SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રશ્ન ૪૩ મુ—કઇ અપેક્ષાએ સર્વ જીવનુ સરખાપણું મનાય ? તે ન્યાય યુકત જણાવશે ? ઉત્તર—અસંખ્યાત પ્રદેશમય જીવદ્રવ્ય (દ્રવ્યઆત્મા ) સજીવના સરખા છે. તે દ્રવ્ય આત્મા કેવળ સ્વરૂપી છે એમ કહી શકાય. કેવળ નામ સ'પૂર્ણ', કેવળ નામ કેવળજ્ઞાન, કેવળ નામ નિઃકેવળ-એકજ સ્વરૂપ. એમ કેવળના ત્રણ ભેદ થાય છે. તે દ્રવ્ય આત્મા તમામ જીવના પહેલે ને ત્રીજે ભાંગે સરખા છે, બીજો ભાંગા દ્રવ્ય આત્માની ઋદ્ધિના છે. પ્રશ્ન ૪૪ સુ′′——કોઇ એમ કહે કે-એ ત્રણે ભાંગે તમામ જીવ હેય એમ કહેવાને શે! વાંધા છે? ઋદ્ધિએ તમામ જીવ સરખા છે. ઉત્તર——જો ઋદ્ધિએ તમામ જીવ સરખા હૈયતા સિદ્ધને કેવળ જ્ઞાનને કેવળ દર્શન કહ્યાં છે તે પ્રમાણે અભવ્ય જીવને નહિ કહેતાં માત્ર અજ્ઞાનજ કહેલ છે, તેનું શુ કારણ ? માટે વિચારો કે સવ જીવના દ્રવ્ય આત્મા સરખા છે, તમામના અસંખ્યાતા પ્રદેશ પણ સરખા છે. અને ઋદ્ધિમાં તફાવત છે. માટે ત્રણ ભેદ સર્વાં જીવની વહેંચણુ થતાં ભવ્યજીવ અભવ્ય જીવ અને સિદ્ધના જીવ એમ ત્રણ ભેદ અનંત જ્ઞાની પુરૂષ પાડયા તે સૂત્રમાં દાખલ થયા, માટે ત્રણે ભેદના જીવમાં જ્ઞાન અજ્ઞાનના પા પણ ભિન્ન ભિન્ન રીતે જ્યાં જેને ઘટે ત્યાં સૂત્રદ્વારા સમજાવ્યા છે. અહિંયાં એક રહસ્ય રહેલ છે કે-તે સમદૃષ્ટિથી શ્રેાતાજનાએ સમજવાના છે. પ્રશ્ન ૪૫ મું-એ રહસ્ય શું છે તે તે જણાવે ? ઉત્તર-—સાંભળે,--ભગવતીજીના શતક ૩ જે-ઉદેશે પહેલે તામલી તાપસ છઠના પારણાના કરનાર સૂત્રમાં જેની પ્રણામ પ્રવાં કહી છે. સાડ હજાર વર્ષ સુધી છઠને પારણે એકવીશ વાર રાધેલા ચાખાને પાણીમાં એળી રવિનાના ચાખાના કુચાનું પારણું કરી તેના ઉપર છ તપ કરતાં જીદગીને તે પાદોષગમન સુથારા કરી સૂતા ત્યાંસુધી બળતપસ્વી કહીને સૂત્રમાં લાવ્યા છે તેનું શું કારણ ? તે જાણવુ જોઇએ. પ્રશ્ન ૪૬ મું—ત્યારે કોઇ કહે કે-તેનુ કારણ એમ હેવુ જોઇએ કે–તેની કરણી મિથ્યાત્વના ઘરની હતી, કાચા પાણીથી ચાખા ધાતા, નદીના પાણીમાં સ્નાન કરતા વગેરે કેટલીક ક્રિયા મિથ્યાત્વની કરણીને અનુસરતી હેવાને લીધે તેને ખાળતપસ્વી કહ્યો હોય એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy