SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ ૩ જે. પ્રશ્ન ૧–શ્રી ઠાણાંગ સૂત્રમાં નવમે ઠાણે નવ પ્રકારે પુણ્ય કહ્યું એટલે પુણ્ય ઉપરાજવાના નવ ભેદ કહ્યા તે નવ કયા? અને કેવી રીતે જીવ પુણ્ય ઉપરાજે તે સવિસ્તર જણાવશે ? - ઉત્તર-હા, સાંભળે. પહેલું અન્ન -અન્ન આપવાથી પુણ્ય થાય ૧, બીજું પાણપુને-પાણી આપવાથી પુણ્ય કહ્યું છે. ત્રીજી લયણ પુને જગ્યાનું આપવું ૩, ચોથું સયણ પંને–આસન શયનાદિનું આપવું ૪, પાંચમું વત્થ પન્ન–શતકાળે વસ્ત્રનું દેવું ૫, છ મન પુને-મને કરી પરજીવનું રૂડું ચિંતવવું તથા ગુણવંત જવને દેખીને હર્ષ આણ, ધર્મના મને રથ કરવા. ભગવતી સૂત્રે ગર્ભને અધિકાર ધર્મ મેક્ષની અભિલાષા કરતા દેવતા થાય છે. એમ મને કરીને પણ પુણ્ય ઉપરાજે છે ૬, સાતમું વચન પુને–શાતા સમાધિનાં વચન બેલે તે પુણ્ય ઉપરાજે. ૭, આઠમું કાય પુને-કાયાએ કરી પરજીવને ઉગાર; હાથીના ભવે સસલે ઉગાર્યો ઇત્યાદિક કાય પુને ૮, નવમું નમસ્કાર પુને-માતા પિતાદિક વડે ઉપકારીને નમવારૂપ ૯, એ નવ ભેદ પુન્ય ઉપરાજવાના કહ્યા. પ્રશ્ન ૨–એ નવ પ્રકારનાં પુન્ય કઈ ગતિમાં ઉપરાઇ શકાય ? ઉત્તર--ઘણું કરીને પ્રાયે મનુષ્ય આશ્રી જણાય છે, તે પણ સ્વભાવે પ્રકૃતિના ભદ્રિક, વિનીત, શ્રદ્ધાળું જ હોય છે તે જીવ પુણ્યની ઉપરાજ કરી શકે છે. તથા બીજા જીવ પણ પ્રાણી ભૂત જીવાદિકની અનુકંપાદિકે કરી શાતા વેદનીયના બંધરૂપ પુણ્ય ઉપરાજે છે, તથા અકામ નિર્જરાથી પણ પુણ્ય ઉપરાજે છે, તેમજ વળી તપ સંસામાદિ કિયાદિ પણ સહેજે તીર્થ કરાદિક પદ પામવાની પુણ્ય પ્રકૃતિ નીપજાવી શકે છે. પ્રશ્ન ૩–પુણ્યથી શું લાભ પ્રાપ્ત થાય છે ? ઉત્તર--પુણ્ય તે આત્માને પવિત્ર કરે, નિર્મળ કરે, સુખી કરે, ઉચે આણે, ધર્મ સામગ્રી મેળવે, જેનાં ફળ જીવને જોગવતાં મીઠાં લાગે તેને પુણ્ય કહીએ. તે દૃષ્ટતે કરી સમજાવે છે. જેમ રેગીને પથ્ય આહાર વધે અને અપથ્ય આહાર ઘટે તે વારે જીવને રોગીપણું ઘટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy