SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કરી તે પદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના ઉપાય દર્શાવેલ છે. સિદ્ધનું વર્ણન કરતાં પૂજ્ય શ્રી એ અન્ય દનીઓના નિરાસ કરેલ છે. સુખ-દુઃખ, સૃષ્ટિ, કલ્યાણના કાં ઇશ્વર છે તેવી અન્ય તીર્થિકોની માન્યતા છે તેના નિષેધ કરતાં ‘આપણુ કલ્યાણ આપણેજ કરવા શક્તિમાન છીએ’ તેમ જણાવી અનેકાંતવાદના આધારે કોઇક અપેક્ષાએ સિદ્ધ પણ કલ્યાણ કરે છે તે દર્શાવેલ છે જેમ-‘તેમના ધ્યાનથી આપણા આત્મા નિવૃત્તિ પામે છે, જેમ અગ્નિને તાપ દૂર હૈાવા છતાં ટાર્ડને દૂર કરી મનુષ્યને સુખ અર્પે છે તેમ સાત રાજુ દૂર રહેવા છતાં સિદ્ધ પરમાત્માના નામ સ્મરણથી પાપસમૂહ નાશ થાય તેમાંશુ‘ આશ્ચય ?’ સાધુના અનાચી નું વર્ણન કરતાં બીજા ભાગમાં અસ્નાનવ્રતનું મહત્ત્વ સૂચવતા કહે છે કે સાધુ માટે સ્નાન અને વિભૂષા ત્યાજય છે. કારણકે સ્નાન કામ અને મદને દીપ્ત કરે છે. સ્નાન તે કામાંગામાં પ્રથમ અગે છે માટે ક્રમેન્દ્રિય સાધકોએ સ્નાન કરવું ન જોઇએ. જળના અસંખ્ય જીવની વિરાધના ન થાય માટે પણ સ્નાનનો નિષેધ છે. જળસ્પર્શથી મોક્ષ થાય છે તેવી અન્યયૂથિકોની માન્યતાનું ખંડન કરતાં કહે છે કે જો જળસ્પથી મોક્ષ થતા હોય તા મત્સ્ય, મગર, માચ્છીમાર ના પણ મોક્ષ થવા જોઇએ. આત્મશુદ્ધિ પાણીથી નહીં પર'તુ સંયમથીજ છે તે વાત તેમનાજ સિદ્ધાંત દ્વારા સિદ્ધ કરેલ છે જેમકે " आत्मानदी संयम तोयपूर्णा, सत्या दहा शील तहादयोर्मि : । तत्राभिषेक कुरु पांडुपुत्राः, न वारिणा शुद्धयति चांतरात्मा || મહાભારત તદુપરાંત અગ્નિપથી-યજ્ઞયાગાદિ થી પણ મેક્ષ નથી તે વાત અનેક દૃષ્ટાંત દ્વારા સિદ્ધ કરેલ છે. વ્યાકરણ ભણવાથી ભાષાજ્ઞાન અને શબ્દ જ્ઞાન થાય, ઉચ્ચારણ શુદ્ધિ થાય પરંતુ ભાષા શુદ્ધિ નથી થતી તે વાત તૃતીય ભાગમાં જણાવેલ છે. નિવદ્ય, દ્વિ-કારી, પ્રિયકારી, અકક શકારી, યથાતથ્ય વસ્તુને નિરુપનાર ભાષાજ ભાષાશુદ્ધિ માં સમાવિષ્ટ થાય. ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, ભયથી ખેલાતી ભાષા અસત્ય જ છે સાધકે સ્વસમયનું જ્ઞાન મેળવ્યા પછીજ વ્યાકરણાદિ જ્ઞાન મેળવવુ જોઇએ અન્યથા અભિમાન વધવાનો સંભવ છે. ૪ પ્રકારની ભાષા ૧) સત્ય ભાષા ૨) અસત્ય ભાષા ૩) વ્યવહાર ભાષા ૪) મિશ્રભાષાનું સ્વરુપ નિદર્શન કરી સાધકને સત્ય અને વ્યવહાર ભાષાજ ખેલવા યેાગ્ય જણાવી છે. દૂક લોકોકિત સત્ય જ હેાય તેમ નથી તે પૂરવાર કરતાં કહ્યુ` છે કે- કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy