________________
પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને કલાના આશ્રયદાતાને સાહિત્યકાર [૪૯ ૧૨૪૭ અને ૧૨૫૪ ની વચ્ચે થયું હતું. વસ્તુપાલચરિત ’ અનુસાર તેજપાળનું મરણ વસ્તુપાળના મરણ પછી દસ વર્ષે થયું હતું, અને ‘ પ્રબન્ધકાશ ’માં તેજપાળના મરણનું વર્ષ સ. ૧૩૦૮ (ઈ. સ. ૧૨પર) આપ્યું છે.
આ પ્રમાણે, સ’. ૧૩૦૬ ( વસ્તુપાળના મરણનું વર્ષ સ. ૧૨૯૬ + ૧૦ વર્ષ = સં. ૧૭૬ ઈ. સ. ૧૨૫૦), સ. ૧૩૦૮ (=ઈ. સ. ૧૨૫૨) અથવા સ. ૧૩૦૪ ( = ઈ. સ. ૧૨૪૮; એક તાડપત્રીય પ્રતમાં આપેલું તેજપાળનું અવસાનવ; જુએ પૅરા ૫૪ )–એ ત્રણમાંનું એક વર્ષ તેજપાળના અવસાનનું વર્ષ હાઈ શકે. વસ્તુપાળની બાબતમાં થઈ શક્યું તેમ, આ ત્રણમાંથી કાઈ એક વર્ષ ઐતિહાસિક દષ્ટિએ વિશેષ પ્રમાણભૂત ગણવા માટેના પુરાવા પણ આપણી પાસે નથી. ગમે તેમ પણ તેજપાળના અવસાન પછી જ નાગર બ્રાહ્મણ નાગડ મહામાત્ય થઈ શક્યા હતા એ ચેાસ છે.
પ્રકરણ ૪
વસ્તુપાળસાહિત્ય અને કલાના આશ્રયદાતા અને સાહિત્યકાર
પ૬. પ્રકરણ ૩ માં આપણે જોયું તે પ્રમાણે, ધેાળકા અને અણુહિલવાડના રાજદરબારેામાં વસ્તુપાળ અને તેજપાળના ભારે પ્રભાવ હતા અને ગુજરાતનું રાજ્ય આર્થિક તેમજ રાજકીય દૃષ્ટિએ તેમણે વ્યવસ્થિત કર્યું હતું. પરન્તુ તેમની ઉદારતા અને દાનશીલતાને કારણે જે સાંસ્કૃતિક પ્રવૃત્તિએને ઉત્તેજન મળ્યુ. એને કારણે તેમનું નામ વધુ પ્રસિદ્ધ છે. એમણે ગુજરાતમાં એવું સાંસ્કારિક નવજીવન પેદા કર્યું, જે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના દિવસેાની યાદ આપે છે તથા માળવાના મહાન વિદ્યાવિલાસી રાજાએ મુંજ અને ભેાજના સમયની વિદ્યાપ્રવૃત્તિની સ્પર્ધામાં ઊભું રહી શકે એમ છે.
6
વસ્તુપાળની યાત્રાએ
૫૭. પ્રબન્ધા અનુસાર વસ્તુપાળે શત્રુંજય અને ગિરનારની તેર યાત્રાએ કરી હતી. બાલ્યાવસ્થામાં તેણે આ બન્ને સ્થાનાની યાત્રા પેાતાના પિતા અશ્વરાજે સંધ કાઢ્યો હતા તેની સાથે કરી હતી. એ બન્યું ઈ. સ. ૧૧૯૩ અને ૧૧૯૪ માં. મત્રિપદે આરૂઢ થયા પછી તેણે અનેક વાર સંધ કાઢ્યા હતા, અને ઈ. સ. ૧૨૨૧, ૧૨૩૪, ૧૨૩૪, ૧૨૩૬ અને ૧૨૩૭ નાં વર્ષોમાં શત્રુંજય અને ગિરનારની યાત્રાએ કરી હતી. સંધ લીધા વિના
n
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org