________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા.
નથજથ ઉત્તરા ભાગ ૪ થે.
પ્રશ્ન ૧ લું–શિષ્ય-અહ ગુરૂ દેવ ! આપણું આચારાંગાદિ સૂત્રો કઈ ભાષામાં હશે ?
ઉત્તર–ગુરૂ કહે-આ તારો પ્રશ્ન અતિ ગંભીર છે, પરંતુ તે જ્યારે તે બાબત જાણવાનો પ્રશ્ન કર્યો ત્યારે તે વિષે તને કાંઈ પણ ઉત્તર આપ જાઈએ માટે સાંભળ.
એક વખત આગળ ઉપર મારા વાંચવામાં “જૈન હિતેચ્છું” પુસ્તક ૬ ઠ્ઠાને અંક ૪ થે આવ્યું હતું તેમાં તે વિષયની ચર્ચાનું લખાણ હતું ખરું, તેમાં એમ જણાવ્યું હતું કે–જેન સૂત્રની ભાષા પ્રાકૃત છે. તે સાબીત કરવાને મહા નિશિથ સૂત્રની સાખ આપી એક શ્લેક મૂક હતા. તે તને જણાવ્યું છે, સાંભળ.
बाल स्त्री मंद मूर्खाणां, नृणां चारित्र कांक्षिणां, अनुग्रहार्थ तत्त्वज्ञैः, सिद्धांतः प्राकृतः कृतः.
પ્રશ્ન ૨ જુ-શિષ્ય-મહા નિશિથ સૂત્રની એવી ભાષા હશે ? કેમકે ઉપરને શ્લેક તે સંસ્કૃત ભાષા જે સમજાય છે. અને મહા નિશિથની ભાષા સંસ્કૃત સમજતી નથી માટે શું સમજવું ?
ઉત્તર–ગુરૂ-તારા કહેવા પ્રમાણે મને પણ સમજાય છે ખરું, પણ તેની તપાસ કરતાં “શ્રાવક” ચેપનીયાના પહેલા પુસ્તકના અંક ૯મામાં સાખ આપનાર પિતે જણાવે છે કે-સદરહુ કલેક એક વિદ્વાને કહ્યો છે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે, એ શ્લોક કેઇએ કલ્પિત કર્યો છે એમ જણાય છે. માટે એ લેક ઉપર આધાર રાખી સૂત્રની ભાષા પ્રાકૃત માની શકાય નહિ.
પ્રશ્ન ૩ જી --શિષ્ય-કલ્યાણ મંદિર તેત્રાકત્તા સિદ્ધસેન જેવા વિદ્વાનેએ પણ સૂત્રની ભાષા પ્રાકૃત કહી છે, અને પ્રાકૃત ભાષાનાં સૂત્ર હેવાથી તેણે સંસ્કૃત ભાષામાં સૂત્ર રચવાને ધારણ કરેલી તે કેમ?
ઉત્તર–ગુરૂ કહે-તે વાત કેટલાક લેખ વાંચતાં જણાય છે ખરી, પરંતુ તે અભિપ્રાય સિદ્ધસેને તેમના ગુરુ પાસે પ્રકટ કરવાથી તેમના ગુરૂએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org