________________
પ્રકરણ ૧૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૫૯ કેટલાંક કથાનકે સેંકડો લેકમાં વિસ્તરેલાં છે. “વિવેકમંજરી' ટીકામાં કર્તાએ ભરતનું ચરિત્ર વર્ણવતું કુલ ચાર સર્ગ અને ૫૪૫ શ્લેકમાં રચાયેલું ભરતભૂષણ મહાકાવ્ય', ત્રણ સર્ગ અને ૫૫૬ કેનું “સીતાચરિત ” મહાકાવ્યતથા નળ-દમયંતીની કથા વર્ણવતું ત્રણ સર્ગ અને ૩૧૪ કલેકનું “દમયંતી–લલિત મહાકાવ્ય”૧૧ આપેલ છે. મહાકાવ્ય' શબ્દને ધાર્મિક દૃષ્ટિએ મહાન સ્ત્રીપુરુષનું ચરિત્ર એ મર્યાદિત અર્થ અહીં કરવાનો છે (જુઓ પેરા ૧૬૬). આમાંનું “સીતાચરિત મહાકાવ્ય” “ઉપદેશકન્ડલી ટીકા'માં પણ છે.૧૨ વળી ચાર સર્ગ અને ૩૩૬ શ્લોકમાં શ્રેણિક રાજાનું જીવન વર્ણવતું શ્રેણિકપાખ્યાન મહાકાવ્ય' નામનું સુદીર્ઘ કથાનક પણ “ઊપદેશકન્ડલી ટીકા'માં આવે છે.૧૩ બન્ને ટીકાઓના કર્તા એક હેવાને કારણે બનેયમાં કેટલીક કથાઓ શબ્દશઃ સમાન છે. “વિવેકમંજરી' ટીકામાં એક સ્થળે કર્તાએ સ્વરચતિ સુભાષિત ટાંક્યું છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેમણે બીજાં પણ સુભાષિતો રચ્યાં હશે.
૩૦૬. આ ત્રણે ટીકાઓની વિવરણપદ્ધતિ લગભગ એકસરખી છે એનું કારણ આગ ઉપરના ટીકાસાહિત્યના ઇતિહાસમાં રહેલું છે. પદ્યાત્મક નિયુક્તિઓ અને ભાગ્યે ઘણી વાર કથાનકે આપે છે, પણ તે કેટલાક સૂચક શબ્દો દ્વારા માત્ર એને સાર બતાવીને એ ઉપરથી વાચક આખી વાર્તા યાદ કરી શકે અને પિતાના શબ્દોમાં કહી શકે. પ્રાકૃત ચૂણિઓમાં પરંપરાથી ચાલતી આવેલી ઉદાહરણરૂપ કથાઓ વારંવાર મળે છે; આ કથાઓ હંમેશાં પ્રાકૃતમાં હોય છે અને કશાં સાહિત્યિક અલંકરણો વિના સંક્ષેપમાં એ રજૂ થાય છે. સંસ્કૃત ટીકાઓમાં પણ કથાનકે સામાન્ય રીતે પ્રાકૃતમાં હોય છે, કેમકે પ્રાચીન ગ્રન્થોમાંથી એ લેવાયેલાં હોય છે; જો કે મુકાબલે અર્વાચીન કાળમાં રચાયેલી સંસ્કૃત ટીકાઓમાં આ કથાઓ પણ
૯. વિમટી, પૃ. ૯-૨૫ ૧૦. એ જ, પૃ. ૧૧૧-૧૨૭ ૧૧. એ જ, પૃ. ૧૩-૧૪૩
૧૨. ઉકટી, પત્ર ૧૬૫-૧૮૧, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમન્દિરની હસ્તપ્રત નં. ૮૮૬ નાં પાત્રોને આ નિર્દેશ છે.
૧૩. એ જ, પત્ર ૧૮-૩૨ ૧૪. ચતુમમ્રામ સૂત્ર –
पद्माश्रय इति पद्म धिनोति कुमुदं न यंदब्जबन्धुरपि । મગરવે સુપેડ િષ્ટિ તાજ્ઞાતિઃ શાળામૈવ | (વિમટી, પૃ. ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org