________________
ર૩૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ છે મળ્યાગ્ર ૧૪ર૦ શ્લોક છે.૧૧ આ ગ્રન્થ હજી અપ્રકટ હેઈ માત્ર હસ્તપ્રતરૂપે જ મળે છે. હેમચન્દ્ર પિતાને વ્યાકરણને આઠમા અધ્યાયની (“પ્રાકૃત વ્યાકરણની) પન્ન વૃત્તિમાં આપેલાં ઉદાહરણની રૂપધટનાને' ૨ એમાંનાં સૂત્રની સહાયથી સમજાવવાને આ ગ્રન્થને ઉદ્દેશ છે. વળી નિરૂપણ પ્રાકૃત ભાષાને લગતું જ હાઈ હેમચન્દ્રના પહેલા સાત અધ્યાયનાં સંસ્કૃતને લગતાં સૂત્રો વિરલ સ્થળોએ—માત્ર એક વાર ટાંકવામાં આવ્યાં છે. આમ છતાં એકંદરે રૂપઘટનાના સિદ્ધાન્તોની બાબતમાં એ હેમચન્દ્રના સંસ્કૃત વ્યાકરણને અનુસરે એ દેખીતું છે.' આમ છતાં પ્રાકૃતિ માટેના સ્વતંત્ર નિયમેના વિનિયોગને એથી બાધ આવતો નથી.૧૪ હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોને આ પાઠ નરચંદ્ર કદી ટાંકતા નથી, માત્ર એને સંક્ષેપ જ આપે છે. (દા. ત. ટીટૂ મિથો વૃત્ત ૮–૧–૪ ને બદલે વીર્ય ). વૃત્તિમાં ઉદાહરણ તરીકે આપેલા પ્રાકૃત શબ્દોના ફેરફારો સમજાવવામાં સૂત્રોને વિનિયોગ બતાવવાને નરચન્દ્રને ઉદેશ છે, સૂત્રોને અર્થ સમજાવવાને નથી, એથી વાચક સૂત્રોના અર્થ સમજે છે એમ માનીને એ આગળ ચાલે છે. ગ્રન્થના પ્રારંભમાં લેખકે પ્રત્યેક શબ્દ આ રીતે સમજાવ્યો છે, પણ આગળ ચાલતાં કેમ જાણે એ ત્વરામાં હોય એમ જણાય છે અને ગ્રન્થના ઉત્તરાર્ધમાં પ્રમાણમાં સહેલા પુષ્કળ શબ્દોને એમણે ઉલ્લેખ પણ કર્યો નથી. પરિભાષાનો ઉપયોગ એ ભાગ્યેજ કરે છે, ૧૫ અને મૂળ સંસ્કૃતમાંથી કશા ફેરફાર વિના પ્રાકતમાં લેવાયેલા શબ્દો, જેવા કે વારિ, વજે આદિને સમજાવતા નથી.
૧૧. જિરો, પૃ. ૨૭૮ ૧૨. જુએ મંગલ પ્લેક
प्रणम्य परमं ज्योतिद्यो'तताशेषवाङ्मयम् ।
सिद्धहेमाटमाध्यायरूपसिद्धिर्विधीयते ।। १३. संस्कृतलक्षणे धातुप्रत्ययादिसिद्धायां प्रकृतौ पश्चात् विभत्यादिविधिતથા પ્રાકૃતઝક્ષળડમિપ્રાય: | પ્રસ્તાવના
૧૪. ઘાતક્ષળલઢાં પ્રકૃતિમાવાય તરતાં વિમવસ્યા કિયા વાર્તધ્યા, નાથા, મમva#ાત્ આ પ્રસ્તાવના
૧૫. માત્ર બે વિરલ ઉદાહરણે છે—() નિમિત્તામા નૈમિત્તિ નામાવ: પ્રા., ૧-૬; (૨) મત્ર રથાનિવપરિમાણથી નિરાલયનાત હત્યારો સ્ત્રાવૃત્તિ: | પ્રામ, ૩-૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org