________________
પ્રકરણ ૧૯ ] સંસ્કૃત સાહિત્યમાં કળે [ ૧૫૭ ચાલુ રહી હતી, જ્યારે “કલ્પસૂત્ર' ઉપર વિનયવિજયકૃત “સુબેધિકા,” ધર્મસાગરકૃત કિરણાવલિ' જેવી અગત્યની ટીકાઓ રચાઈ હતી.
૩૦૩. વસ્તુપાળના સાહિત્યમંડળની રચનાઓમાં આગમો ઉપરની કઈ ટીકાઓ નથી, પણ પ્રકરણગ્રન્થ ઉપરની ત્રણ વિસ્તૃત સંસ્કૃત ટીકાઓ છે. ધર્મ કે તત્ત્વજ્ઞાનને લગતા કોઈ એક વિષય ઉપર પ્રાકૃત પદ્યમાં રચાયેલી સંક્ષિપ્ત કૃતિઓને જૈન સાહિત્યમાં “પ્રકરણ” કહે છે. પ્રસ્તુત ત્રણ ટીકાઓ તે ધર્મદાસગણિકત “ઉપદેશમાલા” પ્રકરણ ઉપર ઉદયપ્રભસૂરિની “કર્ણિકા,' તથા આસડકત “વિવેકમંજરી” અને “ઉપદેશકન્ડલી પ્રકરણો ઉપર બાલચન્દ્રની બે ટીકાઓ.
ઉદયપ્રભસૂરિકૃત ઉપદેશમાલાકણિકા ૩૦૪, પહેલાં “ઉપદેશમાલાકણિકા' લઈએ. ‘ઉપદેશમાલા” એ ૫૪૦ પ્રાકૃત ગાથાઓમાં ધાર્મિક અને નૈતિક ઉપદેશ આપતી કૃતિ છે. એને કર્તા ધર્મદાસગણિ પરંપરાથી મહાવીરના સમકાલીન મનાય છે. પરંતુ આ શક્ય નથી, કેમકે “ઉપદેશમાલા'ની ભાષા પશ્ચાતકાલીન જૈન મહારાષ્ટ્રી છે. ગમે તેમ, પણ ધર્મદાસગણિ ઈ. સ.ના નવમા સૈકા પહેલાં થયેલા છે, કેમકે એ શતકના આરંભમાં સિદ્ધષિએ એ પ્રકરણ ઉપર ટીક રચેલી છે (પેરા ૧૫). “ઉપદેશમાલાને બહોળો પ્રચાર અને અભ્યાસ થયો હતો, અને એ ગ્રન્થ ઉપરની અસાઢ સંસ્કૃત ટીકાઓ, એક પ્રાકૃત ટીકા, અને સંખ્યાબંધ જુના ગુજરાતી બાલાવબંધો જાણવામાં આવ્યા છે. કાલાનુક્રમની દષ્ટિએ ઉદયપ્રભની “કણિકા' એ “ઉપદેશમાલા” ઉપરની ચોથી ટીકા છે; એ પહેલાંની ત્રણ તે સિદ્ધષિની ટીકા, કૃષ્ણના શિષ્ય જયસિંહસૂરિની (ઈ. સ. ૮૫૭)* પ્રાકૃત વૃત્તિ તથા રત્નપ્રભસૂરિકૃત ‘ઘટ્ટીવૃત્તિ' (ઈ. સ. ૧૧૮૨) છે. ઉદયપ્રભની કણિકા અપ્રકટ હોઈ હસ્તપ્રતરૂપે જ મળે છે. એ બહુ વિસ્તૃત ટીકા છે; એનું ગ્રન્થાગ ૧૨૨૭૪ શ્લેકનું છે. આ વિસ્તાર મૂળની પ્રાકૃત ગાથાઓના વિવરણથી થયે નથી; એ વિવરણ તે ઘણું ટૂંકું છે; ગાથાઓમાં
૧. જેસાઈ, પૃ. ૧૬૧; જિરકે, પૃ. ૨૦૧ ૨. જૈસાઈ, પૃ. ૩૧ ૩. જિરક, પૃ. ૪૯પ૧
૪. આ જ કર્તાએ પ્રાયઃ ધર્મદાસગણિમાંથી પ્રેરણા મેળવીને ઈ. સ. ૮૫૯માં ધર્મોપદેશમાલા” નામે પ્રાકૃત પ્રકરણ રચ્યું છે.
૫. જિરકે, પૃ. ૪૯-૫૦ ૬. એ જ, પૃ. ૫૦
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org