________________
દાહ ન લાગે તે માટે કૃષ્ણે મહાન પ્રયત્ન કર્યા પરંતુ દ્વારકા બળીજ. કમ વાદી ના મતે સવ સૃષ્ટિ કર્માધીન છે જન્મથી કોઇ રક થાય તેા કોઈ રાજા, સુરુષ કુરુષ, સુભાગી—દુર્ભાગી થાય તે કમ થીજ થાય છે. જ્યારે ઉદ્યમ વાદી કહે છે કે સર્વ કા ઉદ્યમથીજ સિદ્ધ થાય છે.સ્વાદ્વાદના આધારે સમાધાન કરતાં જણાવ્યું છે કે યથાયાગ્ય પાંચેચ સમવાય મળેલા હોય ત્યારે કાર્ય થાય છે એકલા કાળ, કર્મ, નિયતિ કે ઉંદ્યમથી કાર્ય પૂર્ણ બનતું નથી.
નવમા ભાગમાં સમાવસરણ, અષ્ટમહાપ્રાતિહાર્ય, ક્ષુલ્લકભવ, સ્નેહકાય ચરમ--અચરમ, પતિ-અપરિત આદિ અનેક વિષયેાની ચર્ચા છે. તેમજ ભગવતીસૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રના આધારે વિવિધ વિષયેપર મહત્વપૂર્ણ ચર્ચા છે.
દશમાં ભાગમાં અન્ય કેટલાક લોકોની શંકા છે કે જૈન સાધુએ પહેલા માંસાહાર કરતાં તે શ ંકાનું સમાધાન અનેક પ્રમાણ દ્વારા કરેલ છે.એક શબ્દના અનેક અર્થોં થતાં હેાય છે. સૂત્રોનું રહસ્ય કે મમતા જાણનારા જ જાણી શકે. સૂત્રકારના અભિપ્રાયથી અજાણ, અર્ધદગ્ધના હાથમાં સૂત્રો જવાથી તે અં નો અનર્થાં કરી નાખે ત્તિના એટલે સરસવ, નાસા એટલે અડદ, જુહત્થા એટલે કળથી આ પ્રમાણે સિદ્ધાંતમાં શબ્દ પ્રયોગ છે પરંતુ કેટલાક આ રહસ્યને ન જાણનાર તેના વિપરીત અ કરે છે.
આ પ્રમાણે ઉત્તરાદ્ધના ૧૧ ભાગમાં વિવિધ વિષયે પર્ મહત્ત્વ પૂર્ણ ચર્ચા કરવામાં આવેલ છે સિદ્ધાંતના રઘુસ્યા ઉકેલવામાં આ ગ્રંથ ઘણેાજ ઉપયેગી થઇ શકે તેમ છે. આ ગ્રંથ દ્વારા જિજ્ઞાસુ પેાતાના સ’શયને દૂર કરી તત્ત્વનિણૅય સુધી પહોંચી શકે છે. ઇતિ અલમ
Jain Education International
ભદ્રા. પી. હેમાણી શ્રમણી વિદ્યાપીઠ
For Private & Personal Use Only
www.jainelibrary.org