________________
પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૪૭ સાથે સરખાવી શકાય એવાં છે. પોતાની ફરિયાદ રજૂ કરવા માટે દેવ આવે છે એ પ્રસંગે બ્રહ્મદેવનું વર્ણન (૩), અને શબ્દાલંકારોથી ભરેલું હિમાલયની ભવ્યતાનું વર્ણન (૪)–જેમાં કવિને “કુમારસંભવ ” ને પ્રથમ સર્ગમાંથી કંઈક પ્રેરણા મળી હાય-આના ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય. પઋતુવર્ણન (૪) અને યુદ્ધવર્ણન (૧૦) પણ નોંધપાત્ર છે.
૧૭૪, “સુરત્સવ માંથી સેમેશ્વરની કવિતાકલાનાં કેટલાંક ઉદાહરણ અહીં ટાંકીએ. મંત્રીઓની દગાબાજીથી રાજ્યભ્રષ્ટ થયેલે સુરથ વનમાં પ્રવેશે છે એ વર્ણવતાં કવિ એક સુન્દર નિકાવ્ય આપે છે– विशन् वनादेव वनान्तराणि सान्द्रमश्रेणिनिरन्तराणि । भाति स्म भिन्नाञ्जनसंनिभानि धनादिवेन्दुर्घनमण्डलानि ॥
(૨-૧૮ ) જો કે અહીં કવિ ભારવિ અને માધની રચનાઓના કઠિન નમૂનાઓને સામાન્ય રીતે અનુસરે છે, તો પણ કેટલેક સ્થળે અત્યંત સરલ પ્રાસાદિક શૈલીમાં રચાયેલી કવિતા મળે છે, જેમકે પઋતુવર્ણનમાં વસંત– कटाक्षिता कैरपि चुम्बिता परैः कृतोपभोगा मधुपैश्च कैश्चन । मधु क्षरन्ती विरराज माधवी नवीनरूपा गणिकेव कामिभिः ॥
(૫–૧૦ ) શરદजलं प्रसन्न जलदा निवर्तिताः प्रवर्तिताश्चाध्वनि साधुसिन्धवः । गदाधरः स्वापपरः प्रबोधितः शरद्दिननिर्मलतोचितं कृतम् ॥
(૫-૩૯) વસન્તને પ્રારંભ–
लभन्ते सौभाग्यं किमपि हरिणाङ्कस्य किरणाः पिकाः शब्दायन्ते स्वगतममृतस्यन्दि च वचः । चलत्यद्य श्वो वा पवनपृतना चन्दनगिरेવર્ષ મ0 રતિ ર સુમાનિ નનમ્ II (૫–૫૬)૨૧
સંસ્કૃત સાહિત્યમાં કાચની બંગડીને ઉલ્લેખ નથી એમ સામાન્ય રીતે માનવામાં આવે છે, પણ “સુરત્સવ” ૬-૧૦૫ માં કાચની બંગડીઓને સ્પષ્ટ ઉલ્લેખ છે એ નોંધપાત્ર છે –
૨૧. આ શ્લેક ઉરા ૨-૩૬ માં પણ છે.
૨૨. “સંસ્કૃત સાહિત્યમાં કાચની બંગડીને કોઈ ઉલ્લેખ મેં જો નથી, પણ એને વપરાશ ૮ મા-૯મા સૈકાના અરસામાં શરૂ થયે હશે એમ હું ધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org