________________
પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ રર૭ સભામાં કવિઓ અને પંડિતે પરસ્પરની કેવી રીતે સ્પર્ધા કરતા તેને ખ્યાલ આ ઉદાહરણે ઉપરથી આવે છે. આ સ્તબકનું નામ “વાદશિક્ષા” સૂચવે છે કે પ્રાચીન સાહિત્યમાં જેના અનેક કથારૂપ તથા ઐતિહાસિક વૃત્તાન્ત મળે છે એ વાદ વિશે તમામ પ્રકારની માહિતી આપવાનો એને ઉદ્દેશ છે. (૫) પાંચમા સ્તબકનું નામ વણ્યસ્થિતિ છે; કવિઓએ વર્ણન કરવા યોગ્ય વિષયેની એમાં યાદી આપેલી છે; જેમકેરાજા, મંત્રી, પુરોહિત, રાણીઓ, રાજકુમાર, સેનાપતિ, દેશ, ગ્રામ, નગર, સરોવર, સમુદ્ર, નદીઓ, ઉદ્યાને, વન, આશ્રમ, રાજકીય મંત્રણા, દૂત, યુદ્ધ, કૂચ, મૃગયા, અશ્વ, હસ્તી, સૂર્યોદય અને ચન્દ્રોદય, લગ્ન, વિરહ, પુષ્પાવચય, જલક્રીડા, સુરતક્રીડા, ઇત્યાદિ (કારિકા ૪૫). માત્ર આ યાદી આપીને સંતોષ નહિ પામતાં આ બધા વિષયે કેવી રીતે વર્ણવાય એનાં સૂચન પણ કર્તાએ આપ્યાં છે, કેમકે આ ગ્રન્થને સિદ્ધાન્ત કરતાં વ્યવહારમાં એના વિનિયોગ સાથે વધુ સંબંધ છે. મંત્રી વિશે કર્તાએ કહ્યું છે—
आन्वीक्षिकीत्रयीवार्तादण्डनीतिकृतश्रमः ।
મા વણિપુત્રી મદ્રાવિવૃદ્ધયે | (કારિકા ૫૫)
મધ્યકાલીન ગુજરાતમાં વણિકે મહત્ત્વના રાજકીય હોદ્દા ઉપર કામ કરતા તથા કર્તાને પિતાને આશ્રયદાતા વસ્તુપાળ વણિક હતા એ જોતાં અહીં મંત્રીને “વણિકપુત્ર તરીકે વર્ણવ્યો છે એ રસપ્રદ છે.
આ પછી સંસ્કૃત સાહિત્યમાં પળાતા કવિસમયની એક સૂચિ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કર્તાએ આપી છે.
૨૫. “કાવ્યકલ્પલતાને શબ્દસિદ્ધિ પ્રતાન ચાર સ્તબોમાં વહેંચાયેલ. છે: (૧) પહેલે સ્તબક રૂઢ, યૌગિક અને મિશ્ર શબ્દોની સમજૂતી આપે છે, તથા સાહિત્યમાં પ્રસિદ્ધ હોય એવા શબ્દો જ કવિતામાં પ્રયોજી શકાય એમ બતાવવા માટે પુષ્કળ ઉદાહરણ આપે છે. (૨) બીજે સ્તબક સામાન્ય રીતે કવિતામાં વવાતા પદાર્થો કે વ્યક્તિઓના-પછી તે સાચાં હોય કે કાલ્પનિક–યૌગિક પર્યાય આપે છે, અને વાચકને સૂચવે છે કે કાવ્યરચનામાં સંક્ષેપ કે વિસ્તાર કરવો હોય તે અનુસાર એમાંથી શબ્દો પસંદ કરવા (કારિકા ૭૦). (૩) અનુપ્રાસની યોજનામાં ઉપયોગી થાય એવા શબ્દોની એક લાંબી યાદી ત્રીજા સ્તબકમાં આપેલી છે. વળી અનુપ્રાસ અને યમકથી પૂર્ણ કવિતાની રચનામાં કામ આવે એ માટે બીજી એક સૂચિ પણ કર્તાએ આપી છે, અને તેમાં જેને અંતે “ક”થી “મ સુધીના વ્યંજન આવતા હોય એવા શબ્દોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org