SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. ઉત્તરાદ્ધ ભાગ ૨ જે પ્રશ્ન ૧ લુ-શિષ્ય-કેટલાક કહે છે કે –જૈનના સાધુની કરણી આચાર વિચાર વગેરે તમામ ધર્મના ત્યાગીઓથી ચડીઆતાં છે, પરંતુ એક બાબતમાં તેઓ પશ્ચાતું રહે છે. તેનું શું કારણ હશે ? ઉત્તર–કઈ બાબતમાં પશ્ચાતું રહે છે, તે ખુલ્લા શબ્દોમાં જણાવશે. પ્રશ્ન ૨ –બાબત તે એક એજ છે કે-જૈનના સાધુ ન્હાતા નથી, તદ્દન મલીન રહે છે, તેથી તે દુનીયાના ત્યાગીઓની અપેક્ષાએ અપવાદમાં ગણાય છે. માટે તે વિષે જૈન શાસ્ત્રથી તથા અન્ય શાસ્ત્રથી ખુલાસો થવો જોઈએ. ઉત્તર– જૈનના સાધુ બીજા તમામ ત્યાગીએથી ક્રિયાકાંડમાં ચડીઆતા મનાતા હોય તો આ (નહિ ન્હાવાની) ક્રિયા અપવાદમાં કેમ આવે ? તે ક્રિયા પણ ચડીઆતી જ હેવી જોઈએ. જે ત્યાગીઓમાં તફાવત તો ત્યાગમાં પણ તફાવત અને ત્યાગમાં તફાવત તો ક્રિયાકાંડમાં પણ તફાવત એ બધે તફાવત અહિને અંગે છે. પણ મુક્તિ માર્ગમાં તફાવત નથી. મુક્તિને માગે ચાલવાવાળાને માટે તે એકજ રસ્તે છે, અને તે રસ્તો પણ નષભદેવ ભગવાનથી માંડી મહાવીર પરમાત્મા સુધીના તમામ તીર્થંકર મહારાજનું એક જ વાક્ય છે કે -- जस्साए किरइ नागाभावे मुंडभावे अन्हाणयं अदंतधुवणयं अच्छतयं अणोवाहणयं भूमिसेज्जा फलहसेज्जा कसेआ केसलोओबंभचेरवासो परघरम्पवेसो लद्धावलद्धी उच्चश्या गामकंटया बाबीसं परीसहोवसग्गा अहियासिज्जइ तम आराहेइ जाव सब दुख्कप्पहीणे ।। એટલે જે ત્યાગીઓએ મોક્ષને અર્થે કરવાનું હતું તે કરીને મોક્ષગતિ પ્રાપ્ત થયા. તે મેક્ષના સાધનને માટે સ્નાનની આવશ્યકતા બીલકુલ નથી, આ વાત સિદ્ધ થઈ. જૈનના સાધુ જે મોક્ષના સાધનને માટે ન્હાતા ન હોય તે પછી પ્રશ્નકારને શું કહેવા માગું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy