________________
૧૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
૧૭૧. “મુનિના મુખેથી ભવાનીનાં આ પરાક્રમો સાંભળીને સુરથ કઠિન તપશ્ચર્યા દ્વારા ભવાનીને પ્રસન્ન કરવાને નિશ્ચય કરે છે. આ તપશ્ચર્યાએનું વર્ણન બારમા સર્ણમાં છે. તેરમા સર્ગમાં સુરથની દઢતાની પરીક્ષા કરવા માટે પાર્વતી એક સુન્દરીને મોકલે છે, પરતું એના આકર્ષણથી પણ સુરથ તપમાંથી ચલિત થતો નથી. ચૌદમા સર્ગમાં ભવાની સુરથ ઉપર પ્રસન્ન થઈ તેની આગળ પ્રત્યક્ષ થાય છે, તથા એક હજાર વર્ષ સુધી ચક્રવર્તીપદની પ્રાપ્તિનું તથા અત્યાર સાતમે મનું પૂરો થાય પછી, આવતા જન્મમાં આઠમે મન થવાનું એને વરદાન આપે છે. બીજી બાજુ સુરથ રાજાને જે વફાદાર મંત્રી હતા તેમણે કપટીઓને નાશ કર્યો તથા સુરથની શોધ માટે ચારે દિશામાં માણસે મેકલ્યા. સુરથ જે વનમાં તપ કરતો હતો ત્યાં એમને એક આવી પહોંચ્યો, અને તેને વિશે એણે પેલા વફાદાર મંત્રીઓને સમાચાર આપ્યા. તેઓ ઘણું માણસ સાથે ત્યાં આવી પહોંચ્યા અને સુરથને રાજધાનીમાં લઈ ગયા, જ્યાં ઉમાના વરદાન અનુસાર તેણે ઘણા સમય સુધી ચક્રવર્તીપદ ભોગવ્યું. ૨૦ પંદરમા સર્ગમાં સેમેશ્વર પિતાને કુલવૃત્તાનત આપે છે. અને છેવટે વસ્તુપાળની સ્તુતિના કેટલાક લે કે આપે છે. પાંચમા પ્રકરણમાં (પરા ૬૯-૭૧) આ છેલ્લા સર્ગને સાર મેં આપે છે.
૧૭૨, સોમેશ્વરકૃત “કીર્તિકૌમુદી' વૈદર્ભી રીતિમાં લખાયું છે તે એના “સુર ”માં ગૌડી રીતિમાં કાવ્ય રચવાનો પ્રયત્ન છે; અહીં એના ચિત્ત સમક્ષ કાલિદાસનો નહિ પણ “ કિરાતાજનીય ” અને “શિશુપાલવધ’ને નમૂનો હોય એમ જણાય છે. જો કે સંસ્કૃત કવિતાના આ બે દુર્ગમગૌરવ ગ્રન્થના મુકાબલે “સુરત્સવ”ની ભાષા સરલ છે, તે પણ એમાં પુષ્કળ લે, વિરલ અને અસાધારણ શબ્દોના પ્રયોગો તથા શબ્દાલંકાર છે. ભવાની અને દૈત્યનું યુદ્ધ વર્ણવતા દસમે સગ બધા પ્રકારનાં ચિત્રકાથી ભરેલું છે; “ કિરાતાજુનીય ” નો પંદરમા સર્ગમાં અને
શિશુપાલવધ ” ના ઓગણીસમી સર્ગમાં યુદ્ધવર્ણનની સાથોસાથ ચિત્રકાવ્ય છે. મહાકાવ્યોના લેખકોમાં વિવિધ પ્રકારનાં ચિત્રકાવ્યો દ્વારા યુદ્ધવર્ણન કરવાની એક પરંપરા હતી એમ જણાય છે; જે કે યુદ્ધની ગતિ અને વેગને નિરૂપણમાં ખરું જોતાં, આ ચિત્રકા વિદ્યરૂપ થાય છે.
૧૩૩. “કીર્તિકૌમુદી ના કર્તાનું કવિત્વ આ કાવ્યમાં પણ જણાય છે. આમાં સેમેશ્વરે કરેલાં કેટલાંક વર્ણને “કીર્તિકૌમુદી નાં ઉત્તમ વર્ણને
૨૦. ભાંડારકર, રિપૅર્ટ ૪, પૃ. ૧૯-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org