________________
૫૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ પિતાના કુટુંબ સાથે તે ઈ. સ. ૧૨૨૭, ૧૨૨૮, ૧૨૨૯, ૧૨૩૦, ૧૨૩૧, ૧૨૩૨ અને ૧૨૩૩ માં માત્ર શત્રુંજયની યાત્રાએ ગયો હતો. શત્રુંજયની છેલ્લી યાત્રા, જે માર્ગમાં મૃત્યુ થતાં એ પૂરી કરી શક્યો નહોતે તે માટે એ ઈ. સ. ૧૨૪૦ માં નીકળ્યો હતો. આનું વર્ણન બાલચને “વસન્તવિલાસ” મહાકાવ્યમાં કર્યું છે. તેણે ઈ. સ. ૧૨૨૧ (સં. ૧૨૭૭) માં જે સંધયાત્રા કરી તે સૌથી વધુ મહત્વની હતી, કેમકે એ એક જ યાત્રાને વારંવાર ઉલ્લેખ વસ્તુપાળને ગિરનારના શિલાલેખોમાં કરવામાં આવ્યા છે, તથા ઘણું કરીને એ જ યાત્રાનું ઠીક ઠીક વિગતભરપૂર અને કવિત્વપૂર્ણ વર્ણન “કીર્તિકીમુદી' સુકૃતસંકીર્તન” અને “ધર્માલ્યુદય” જેવાં સમકાલીન કાવ્યમાં મળે છે. આ વિશે આપણે પ્રકરણ ૬ માં ચર્ચા કરીશું.
વસ્તુપાળનાં બાંધકામ ૫૮. જે ઉપર વિશ્વાસ મૂકી શકાય એવાં સમકાલીન ગ્રન્થનાં વર્ણને જોઈએ તોપણ વસ્તુપાળ અને તેજપાળે કરાવેલાં મન્દિરો, ધર્મશાળાઓ, તળાવો, કૂવા આદિ રથાપત્ય અને પૂર્તકાર્યોની સંખ્યા ઘણી મોટી હોવી જોઇએ. પછીના સમયના પ્રબધાને બાજુએ રાખીને માત્ર સમકાલીન પ્રમાણોને વિચાર કરીએ તો પણ એમની દાનશીલતા અને ઉદારતા આખાયે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મારવાડમાં અનેક સ્થળોએ વિરતરેલી હતી એમાં કશી શંકા નથી. જિનપ્રભસૂરિ અને રાજશેખરસૂરિ કહે છે કે એમણે કરાવેલાં સ્થાપત્યો દક્ષિણે શ્રીશેલ, પશ્ચિમે પ્રભાસ, ઉત્તરે કેદાર અને પૂર્વે કાશી સુધી હતાં. લગભગ આખાયે ભારતમાંથી વિદ્વાનો, કવિઓ અને ધાર્મિક પુરુષો એ કાળે અણહિલવાડ અને ધોળકામાં આવતા હતા તથા વરતુપાળ-તેજપાળ પાસેથી કંઈક આશ્રય મેળવતા હતા એ વસ્તુને વિચાર કરીએ ત્યારે આ કથનમાં કશું અશક્ય લાગતું નથી. વસ્તુપાળે માત્ર જૈનધર્મનાં મન્દિરો બંધાવ્યાં એવું નહોતું; અનેક સ્થળે ઉલ્લેખ મળે છે કે તેણે સૃષ્ણાલય, બ્રહ્મશાળાઓ, મઠો, શિવમન્દિરે તથા મરિજદો પણ બંધાવી હતી.૪ પછીના સમયમાં લખાયેલા ગ્રન્થોમાં કંઈક અતિશયોક્તિ હશે, કેમકે જે સ્થળોએ વસ્તુપાળે ધનનો વ્યય કર્યો એ રથાનોની સંખ્યા “સુકૃતસંકીર્તન જેવી સમકાલીન રચનામાં ૫૦ ની છે, જ્યારે રાજશેખર, જિનહર્ષ અને જિનપ્રભના ગ્રન્થમાં
૧. વચ, ૮, પુપ્રસં. પૃ. ૫૯. વળી જુઓ જૈસાઈ, પૃ. ૩૦૮-૩૦૯. ૨. નન, ૧૬-૩૭; વળી જ સુસં, સુકીક. આદિ. ૩. વિતીક, પૃ. ૭૦-૮૦; પ્રકો, પૃ. ૧૩૦ ૪. પ્રકા, પૃ. ૧૨૯-૧૩૦; વચ, ૨, ૩ અને ૬; વિતીક, પૃ. ૭૦-૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org