________________
પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૭૧
સોમેશ્વરની સૂક્તિએ ૭૬. વસ્તુપાળ સાથેના સંમેશ્વરના સંપર્કને લગતાં અનેક કથાનકે, ટુચકાઓ અને ઉલ્લેખો પ્રબન્ધમાં મળે છે. આ સર્વને શબ્દશઃ સાચા આપણે ન ગણીએ, તોપણ સૂક્ષ્મ પરીક્ષા કરતાં એના મૂળમાં ઐતિહાસિક તથ્ય હાય એમ જણાય છે. આવા સંખ્યાબંધ ઉલ્લેખો હું ભેગા કરી શક્યો છું, પણ એમાંથી કેટલાક મહત્વના અને રસિક ઉલ્લેખો માત્ર અહીં ઉતારું છું.
એક વાર વર્ષાઋતુમાં વસ્તુપાળ અને સેમેશ્વર ખંભાતના બંદર ઉપર ગયા હતા. પરદેશમાંથી આયાત કરેલા ઘડાઓને એ સમયે વહાણમાંથી ઉતારવામાં આવતા હતા.૨૨ સમુદ્ર શાન્ત હતો. વસ્તુપાળ ઘડા સામે જોયું અને સેમેશ્વર સમક્ષ નીચેની સમરયા રજૂ કરી
पावृट्काले पयोराशिः कथं गर्जितवर्जितः । એટલે સોમેશ્વરે તુરત જ એની પૂર્તિ કરી કે–
अन्तःसुप्तजगन्नाथनिद्राभलभयादिव ॥ આ સાંભળીને વરતુપાળે સેમેશ્વરને સોળ ઘોડા ઈનામમાં આપ્યા.૨૩
એક વાર સાહિત્યમંડળના કવિપંડિત એકત્ર થયા હતા. વસ્તુપાળ અને તેજપાળ પણ હાજર હતા. ત્યાં એક સમસ્યા રજૂ કરવામાં આવી– રવિ ઉર્જા રા મેન્ટર 1 સેમેશ્વરે તુરત જ એક શ્લોક ર અને સમસ્યાના અસંબદ્ધ લાગતા અર્થોની પૂર્તિ કરી–
येनागच्छन ममाख्यातो येनानीतश्च मे पतिः । प्रथमः सखि कः पूज्यः काकः किं वा क्रमेलकः ॥
આ શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ વસ્તુપાળ સંમેશ્વરને સોળ હજાર કન્મ આપ્યા.૨૪
એક વાર સેમેશ્વર વરતુપાળના મહાલયમાં આવ્યો ત્યારે એને આસન આપવામાં આવ્યું, પણ તે બેઠે નહિ. આનું કારણ પૂછવામાં આવતાં સેમેશ્વરે નીચેના શ્લોક કહ્યો
૨૨. અરબસ્તાન અને બીજા દેશોમાંથી ઊંચી જાતના ઘોડા ભારતમાં આયાત થતા એ જાણીતું છે (બુક, પુ. ૯૦, પૃ. ૧૫-૯૬ ). ભારતના પશ્ચિમ કિનારા ઉપરનાં નગરમાં આરબ વેપારીઓનાં સંસ્થાને હતાં. સદીક અથવા સઈદ આવો કઈ સમૃદ્ધ વેપારી હશે (જુઓ પેરા ૫૯).
૨૩. કે, પૃ. ૧૨૧; વચ. ૭- ક ૩૭૭ થી ૩૮૪ ૨૪. એ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org