________________
૨૬૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સંસ્કૃત સ્વરૂપે મળે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની નેમિચન્દ્રની ટીકામાં (ઇ. સ. ૧૦૭૩) છે તેમ, કોઈ વાર આ કથાઓ પદ્યમાં પણ હોય છે. સમય જતાં પ્રાકૃત ભાષાને વ્યાસંગ જૈનોમાં પણ ઓછો થયો અને બે ભાષામાં લખાયેલી ટીકાઓ વાચકોને અગવડક લાગવા માંડી. આમ અહીં જેઓનું અવલોકન કર્યું એ ટીકાઓના સમયની નજદીક આપણે આવીએ છીએ; એ ટીકાઓ સાઘન્ત સંસ્કૃતમાં છે, એટલું જ નહિ, પણ એનાં કથાનકે પણ પ્રાકૃતમાં નહિ, પરંતુ સરલ અને સુવાચ્ય સંસ્કૃત પદ્યમાં છે. જૈન સાધુઓ દરરોજનાં વ્યાખ્યામાં ધાર્મિક પ્રકરણે વાંચતા અને આ પ્રકારની ટીકાઓમાંની કથાઓ શ્રોતાઓ સમક્ષ ઉપદેશને રસપ્રદ બનાવવામાં સહાયભૂત થતી. આ દૃષ્ટિએ જોતાં એમ કહી શકાય કે નિયુકિતનાં સ્મૃતિસહાયક પઘોથી માંડી ઉદયપ્રભ અને બાલચન્દ્રની વિગતવાર અને વિસ્તૃત વૃત્તિઓ સુધી જૈન ટીકાસાહિત્યને વિકાસ દૈનિક વ્યાખ્યાનની પ્રથાને કેટલીક રીતે આભારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org