________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા,
ભં ઉત્તરાદ્ધ ભાગ ૬ ઠા.
wwww
પ્રશ્ન ૧ લું—શિષ્ય-શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૯ મા અધ્યયનની ૪૪ મી ગાથામાં કહ્યુ છે કે–માસ માસખમણના પારણાના કરનાર બાળ ( અજ્ઞાની ) ડાભની અણી ઉપર રહે તેટલુ જમે તેાપણુ શ્રુત આખ્યાત ધમની સોળમી કળાએ આવે નહિ. તે સોળસી કળા કઇ? અને સાળ કળાનુ સ્વરૂપ શી રીતે છે તે કૃપા કરીને જણાવશે ?
ઉત્તર-અહે ભદ્રિક–મહાનુભાવ ! ! ! આ પ્રશ્ન ઘણું ગહન છે, આમાં ઘણાં રહસ્યા રહેલાં છે, અને વિદ્વાન જનાને પણ એકદમ સમજવું બહુજ મુશ્કેલ છે, તાપણુ જેટલું મારા જેવામાં, વાંચવામાં, વિચારવામાં અને જાણવામાં આવ્યું છે તે તારી પાસે રજુ કરૂ છું. જે આ એક બાબત ખરી રીતે સમજવામાં આવશે તે ઘણા પ્રશ્નકારોના ખુલાસાનુ સમાધાન આ સાથેજ થઇ જવા ધાર્ં છું.
શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના અધ્યયન ૯ મામાં શ્રુત આખ્યાત ધની સોળ કળા કહી તેા શ્રુત આખ્યાત ધમ તે સમક્તિ ધર્મ કહેવાય તે સમિતિ ધર્માંની સોળ કળા છે.
પ્રશ્ન ર્ જી—તે સોળ કળા કઈ ?
ઉત્તર—મારા ધર્મગુરૂ, ધર્માચાર્ય, મહાન પત્તિ, પરમપૂજ્ય શ્રી ગેપાળજી સ્વામીની હાથપોથીમાંથી પોતાના હસ્ત લિખિત અક્ષરનું સૂત્ર આખ્યાત ધનુ લખેલ પાનુ. શ્રી વિમળનાથ ભગવાનના સ્તવનનુ મળી આવવાથી મારી પોતાની કેટલીક શકાઓનું સમાધાન થઇ ગયું. અને મને પણ ખાત્રીજ છે કે આ સોળકળાનુ રવરૂપ જેના જાણવામાં આવશે તેની કેટલીક શ’કાનુ સમાધાન થઇ જશે એમ આશા રાખુ છુ.
પ્રશ્ન ૩ જુ——શ્રી વિમળનાથ ભગનવાના સ્તવનમાં જે સાળ કળા જણાવી છે તે સ્તવન સહિત જણાવશે ?
ઉત્તર—સાંભળે-જે પ્રમાણે પાનામાં લખ્યુ છે, તે પ્રમાણે અહિયાં દાખલ કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org