SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् મમ આકાશમાં પૂર્ણિમાના નિર્મળ ચન્દ્રમા સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રિયના અને ઉત્તમ જાતિનાં ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છો, દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તમારી સ્તુતિ કરી છે, માટે હે પુત્ર! આ સંયમ માર્ગમાં સાવધાન થઈ ચાલજો, મહાત્માઓએ આચરેલા માર્ગનું આલંબન કરજો, તરવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજો, શ્રમણધર્મમાં પ્રમાદ ન કરજો’” ઇત્યાદિ કહીને પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક તરફ ખસી જાય છે. (ઓમુત્તા) ઉપર પ્રમાણે સર્વ પ્રકારના અલંકાર વિગેરે મૂકીને ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર (સવમેવ પંચમુાિં નોાં રેડ) પોતાની મેળે જ એક મુષ્ઠિ વડે દાઢો-મૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લોચ કરે છે. (રિત્તા) પંચમુષ્ટિ લોચ કરીને (છઠ્ઠેનું મત્તેનું અપાળાં) નિર્જળ છટ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (ત્યુત્તરાહિ નવવત્તેનું નોમુવાળું) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (f વેવદૂત્તમાવાવ) ઇન્દ્રે ડાબા ખભા પર સ્થાપન કરેલું એક દેવદૃષ્ય વસ્ર ગ્રહણ કરી ને (f) રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા એટલે રાગદ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાન મહાવીર કેવા?- (બીણ) અદ્વિતીય એવા, એટલેજેમ ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ છસો સાથે, અને બાકીના ઓગણીશ તીર્થકો હજાર હજાર સાથે દીક્ષિત થયા તેમ ભગવાન મહાવીર બીજા કોઈની સાથે દીક્ષિત થયા નહિ, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન્ મહાવીર (મુંડે મવિજ્ઞા) કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવા રૂપ ભાવથી મુન્ડ થઇને (રો) ગૃહવાસ થકી નીકળી (બળાતાં પae) અણગારપણાને એટલે સાધુપણાને પામ્યા. તેને વિધિ આ પ્રમાણે ઉપર કહ્યા મુજબ પંચમુષ્ટિ લોચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચ૨વા ઇચ્છા કરી ત્યારે ઇન્દ્રે વાજિંત્ર પ્રમુખનો કોલાહલ નિવારણ કર્યો. ત્યાર પછી પ્રભુએ ‘‘નમો સિદ્ધાણં' એ પ્રમાણે કહીને ‘“મિ સામા ં સર્વાં સાવનં નોમાં પન્દ્વવામિ ’' ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો, પણ ‘“મંતે’’ એ શબ્દ ન બોલ્યા, કારણ કે તીર્થંકરોનો એવો આચાર છે કે તેઓ સામાયિક ઉચ્ચરતાં ભંતે શબ્દ ન બોલે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચોથુ મનઃ પર્યજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને વંદન કરી નંદીશ્વર દ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ગયા.૧૧૬ ॥ पञ्चमं व्याख्यानं समाप्तम् ॥ Jain Education International 124 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy