________________
ર૩૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ તેમણે પિતાનું “શબ્દાનુશાસન ઈ. સ.ની ૯ મી સદીમાં રચ્યું છે. એની રચના છે કે જેને માટે થઈ હતી, પણ એને અભ્યાસ વ્યાપક રીતે થતા હતો એ પછીના વ્યાકરણ–સાહિત્યમાં મળતા ઉલ્લેખ ઉપરથી જણાય છે. સંસ્કૃત ઉપરાંત અપભ્રંશ સમેત પ્રાકૃત ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરતું હેમચન્દ્રનું “સિદ્ધહેમ શબ્દાનુશાસન રાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતિથી કેવી રીતે રચાયું હતું એ આપણે પહેલા પ્રકરણમાં જોયું છે. ગુજરાતમાં જૈનમાં બીજા તમામ વ્યાકરણ-સંપ્રદાયનું સ્થાન હેમચન્દ્રના વ્યાકરણ લીધું, અને પ્રાકૃત વ્યાકરણની બાબતમાં તે હેમચન્દ્રનું સ્થાન હમેશાં અજોડ રહ્યું છે. “સિદ્ધહેમ શબ્દાનુશાસન ઉપર હેમચન્દ્ર પિતે લખેલી વૃત્તિઓ અને આનુષંગિક સાહિત્ય ઉપરાંત જૈન વિદ્વાનોએ ૧૯મા સૈકા સુધી અને કેટલાક દાખલાઓમાં તો ઠેઠ આધુનિક કાળ સુધી, સંખ્યાબંધ રચનાઓ કરીને હેમચન્દ્રના મહાગ્રન્થ ઉપર ટીકાટિપ્પણુ લખ્યાં છે, એને સંક્ષેપ કે સરલીકરણ કર્યું છે, અથવા વિદ્યાથીઓની અનુકૂળતા ખાતર એની પુનવ્યવસ્થા કરી છે. ૧૦
અમરચન્દ્રસૂરિકૃત ‘સ્થાદિ દસમુચ્ચય ૨૫. અહીં જેઓનું અવલોકન કરવાનું છે તે બે ગ્રન્થ અમરચન્દ્રસૂરિકત “સ્વાદિશબ્દસમુચ્ચય' અને નરચન્દ્રસૂરિકત “પ્રાકૃતપ્રબોધ' અથવા પ્રાકતદીપિકા હેમચન્દ્રના વ્યાકરણના આનુષંગિક ગ્રન્થ છે. “સ્વાદિશબ્દસમુચ્ચય'ને સંબંધ એ વ્યાકરણના સંસ્કૃત વિભાગ સાથે છે, જ્યારે “પ્રાકૃતપ્રબોધ પ્રાકૃતિનું નિરૂપણ કરતા એના આઠમા અધ્યાયને લગતે છે. પહેલાં આપણે “સ્વાદિશબ્દસમુચ્ચય' લઈએ. ચારિ એ હેમચન્દ્રના વ્યાકરણની પરિભાષાને શબ્દ છે ( કસિત્યાદિ..૧–૧–૧૭); પ્રથમા એકવચનને પ્રત્યય ત્યાં રસ છે (સરપાણિનિ ૪-૧-૨, નૌછાખ્યાંમત્ત.. ઇત્યાદિ; હેમચન્દ્ર નુ નું ઉન્ન કરે છે), અને એથી સ્થાત્રિનો અર્થ નથી શરૂ થતા વિભકિતપ્રત્ય એ છે. નામ, સર્વનામો અને અંકાનાં રૂપાખ્યાને ચાર અધ્યાયમાં એમાં ચર્ચા છે. એની રચના કારિકાઓમાં થઈ છે, અને ચાર અધ્યાયમાં અનુક્રમે ૨૬, ૨૩, ૨ અને ૩ કારિકાઓ છે.
૮. એ જ, પૃ. ૬૯. વળી જુએ પ્રેમી, ઉપર્યુક્ત, પૃ. ૧૫૦ થી આગળ. ૯. એ જ, પૃ. ૬૮
૧૦. અરાઢમી સદી સુધી રચાયેલા આ પ્રકારના ગ્રન્થની સૂચિ માટે જુઓ “પુરાતત્ત્વ” વૈમાસિક, પુ. ૪, પૃ. ૮૦ થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org