી પ્રભુ ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયેલા પ્રભુને કુળપતિએ વિનંતિ કરી કે-‘આપ આ એકાંત સ્થાનમાં વર્ષાકાળ નિર્ગમન કરજો’. જો કે પ્રભુ તો વીતરાગ હતા, પણ તેના આગ્રહથી ત્યાં ચોમાસું રહેવાનું કબૂલ કરી ત્યાંથી બીજી જગોએ વિહાર કરવા લાગ્યા. પ્રભુ ભિન્ન -ભિન્ન સ્થળે વિહાર કરી વર્ષાૠતુ ગાળવા માટે પાછા તે આશ્રમે પધાર્યા, અને પેલા કુળપિતએ આપેલી ધાસની એક ઝૂંપડીમાં રહ્યા, ત્યાં જગંલમાં ઘાસ ન હોવાથી ભૂખી થયેલી ગાયો તે તાપસોની ઝૂંપડીઓનું ઘાસ ખાવા દોડી આવતી, પણ તાપસો લાકડીઓ મારી તે ઘાસ ખાતી ગાયોને હાંકી કાઢી મૂકતા. તાપસોએ જ્યારે ગાયોને હાંકી મેલી, ત્યારે ગાયો જેમાં પ્રભુ રહેતા હતા તે ઝૂંપડીનાં ઘાસને નિઃશંક પણે ખાવા લાગી, છતાં પ્રતિમાસ્થ પ્રભુએ ઘાસ ખાતી ગાયોને જ્યારે ન હાંકી ત્યારે તે ઝૂંપડીના સ્વામી તાપસે કુળપતિ આગળ જઇ રાવ કરી. તેજ વખતે કુળપતિ પ્રભુ પાસે આવી કહેવા લાગ્યો કે -‘ હે વર્ધમાન! પંખીઓ પણ પોતપોતાના માળાનું રક્ષણ કરવા સાવધાન હોય છે, તમે તો રાજપુત્ર છો, છતાં શું પોતાના આશ્રયનું પણ રક્ષણ કરવા અસમર્થ છો?’’ સમભાવમગ્ન પ્રભુએ વિચાર કર્યો કે અહીં રહેવાથી આ તાપસોને અપ્રીતિ થશે, તેથી સકળ પ્રાણીનું હિત ઇચ્છતા માટે અહીં રહેવું નથી, એમ ચિંતવી પ્રભુએ આ પાંચ અભિગ્રહ ગ્રહણ કર્યા. જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહિ ૧, હમેશાં પ્રતિમા ધરીને રહેવું ૨, ગૃહસ્થનો વિનય ન કરવો ૩, Jain Education International 126 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy