________________
૪૮ ]. મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એમ જોવામાં આવતાં એને સજા કરવાનો નિર્ણય કર્યો; પરન્તુ અહીં પણ સેમેશ્વરે એને તેમ કરતાં અટકાવ્યો.૫૧ આવી બધી વાત શબ્દશઃ સાચી ન મનાય, પણ એ ઉપરથી જણાય છે કે ઉત્તરાવસ્થામાં વસ્તુપાળના નવા રાજા સાથેના સંબંધ જોઇએ એવા સારા નહોતા. આમ બનવું તદ્દન સંભવિત છે, કેમકે ઇતિહાસમાં આપણે અનેક એવા ઉદાહરણ જોઈએ છીએ જેમાં નવા રાજા અને જૂના મંત્રી વચ્ચે ઘર્ષણ થાય છે. વીસલદેવ સાથેના વસ્તુપાળના સંબંધે બહુ સારા નહાતા રહ્યા, પણ વીસલદેવે વસ્તુપાળને મંત્રિપદ ઉપરથી ખરેખર દૂર કર્યો હતો એમ કહેવા માટેનો વિશ્વાસપાત્ર પુરાવો આપણી પાસે નથી. નાગડ અને બીજા નાગર મુત્સદ્દીએની ખટપટને કારણે વસ્તુપાળ અને વીસલદેવના સંબંધો બગડયા અથવા વીસલદેવને પિતાને જ જૂના અનુભવી મંત્રીની મુરબ્બીવટ અકારી લાગી હોય.
તેજપાળનું મરણ પપ, વસ્તુપાળના અવસાન પછી કેટલાંક વર્ષ સુધી તેજપાળ મહામાત્ય તરીકે ચાલુ રહ્યો હતો એના પુરાવાઓ છે, એટલે વરતુપાળને વિસલદેવે મંત્રિપદેથી દૂર નહોતો કર્યો એ અનુમાન વધારે વજનદાર બને છે. સં. ૧૨૯૬ ના વૈશાખ સુદ ત્રીજ (તા. ૨૬ મી એપ્રિલ, ઈ. સ. ૧૨૪૦) ના આબુ ઉપરના એક શિલાલેખમાં તેજપાળને મહામાત્ય કહેવામાં આવ્યો છે,પર તે એ જ વર્ષના માઘ માસમાં વસ્તુપાળનું અવસાન થયું હોવાના
વસન્તવિલાસ 'ના કથનને અનુમોદન આપે છે. વળી એ સૂચવે છે કે વસ્તુપાળના અવસાન પછી તરત જ તેજપાળે પિતાના વડીલ બંધુના ઓધાને અધિકાર સંભાળ્યો હશે. પાટણ ભંડારમાંની સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨) ની તાડપત્રીય હસ્તપ્રતની પુષ્પિકામાં મહામાત્ય તેજપાળના પુત્ર લુણસિંહને ભગુકચ્છના હાકેમ તરીકે ઉલ્લેખ છે. સં. ૧૩૦૩ (ઈ. સ. ૧૨૪૭) માં લખાયેલી આચારાંગ સૂત્ર ” ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં અણહિલવાડમાં મહામાત્યના અધિકારપદે તેજપાળ હોવાનું કહ્યું છે.પ૪ નાગડનો મહામાત્ય તરીકે ઉલ્લેખ કરતાં પહેલી ઉપલબ્ધ પુપિકા સં. ૧૩૧૦ (ઈ. સ. ૧૨૫૪) ની છે, ૫૫ જે બતાવે છે કે તેજપાળનું અવસાન ઈ. સ.
૫૧. પ્રકો, પૃ. ૧૨૫ પ૨. પ્રાલેસે, નં. ૬૬ ૫૩. પાભંસૂ, પૃ. ૬૦ ૫૪. પિટર્સન, પહેલે રિપોર્ટ, પરિશિષ્ટ ૧, પૃ. ૪૧ ૫૫. ભંસૂ , પૃ. ૩૭-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org