________________
પ્રકરણ ૮ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૭૯
विरचयति वस्तुपालश्चलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे वा ॥ २ વસ્તુપાળ અને તેજપાળના સાહચય વિશે એ કહે છે-तेजःपालः सकलप्रजोपजीवस्य वस्तुपालस्य । सविधे विभाति सफलः सरोवरस्येव सहकारः || વસ્તુપાળની કીર્તિ ઘેરેઘેર, નગરેનગર અને દિશાએ દિશામાં કેવી રીતે ફરી વળી એ કવિ વર્ણવે છે—
उदारः शूरो वा रुचिरवचनो वाऽस्ति न हि वा भवत्तुल्यः कोपि क्वचिदिति चुलुक्येन्द्रसचिव । समुद्भूतभ्रान्तिर्नियतमवगन्तुं तव यशस्ततिर्गेहे गेहे पुरि पुरि च याता दिशि दिशि ॥४ સામેશ્વકૃત ‘વૈદ્યનાથપ્રશસ્તિ ’
૨૧૨. ધાળકાના રાણા વીરધવલે બંધાવેલા વીરનારાયણુપ્રસાદની સામેશ્વરકૃત પ્રશસ્તિ જે નાશ પામી ગયેલી છે ( પૅરા ૭૩ ) તેને વિચાર ન કરીએ તાપણુ ઐતિહાસિક મહત્ત્વની એવી તેની ખીજી એક પ્રશસ્તિ મળે છે, અને તે ડભાઈની ‘વૈદ્યનાથપ્રશસ્તિ. ' રાજા વીસલદેવ ડભાઈમાં વૈદ્યનાથ મહાદેવનું મન્દિર સમરાવ્યું એના સ્મારકરૂપે એ રચાયેલી છે. આ પ્રશસ્તિ ૧૧૬ શ્લાકનું લાંબું કાવ્ય છે અને તેમાં સં. ૧૩૧૧ (ઇ.સ. ૧૨૫૫)ની સાલ છે, જે સમયે વસ્તુપાળ અને તેજપાળ બન્નેય કેટલાંક વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. જે બે શિલા ઉપર આ પ્રશસ્તિ કાતરવામાં આવી છે તે ખૂબ જ ખવાઈ ગઈ છે. એક શિલા ઉપરનું લખાણ તે સાવ વિશીષ્ણુ થઈ ગયું છે, અને ખીજી શિલા ઉપરની એક પણ પ`ક્તિ અખંડ નથી, પરિણામે પ્રશસ્તિના બહુ ઘેાડા બ્લાક અખંડિત સ્વરૂપમાં મળે છે. તેપણુ આપણે જોઈ શકીએ છીએ કે ૬ ટ્ટો ક્ષેાક કીર્તિકૌમુદી ' –ર થી અને ૧૪ મા ક્લાક ‘ કીર્તિકૌમુદી ’ ૨૯૯ થી અભિન્ન છે. ૨૫ મા શ્લોકના જે ભાગ વંચાય છે તે ‘આબુપ્રશસ્તિ'ના ૨૭ મા શ્લાક સાથે સંપૂર્ણ શાબ્દિક સામ્ય ધરાવે છે. પ્રશસ્તિના જે અવશેષ બચ્યા છે તે ઉપરથી કહી શકાય કે એના માટેા ભાગ ગુજરાતના રાજાએ વાધેલા રાણા—ખાસકરીને વીસલદેવનાં પરાક્રમે ના વર્ણનથી રાકાયેલા
C
૨. ‘આબુપ્રશસ્તિ” શ્લોક ૧૪
૩. એ જ, શ્લાક ૬૫
૪. સામેશ્વરને ખીજે ગિરનાર લેખ, શ્લોક ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org