________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા.
નથન ઉત્તરાદ્ધ ભાગ ૧૦ મે.
પ્રશ્ન ૧ લું–શિષ્ય-કઈ કોઈ લોકો એવી શંકાઓ કરે છે કેજૈન સૂત્રોમાં એવા લેખે છે કે-જૈનના સાધુઓ આગળ માંસાહારી હતા. હમણું છે કે તે પ્રવૃત્તિ નથી પણ કેટલાક સૂત્રના પાઠ ઉપરથી એમ જણાય છે કે કેમ જાણે જૈનના સાધુઓને તે ખાવાની છુટ આપી હોય, એમ વાંચનારાઓને શંકા ઉભવે એવું કોઈ કારણ છે ખરું?
ઉત્તર–હે ભાઈ ! જેને સૂત્રના પાઠની તે અનેક ઘટના છે. તેનું રહસ્ય કે મર્મ તે જાણનારાજ જાણી શકે; પરંતુ સૂત્રકારને અભિપ્રાય જાણ્યા વિના સૂત્રના અજાણ અને અર્ધદગ્ધ-અધકચરા અથવા નાસ્તિકે કે અશ્રદ્ધાળુના હાથમાં સૂત્રો જવાથી તેઓનાં વાંચવામાં એવા શબ્દ આવે કે તેઓ અને અનર્થ કરી નાખે. પણ સાધુને આચાર વહેવાર કે તેના કલ્પ અકલ્પનું સ્વરૂપ જાણ્યા વિના–જન ધર્મ અને તેમના સૂત્ર અને તત્વજ્ઞાનનું રહસ્ય સમજ્યા વિના માત્ર પાઠ વાંચતાંજ હેતુ કારણને વિચાર કર્યા વિના માત્ર પિતાની જ બુદ્ધિને આગળ દોડાવી એકદમ અભિપ્રાય આપવા હિંમત ધરાવે અને બોલી ઉઠે કે–આગળના સાધુઓ માંસાહારી હતા, એમ કેટલાક ઈગ્લિશ જ્ઞાનવાળા-ગુરૂ ગમ્ય વિના, માત્ર અંગ્રેજી તરજુમા ઉપરથી પોતાની માન્યતા સિદ્ધ કરી બતાવે. પણ એમ જાણતા નથી કે-જૈનના સાધુને તે માત્ર એકે દ્રિયના અચેત પુદુગળને જ આહાર છે.
પ્રશ્ન ૨ જ—એ કેઈ દાખલે છે કે જૈન સાધુઓ એકેદ્રિયના અચેત પુગળને જ આહાર કરે છે ?
ઉત્તર–ભગવતીજી સ ર જે-ઉ૦ ૧ લે-મારૂ નો જે-એકે દ્રિયના મડાને આહાર કરવાવાળા એવા નિર્ચથ-જૈનના સાધુ એટલે નિર્જીવ થયેલા એકેદ્રિયના જે પુગળ-શાક-ભાજી-પાલા-અનાજ વગેરે રંધાએલા ગૃહસ્થને અર્થે બનેલા જે આહારદિક તે એકેદ્રિયના પુગળ-તે એકેદ્રિયના મડા કહેવાય. તેવા નિર્દોષ આહારને કરવાવાળા નહિ કે મનુષ્યાદિકના મડદાના ભક્ષી. મનુષાદિકના મડાને અંતર મુહૂર્તને આંતરે અડવાને પણ જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org