SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧પ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે સમયદષ્ટિએ પહેલી છે, જ્યારે નરેન્દ્રપ્રભસૂરિકૃત અલંકારમહોદધિ અને અમરચન્દ્રસૂરિકૃત કાવ્યકલ્પલતા” એ બે “સંકેત'ની પછી રચાયેલ છે. આ ૨૫૨. માણિજ્યચન્દ્રકૃત “સંકેત એ “કાવ્યપ્રકાશ' ઉપરની માત્ર સૌથી પ્રાચીન જ નહિ પણ સૌથી પ્રમાણભૂત ટીકાઓ પૈકીની એક છે. પાટણના જૈન ભંડારમાં સચવાયેલા એક પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતની પુષ્પિકામાંના ઉલલેખ પ્રમાણે, એનું ગ્રન્થાગ્ર ૩૨૪૪ શ્લોકનું છે. આ ટીકાની વિવરણપદ્ધતિ નોંધપાત્ર છે. કઠિન અંશે ઉપર વિવરણને અભાવ અને જરૂર ન હોય ત્યાં નિરર્થક વિસ્તાર-ટીકાઓમાં વારંવાર નજરે પડતા આ દોષોથી સંકેત' સદંતર મુક્ત છે. માણિકયચન્દ્ર જેકે જૈન સાધુ છે, પણ બ્રાહ્મણ સાહિત્ય અને દર્શનશાસ્ત્રોમાં એમનું પાંડિત્ય મૂળ ગ્રન્થપાઠના એમણે કરેલાં વિવેચન ઉપરથી તથા ટાંકેલાં અવતરણો અને ઉલ્લેખો ઉપરથી સ્પષ્ટ રીતે જણાય છે. લેખક અલંકારશાસ્ત્રના વ્યુત્પન્ન વિદ્વાન છે, એટલું જ નહિ, પણ કવિતાના સૂક્ષ્મદષ્ટિવાળા ભાવક અને વિવેચક તથા પોતે પણ કવિ છે. કાવ્ય સમજવાની એમની મૌલિક શકિત મુવં વિનિતમિis (ર-૮) તથા પ્રસ્થાને વઢઃ કૃતં (૪-૪૬) એ બે કે ઉપરની અને ૨૯ (રૂારી દૌ મેવો ) અને ૩૦ (તિરથ રાષચ) એ બે કરિકાઓ ઉપરની ટીકામાં માલુમ પડે છે. પિતાનાં વિધાનના સ્પષ્ટીકરણ અર્થે માણિજ્યચન્ટે પોતાનાં કાવ્યોમાંથી સંખ્યાબંધ અવતરણે આપ્યાં છે.૧૫ આમ પાંડિત્ય, વિવેચનશક્તિ અને કવિતાની ઊંડી સમજ એ ત્રણ વિશિષ્ટ સાહિત્યિક ગુણો આ ટીકામાં એકસાથે જોવામાં આવે છે. ર૫૩. માણિકયચન્દ્રનું વિશિષ્ટ પાંડિત્ય અને વિશાળ વાચન તેમણે આપેલાં અવતરણે અને ઉલ્લેખની મોટી સંખ્યા ઉપરથી પણ જણાય છે. એ સમય પહેલાં વિકસેલા અલંકારશાસ્ત્રને વિશાળ સાહિત્યમાં તથા એકદરે સંસ્કૃત સાહિત્યમાં તેઓ પ્રવીણ છે. ભટ્ટ નાયક અને તેનું “હૃદયદર્પણ (૫, ૪, ૮), “કાવ્યકૌતુક” (પૃ. ૫), પાણિનિ (પૃ. ૧૪, ૨૯), ભદ કુમા ૧૫. માણિક્યચન્દ્ર સ્વરચિત પદ્યોનાં કુલ ૧૭ અવતરણ આપ્યાં છે. જુઓ પૃ. ૧૮૮, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૫, ૨૦૩, ૨૦૫, ૨૧૬, ૨૩૦, ૨૩૭, ૨૫૨, ૨૭૦. આ પદ્યોમાંનાં કેટલાંક (પૃ. ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૧૬) જિનેશ્વરનાં રતોત્રોમાંથી લેવાયાં જણાય છે, જે બતાવે છે કે માણિકયચઢે “સંકેત” અને બે મહાકાળે (જુઓ પૈરા ૧૮૨) ઉપરાંત કેટલાંક સ્તોત્રો પણ રચેલાં છે. - ૧૬. આ લુપ્ત ગ્રન્થને કર્તા ભટ્ટ તૌત હતો. ભારતના “નાટયશાસ્ત્ર' (અધ્યાય ૧) ઉપરની અભિનવગુપ્તની ટીકામાં એને નિર્દેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy