________________
૨૪૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
એટલું બધું અશ્રુપ્રવાહનું જળ ખરેખર સ્તને સુધી પણ પહોંચી ન શક્યું. છમછમ-સમસમ એવા અવાજ સાથે એ (ઉષ્ણ) ગંડસ્થલ ઉપર જ સમાપ્ત થયું (સુકાઈ ગયું).”
આ દૂહાઓને કર્તા મુંજ કવિ કોણ હતો એ આપણે ચોક્કસપણે જાણતા નથી. “પ્રબંધચિન્તામણિમાં મુંજના નામવાળા નવ અપભ્રંશ દૂહા છે ૨૦ ત્યાં મુંજ એ માળવાને મહાન વિદ્યાવિલાસી રાજા છે, જે ઈ. સ. ના ૧૦મા સૈકામાં થઈ ગયે. મુંજને નામે ચડેલા અને હેમચન્દ્ર તથા અમરચન્દ્ર ઉદ્દત કરેલા ઉપર્યુક્ત અપભ્રંશ દૂહા આ કવિ-રાજાની રચના હોય એ શક્ય છે.
પ્રકરણ ૧૭
ન્યાયગ્રન્થ વૈશેષિક દર્શન અને “ન્યાયકન્દલી ” ૨૮૬. હવે શ્રીધરકૃત “ન્યાયકન્ડલી” (ઈ. સ. ૯૯૧) ઉપરનું નરચન્દ્રસૂરિનું ટિપ્પણુ આપણે લઈ એ. કણાદનાં વૈશેષિક “સૂત્રોના પ્રશસ્તપાદકૃત ભાષ્ય (ઈ. સ.ને ૫ મો સિકો) ઉપરની “ન્યાયકન્ડલી” એ ટીકા છે. વૈશેષિક અને ન્યાય એ પરંપરાગત દર્શનેમાનાં બે છે. પ્રારંભિક કાળમાં આ બનેય સ્વતંત્ર વિચારપ્રવાહ તરીકે વિકસ્યાં હતાં. ન્યાયને ઉદ્દભવ વાસ્તવિક રીતે જોતાં બ્રાહ્મણગ્રન્થમાંની એ વિશેની પ્રાચીનતર ચર્ચાઓમાંથી થયે છે, જેની વ્યવસ્થા પાછળથી મીમાંસાના એક વિભાગ તરીકે થઈ હતી. ખરી રીતે ન્યાય અથવા તક, યોગ્ય રૂપાન્તર સાથે, પ્રત્યેક ભારતીય ચિન્તનપરંપરા-વૈદિક કે બૌદ્ધને અગત્યને અંશ બન્યો હતો. પરંતુ ઈસવી સનની પ્રારંભિક શતાબ્દીઓમાં તમે “ન્યાયસૂત્રમાં સુવ્યવસ્થિત કરેલી પરિપાટી અનુસાર ન્યાયનું અલગ દર્શન બન્યું અને એને દર્શન તરીકે પૂર્ણ બનાવવા ખાતર વૈશેષિક તત્ત્વમીમાંસા (Metaphysics)ને સ્વીકાર કરવામાં આવ્યું. વૈશેષિકસૂત્રો' એ ન્યાયસૂત્રો કરતાં પ્રાચીનતર હોવાનું મનાય છે.૧ મુખ્યત્વે પરમાણુવાદને પાયા ઉપર રચાયેલ વૈશેષિક એ મૂળ તત્ત્વમીમાંસાને એક સંપ્રદાય હતે. આરંભકાળે એની પિતાની એક પ્રમાણપદ્ધતિ હતી; પણ પાછળથી ન્યાય અને વૈશેષિક એ પરસ્પર સંબદ્ધ દર્શને બન્યાં, જેમાં
૨૦. પ્રચિ, પૃ. ૨૩-૨૪ ૧. કીથ : ઇન્ડિયન લૅજિક એન્ડ ટેમિઝમ, પૃ. ૨૩-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org