________________
૨૫૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છેડેલા મુદ્દાઓના ઉદાહરણરૂપે આપેલાં સંખ્યાબંધ દષ્ટાન્ત અને કથાનકેથી આ વિસ્તાર વધ્યો છે. નમૂનારૂપે કહીએ તે, પહેલી ત્રણ જ ગાથાઓ ઉપરની ટીકાનું પ્રસ્થાશ્ર ૧૯૪૪ શ્લેકનું છે. ટીકાનાં તમામ દષ્ટા જૈન ધર્મકથાના લાક્ષણિક નમૂનાઓ છે. એ દષ્ટાન્ત, નિયમ તરીકે, જૈન પુરાણકથા અથવા જૈન ઐતિહાસિક અનુશ્રુતિમાંથી લેવાયાં છે અને અનુષ્ટ્રપ છંદમાં જ છે, જ્યારે મૂળ ગાથાઓ ઉપરનું અર્થઘોતક વિવરણ ગદ્યમાં છે. આઠમા મંગલકમાં ઉદયપ્રભસૂરિએ પિતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકારોમાં સિદ્ધષિને ઉલ્લેખ કર્યો છે–
गाथास्तु खलु धर्मदासगणिनः सज्जातरूपश्रियः किञ्चैष स्फुरदर्थरत्ननिकरः सिद्धषिणवार्पितः । तेनैतामतिवृत्तसंस्कृतमयीमातन्वतः कर्णिकां
વૃત્તિ કેડર મુઘવારસામામચિરસ્થાન ! (પત્ર ૧) વિવેકમંજરી” અને “ઉપદેશકન્ડલી” ઉપર બાલચન્દ્રની ટીકાઓ
૩૦૫, આસડકત બે પ્રાકૃત પ્રકરણો ‘વિવેકમંજરી” અને “ઉપદેશકંદલી” ઉપરની બાલચન્દ્રની ટીકાઓનું વિહંગાવલોકન કરીએ. “વિવેકમંજરી' મૂળમાં ૩ર૭ ગાથાઓ છે, જ્યારે ‘ઉપદેશકન્ડલી'માં ૧૨૫ ગાથાઓ છે, અને બને કૃતિઓ વિવિધ પ્રકારે ધર્મબંધ આપવા રચાઈ છે. “વિકમંજરી મૂળ અને ટીકા મુદ્રિત થયેલ છે, જ્યારે ‘ઉપદેશકન્ડલી” મૂળ અને ટીકા અપ્રકટ હોઈ માત્ર હસ્તપ્રતરૂપે મળે છે. બન્ને ટીકાઓ ઉપર્યુક્ત “કર્ણિકાની પદ્ધતિએ રચાયેલી છે અને એમાં વચ્ચે વચ્ચે અનેક લાંબાં પદ્ય-આખ્યાનકે આવે છે. આથી “વિવેકમંજરી ટીકાનું ગ્રન્થાઝ ૮૦૦૦ શ્લેકનું છે, જ્યારે ઉપદેશકન્ડલી” ટીકાનું ગ્રન્થાગ્ર ૭૬ ૦૦ કલેકનું છે.’ ‘વિકમંજરી ટીકા ચાર ખંડમાં વહેંચાયેલી છે, અને એમાંના પહેલા ત્રણેય ભાગને અંતે ટીકાકાર બાલચન્દ્ર જેની વિનંતિથી આ ટીકા રચી હતી તે આસડના પુત્ર જેવસિંહની (પેરા ૧૨૫) પ્રશસ્તિ છે, જ્યારે ચોથા ભાગને અંતે એક લાંબી પ્રશસ્તિ આપેલી છે, જે ઉપદેશકન્ડલી” ટીકાને અંતે પણ શબ્દશઃ મળે છે. “ઉપદેશકન્ડલી” ટીકાના બાર ખંડ છે; દરેક ખંડને અંતે પ્રશસ્તિના બે શ્લેક છે; એમાંને પહેલે શ્લોક બોલચન્દ્રના ગુરુ હરિભદ્રસૂરિની અને બીજે લેક મૂલ પ્રકરણોના કર્તા આસડની પ્રશંસા કરે છે. બન્નેય ટીકામાંનાં ७. अष्टावनुष्टुभामत्र सहस्राणि भवन्ति हि ।
પ્રત્યક્ષ માનવા પ્રસ્થાને વિનિશ્ચિત છે (વિમટી, પૃ. ૨૧૭) ૮. જિરકે, પૃ. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org