SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ મુનિએ ચક્રવતિ પ્રમુખ ક્ષત્રિય, રાજાઓ, ઠાકર, સરદારે, કે રાજવંશી લેકે, જેઓ શહેરમાં કે શહેર બાહેર રહેતા હોય યા રસ્તે પ્રયાણ કરતા હોય તેમને ત્યાંથી નિમંત્રણ છતાં યા નહિ છતાં આહાર ગ્રહણ ન કરે. (પ૬૦) આ પણ રાજપિંડ સાધુને સેવે ન કપે. ત્રીજે ભાગે-રાજાને અભિષેક થતો હોય તે અર્થે આહાર નિષ્પન્ન થતું હોય તે પણ રાજપિંડ સાધુને લેવે ન કપે. ચોથે ભાગે-દશ વૈકાલિકમાં રાજપિંડના અર્થમાં રાજા ચક્રવર્તિ વાસુદેવાદિકને જમવાને અર્થે કીધે તે આહાર પણ રાજપિંડ કહ્યો એ બલિઇ આહાર મહાવીરના સાધુને તે કલ્પ નહિ, પણ વચલા તિર્થંકરના સાધુને લેવે નિષદ્ધ જણાતું નથી. કારણકે તેમનાથ ભગવાનના સાધુ છે અણગારે શ્રીકૃષ્ણ મહારાજને જમવાનાં સિંહકેશરીઆ લાડુ વહાર્યા છે. આ અપેક્ષાએ અનાચી રાજપિંડ મહા વિગય કરે છે. અને મદિરા માંસાદિક મહા વિગય સર્વ તિર્થંકરના સાધુને નિષેઘજ હોય, કારણકે તે ચારે મદિરા, માંસ, મધ અને માખણ. મહા વિકાસના કરવાવાળા માટે નવા વિષયમાં ચાર મહા વિગય પ્રધાન વિગય હોવાથી તેને રાજપિંડમાં ગણેલ છે. હવે નવ વિગય કઈ કહી છે તે જણાવે છે. ઠાણાંગજીના નવમાં હાણને વિષે નવવિગય કહી છે, નવિનયી vમાતંગદા વાં, દંર, જવાં રૂ, gિ 8, તિ , ૬, મંદ ૭, મદ્ ૮, પં . એ નવમે ઠાણે નવ વિગય કહી. તે મથે ચાર વિગય તે મહા વિગય તે મદિરા ૧, માંસ ૨, મધુ ૩, ને માખણ ૪. તે મહા વિગય તે મહા વિકૃતિ મહાવિકારની કારણહારી તે માટે ન લેવી. વલી મદિરા માંસ સહિત ચાર વિગય કહી તેણે કરીને મહા વિગય માટે રાજપિંડ તે માટે તે પણ અગ્રાહ્યા-અનાચીણ. વળી બીજા પણ અવગુણ હશે તે તે વિતરાગ જાણે. પણ આ ચાર વસ્તુને નિદ્ધ જણાય છે. પ્રશ્ન ૧૦૨ મું–માંસના નિષદ્ધની તે પુષ્કળ વ્યાખ્યા કહી તેમ મદિરાના નિષદ્ધ વિષે સૂત્રમાં કાંઈ જણાવ્યું છે. ઉત્તર–સૂત્રમાં જ્યાં જ્યાં માંસને નિષદ્ધ ચાલે છે ત્યાં સાથે મદિરાને પણ નિષેધ કર્યો છે. અને મદિરા ન પીવા માટે સાધુને ને બોધ શ્રી દશવૈકાલિક સૂત્રના (૫) માં અધ્યયનના બીજા ઉદેશાની ૩૮ મી ગાથાથી ૪૩ મી ગાથા સુધીમાં આપેલ છે. તે નીચે પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy