________________
પ્રકરણ ૫]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ
પાહુણપુત્ર, ચાચરિયાક અને અન્ય કવિ હિતા ૧૩૩, જયપાલે આબુ ઉપર ઈ. સ. ૧૨૭૧ માં મન્દિરા બધાવ્યાં એ ઘટના વર્ણવતા અપભ્રંશ ‘ આખુરાસ ’ઈ. સ. ૧૨૩૩ (સ. ૧૨૮૯)માં રચનાર, પેાતાને પાલ્હણપુત્ર તરીકે ઓળખાવતા એક કવિ થઈ ગયા. દેખીતી રીતે જ વસ્તુપાળના સપર્કમાં આવેલા કવિએમાંના એ એક હાવા જોઇએ. ચાચરિયાક નામે એક વિદ્વાન વસ્તુપાળના સમયમાં દૂર દેશથી Àાળકા આવ્યા હતા; એની વાણી સાંભળવા માટે ઉદ્દયપ્રભસૂરિ પણ વેશપલટા કરીને જતા હતા. વસ્તુપાળ બે હજાર ૬શ્મ પ્રીતિદાન આપીને એના જાહેરમાં સત્કાર કર્યો હતા.૧૯૧ આમાં ચાચરિયાક નામને હું વિશેષ નામ નહિ, પણ સામાન્ય નામ સમજું છું. સં. ચત્વર > પ્રા. ચચ્ચર > ગુજ. ચાચર–ચાગાનમાં કથા કરે તે, વ્યાસ, એવા એના અર્થ થઈ શક. આ ચારિયાકને હરદેવ નામે શિષ્ય હતા એને પણ ‘ ચાચરયાક ’ કહેવામાં આવ્યા છે, એથી એ શબ્દના ઉપર મેં સૂચવેલા અને પુષ્ટિ મળે છે. આ હરદેવે રામાયણની કથાનું ગાન કરીને આશાપલ્લીના લેાંકાને મુગ્ધ કરી દીધા હતા.૧૯૨ પિપ્પલાચાર્ય નામના એ વક્તાઓ-કથાકારેાએ તેજપાળ અને અનુપમા આગળ મહાસતી ચન્દ્રનબાલાના ચિરત્રનું ગાન કરી, એમને પ્રસન્ન કરીને ચાવીસ હુન્નર દ્રમ્મ મેળવ્યા આ ઉપરાંત બીજા અનેક કવિએ અને ભાટચારણાનાં નામ આપણુતે મળે છે—વામનસ્થલીના યશોધર,૧૯૪ માધવ,૧૯૫ કૃષ્ણનગરના કમલાદિત્ય,૧૯૬ શંકરસ્વામી,૧૯૭ દામાદર,૧૯૮ વિકલ,૧૯૯ પ્રભાસપાટણને વૈરિસિંહ,૨૦ ૨૦૦ જયંતસિહુ અથવા જયદેવ,૨૦૧ ઇત્યાદિ. આ બધા વિવિધ પ્રકારે વસ્તુપાળના સંપર્કમાં આવેલા હતા અને યાત્રા, વિજય, કવિસભા અથવા સત્કારસમારંભ જેવા વિવિધ પ્રસંગેાએ એમણે કહેલાં કાવ્યા કે શ્લોકે
૧૯૩
હતા.
૧૯૧. પુપ્રસ', પૃ. ૭૬
૧૯૨. એ જ, પૃ. ૭૮
૧૯૬, એ જ, પૃ. ૭૫ ૧૯૪. એ જ, પૃ. ૬૨ ૧૯૫. એ જ. પૃ. ૬૨
૧૯૬. મકા, પૃ. ૧૨૦
૧૯૭, ૧૨ ૪-૭૩૬, ૭૩૭ ૧૯૮. એ જ, ૬-૮૧
૧૯૯. એ જ, ૬-૩૬૪
૨૦૦, એ જ, ૮-૩૪૪
૨૦૧, પ્રચિ, પૃ. ૧૦૬; ઉત, રૃ, ૭૬
Jain Education International
[ ૧૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org