________________
પ્રકરણ ૧૫] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૭૭ ૨૭૬. પહેલી કારિકામાં મંગલ છે; કારિકા ૨-૪ માં જાતિને અનુસરીને શબ્દોના નવ વિભાગ પાડ્યા છે, અને એ વર્ગીકરણમાં લેખક હેમચન્દ્રના લિંગાનુશાસનને અનુસર્યા છે. શબ્દોના આ વિભાગ નીચે પ્રમાણે છે : (૧) પુંલિંગ, (૨) સ્ત્રીલિંગ, (૩) નપુંસકલિંગ, (૪) પુંલિંગ તેમજ સ્ત્રીલિંગ, (૫) સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, (૬) પુંલિંગ અને નપુંસકલિંગ, (૭) અનિશ્ચિત જાતિવાળા શબ્દો, ટિકા, દા. ત. ગુમ, સમ, ઇત્યાદિ, (૮) ત્રણે જાતિઓમાં પ્રજાતા શબ્દો, ત્રિક્રિાદ, દા. ત. જાન્સસ્ત્રી-રું, કૃપ-ટી-સ્ટ્ર, રાસ-ત્રી-૪, ઇત્યાદિ, (૯) સમાન વિભક્તિમાં પ્રજાયેલા શબ્દોની જાતિ ધારણ કરતા શબ્દો, વાચઢિ, દા. ત. શુક, , કૃષUT, ઇત્યાદિ. નામની ચર્ચા કરતાં અમરચન્ટે ઠીક ઠીક વિગતો આપી છે, પણ સર્વનામે અને અંકની વાત બહુ સંક્ષેપમાં–શીર્ષક શબ્દોનો ઉલ્લેખ કરીને, માત્ર પાંચ કારિકાઓમાં કરી છે.
૨૭૭. (૧) પહેલે અધ્યાય સ્વરાન્ત અને વ્યંજનાન્ત એ પ્રમાણે શબ્દોના વિભાગ પાડે છે, અને માત્ર સ્વરાન્ત શબ્દોનું વર્ગીકરણ આપે છે. ૩, , , , , , , , ટુ, , , , શૌ અંતવાળા શબ્દોને અનુક્રમે પુંલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને વાલિંગ એ વિભાગમાં ગોઠવવામાં આવ્યા છે. (૨) બીજો અધ્યાય વ્યંજનાન્ત શબ્દોની ચર્ચા કરે છે. વર્ગીકરણની એ જ પદ્ધતિ અહીં પણ અનુસરવામાં આવી છે. (૩) ત્રીજો અધ્યાય માત્ર ત્રણ કારિકાઓમાં સર્વનામેની વાત કરે છે; પાણિનિના ગણપાઠમાં આપેલા અને હેમચન્ટે સ્વીકારેલા સર્વાદિગણના નામોલ્લેખથી વિશેષ કંઈ લેખકે અહીં આપ્યું નથી. (૪) ચોથા અધ્યાયની પહેલી કારિકા માત્ર એક જ પંક્તિમાં અંકનો ઉલ્લેખ કરે છે–
gwાચાઃ નળાક્લાદ પુઃ સ્વસ્થ પ્રક્રિયાઃ | અને પછી કિલિંગી, ત્રિલિંગી અને અનિશ્ચિત જાતિવાળા શબ્દોને અછડતો ઉલ્લેખ કરી જાય છે.
૨૭૮, વિભક્તિનાં રૂપો આપતી આ કૃતિને મુખ્ય ગુણ એ છે કે કારિકાઓમાં એની રચના થયેલી હાઈ એને મુખપાઠે કરવાનું સરલ છે. કદાચ એ જ કારણથી વિદ્યાર્થીઓમાં એ ઘણી લોકપ્રિય થઈ હતી અને જેને સમય નિશ્ચિત થઈ શક્યો નથી એ જયાનંદની ટીકા સહિત તેની સંખ્યાબંધ હસ્તપ્રતો પ્રાચીન ભંડારોમાં મળે છે.
- નરચન્દ્રસૂરિકૃત “પ્રાકૃત પ્રબોધ” ૨૭૯, નરચન્દ્રસૂરિકૃતિ “પ્રાકૃત પ્રબોધ” અથવા “પ્રાકૃતિદીપિકા નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org