________________
પ્રકરણ ૧૫] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૩૫ ૨૭૩, પાણિનિના સમય પછી ભારતમાં સાહિત્યિક કે શાસ્ત્રીય અભ્યાસમાં વ્યાકરણને બહુ મહત્ત્વનું સ્થાન મળ્યું અને દરેક વિદ્યાર્થી માટે શબ્દશાસ્ત્રનું નિદાન સામાન્ય જ્ઞાન મેળવવાનું જરૂરી બન્યું; અને સમય જતાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં વિવિધ વ્યાકરણ–સંપ્રદાયોને ઉભવ થ. આ સંપ્રદાયોમાં સૌથી જૂને “કાતન્ને વ્યાકરણને સંપ્રદાય છે, જે કૌમાર અથવા કાલાપ તરીકે પણ ઓળખાય છે. આ સંપ્રદાયને કાશ્મીર અને બંગાળમાં ભારે પ્રભાવ હતો, અને હેમચન્દ્રનું વ્યાકરણ રચાયું ત્યાર પહેલાં ગુજરાતમાં પણ બધા વર્ગોમાં “કાત–' વ્યાકરણને અભ્યાસ થતું હતું. ચન્દ્રગેમીનું “ચાન્દ્રવ્યાકરણ (ઇ. સ. ૪૭૦ આસપાસ) કાશ્મીર, તિબેટ અને નેપાલમાં લોકપ્રિય હતું તથા સિલેન સુધી પહોંચ્યું હતું. “સારસ્વત વ્યાકરણુ’ના સંપ્રદાયને ઈ. સ. ૧૨૫૦ થી બહુ જૂના સમયમાં મૂકી શકાય એમ નથી.૪ આ સંપ્રદાયને પ્રભાવ ગુજરાત, રાજસ્થાન, બંગાળ અને દિલ્હી આસપાસના પ્રદેશમાં મોટે ભાગે હતા, અને ભટ્ટજી દીક્ષિત (ઈ. સ. ૧૬૩૦ આસપાસ) તથા તેમના શિષ્યોએ પાણિનિનું નવનિર્માણ કર્યું અને અન્ય વ્યાકરણ-સંપ્રદાયની અસર ઘટવા માંડી ત્યાં સુધી એ પ્રભાવ બરાબર ચાલુ રહ્યો હતો. બીજા વ્યાકરણ–સંપ્રદાયમાં કમદીશ્વરને જૈમાર સંપ્રદાય (ઇ. સ. ૧૧૫૭ પછી), જે એ સંપ્રદાયના સૌથી પ્રસિદ્ધ લેખક જૈમાનિંદીના નામથી ઓળખાય છે, તથા “મુગ્ધબેધન કર્તા બેપદેવને (ઈ. સ. ૧૩મી સદી) સંપ્રદાય નોંધપાત્ર છે.
૨૩૪, જૈનેના પોતાના વ્યાકરણ-સંપ્રદાય છે તથા જૈનેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રની પોતાની અલગ પરંપરા છે. “જનેન્દ્ર વ્યાકરણનું કર્તવ પરંપરાથી છેલ્લા તીર્થંકર મહાવીરસ્વામી ઉપર આરોપવામાં આવ્યું છે, પણ એ પૂજ્યપાદ દેવનંદીની કૃતિ છે અને એતિહાસિક પ્રમાણોને આધારે વિદ્વાનોએ એને ઈ. સ. ની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં મૂકી છે. પાણિનિનાં સૂત્રો તથા તે ઉપરના “વાર્તિકને આધારે તે રચાયેલી છે. જૈન શાકટાયને એ યાપનીય સંઘના હોઈ એ નામના પ્રાચીનતર વૈયાકરણથી ભિન્ન છે, અને
૩. બેઘેલકર, ઉપર્યુક્ત, પૃ. ૫૭ થી આગળ ૪. એ જ, પૃ. ૯૧ ૫. એ જ, પૃ. ૯૨ ૬. કથ, સંસ્કૃત લિટરેચર, પૃ. ૪૩૨
૭. બેઘેલકર, ઉપર્યુક્ત, પૃ. ૬૪. વળી જુઓ નાથુરામ પ્રેમી, “જેન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૯૪ થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org