________________
પ્રસ્તાવના
संसयं परिआणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरियाणओ સંer પરના મg -આચારાંગ સૂત્ર.
જે સંશય-જિજ્ઞાસાને જાણે છે તે સંસારના સ્વરુપને જણે છે, જે જિજ્ઞાસાને નથી જાણત તે સંસારના સ્વરુપને પણ નથી જાણતે. જાણવાની ઇચ્છા તે જિજ્ઞાસા. જ્યારે વસ્તુના સ્વરુપને ઓળખવાની તમન્ના જાગૃત થાય છે ત્યારેજ તવિષયક પુરુષાર્થ જાગૃત થાય છે માટે જિજ્ઞાસાજ જ્ઞાનનું કારણ છે. જિજ્ઞાસા ઉત્પન્ન થયા પછી
જ્યાં સુધીની નિર્ણય ન થાય ત્યાંસુધીની મધ્ય સ્થિતિને સંશય કહે છેસંશય પછી નિર્ણય અવશ્ય થવો જોઈએ. જે સંશય પછી નિર્ણય ન થાય તે સંશય ત્યાજ્ય છે. આત્મશાંતિને બાધક છે માટે જ કહેવાય છે “સંગમાં વિનરાતિ” જે સંશય પછી તત્વ નિર્ણય થાય તે સંશયજ જ્ઞાન સાધક છે.
જ્યાં સુધી પદાર્થ વિષયક સંશય ન થાય ત્યાં સુધી પ્રશ્ન ન થાય અને પ્રશ્ન વિના ઉત્તર સંભવિત નથી. એ રીતે તે વિષયક અજ્ઞાન જ રહે. ગૌતમ ગણધર પણ સંશયના કારણે જ સંસારના દષ્ટ બન્યા. ગૌતમ માટે શાસ્ત્રકારોએ વિશેષ લગ્યાડયા. છે-“નાર સંay, સંનીય સંay, 3gpur સંag, gogo રાણ” આ પ્રમાણે સંશય થતાં ભગવાન મહાવીર ને સંશયનું નિવારણ કરવા પ્રશ્ન પૂછતાં અને ઉત્તર પ્રાપ્ત કરતાં.
આ પ્રશ્નોત્તર મહિનમાળા માં પણ અનેક જિજ્ઞાસુ એ તત્ત્વના નિર્ણય માટે પૂ. મોહનલાલજી મહારાજ સાહેબને પ્રશ્ન કરેલ અને પૂજ્ય મહારાજ શ્રી એ સમાધાન કરેલ તે પ્રશ્નોત્તરનું સંકલન કરી અન્ય જિજ્ઞાસુઓને પણ ઉપયોગી થાય તે હેતુથી બે ભાગમાં પ્રકાશીત થયેલ છે. આ પુસ્તકની આ બીજી આવૃત્તિ જ તેનું મહત્ત્વ સૂચવે છે. ઉત્તરાદ્ધને ૧૧ ભાગમાં સિદ્ધાંતના અનેક વિષય પર વિશદ્ ચર્ચા કરી સૂત્રોના ગૂઠાને પ્રગટ કરેલ છે. ગુપ્ત એવા અનેક રત્ન ઉપર પ્રકાશ પાડેલ છે.
આવા અમૂલ્ય રત્નોને લાભ તે તેજ મેળવી શકે છે આ ગ્રંથને સગે પાંગ અભ્યાસ કરે. છતાં પણ આપણે આ પ્રસ્તાવના દ્વારા વિહંગાવલોકન કરીએ. ગ્રંથકારે પ્રથમ ભાગમાં પંચ પરમેષ્ઠીનું તેમના સ્વરૂપનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org