SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ તીવ્ર અસાતા ઉદયમા પરમ અદ્દભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા ૭૩૯ તિશયથી પૂરપાટ દેડયે જતા હતા. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. – પાયે એકવવેદ્ય અવશેષ ઉદયમાન કર્મરૂપ આ સહરાનું રણ વચ્ચે આડું આવ્યું. સમયે સમયે જેને માત્ર એક મોક્ષની જ તમન્ના છે, એની પ્રાપ્તિમાં એક સમયને વિલંબ પણ સહી શકાય એમ નથી, એવા આ પુરુષને માત્ર એક ભવ પણ સહરાના રણ જે આકર લાગે છે. પ્રવાસી ગમે તેટલા વેગે દોડતે હોય પણ વચ્ચે રણ આવી પડે તે તેની ગતિ મંદ પડી જાય છે (Slows down), તેમ મોક્ષના આ મહાન પ્રવાસીને–તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે'એમ એક ભવથી વધારે ભવ તે હવે થશે જ નહિં એ પોતાના એકાવતારીપણાને પૂર્વે આત્મપ્રતિભાસ થયો છે તે પ્રમાણે આ ઉદયમાન કર્મ અવશેષ-બાકી રહેવારૂપ સહરાના રણનું વિન વચ્ચે આવી પડયું. (આ એકાવતારીપણું પણ કાંઈ નાનીસૂની–સાધારણ વાત નથી, પણ ઘણી ઘણી મોટી અસાધારણમાં અસાધારણ વાત છે.) છતાં ઘણી ત્વરાથી ગમન કરવા ઈચ્છતો આ પરમ આત્મપુરુષાથી પુરુષ શું કરી રહ્યો હતો અને કરી રહ્યો છે? ત્વરાથી કિનારે પહોંચવા ઈચ્છતો પ્રવાસી જેમ પ્રવાસ ચાલુ જ રાખી ઈષ્ટ કિનારા પ્રત્યે દષ્ટિ ઠેરવી આગળ ચાલ્યો જ જાય છે અને ઝડપ વધારવા પિતાના માથે રહેલે બે એ કરતો—ઉતારતે જાય છે, તેમ ત્વરાથી આ ભવમાર્ગને પ્રવાસ પૂરે કરવા ઈચ્છો આ ઉગ્ર આત્મપુરુષાર્થમાં લાગી ગયેલે મોક્ષને મહાન પ્રવાસી ઈષ્ટ મેક્ષપત્તન પ્રત્યે દષ્ટિ ઠેરવી આગળ ચાલ્યા જ જાય છે, અને ગતિ ત્વરિત કરવાઝડપ વધારવા પૂર્વની જેમ પોતાના–આત્માના માથે રહેલે કર્મને બે ઓર ઓછો કરતે કરત–ઉતારતે ઉતારતે આગળ ધપે જ જાય છે. “માથે ઘણે બો રહ્યો હતે, તે આત્મવી કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.” “અવશ્ય કમને ભેગ છે, ભગવ - અવશેષ રે.” એ બાકી રહેલ અવશ્ય વેદવા ગ્ય વેદનીય કર્મને ઘણે બે માથે રહ્યો હતો. તે કર્મના બેજાને ઉતારનારા સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન કરતા પરમ આત્મસંયમી પરમ તપમૂર્તિ શ્રીમદ્દ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ નિરા કરી તે કર્મના બોજાને પૂર્વે અને હમણાં ઉતારતા જતા હતા; અસીમ આત્મપુરુષાર્થથી અનંત આત્મવીયે કરી જેમ અલ્પ કાળમાં–થોડા વખતમાં વેદી લેવાય તેમ પ્રઘટના—પ્રકૃણ ઘટના-પ્રકૃષ્ટ પ્રબંધ કરી રહ્યા હતા. ત્યાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. પ્રવાસી ગમે તેટલે ઉત્સાહી ને સંવેગી હોય અને ગમે તેટલી ત્વરાથી પ્રવાસ પૂરો કરવા ઈચ્છતા હોય, પણ થાકી ગયેલા પગ જ ને આગળ ચાલવાની ના પાડે તો શું થાય ? પરમ સંવેગી પરમ ઉત્સાહી પરમ આત્મવીર્યવાન પરમ આત્મપરાક્રમી શ્રીમદ્ પરમ આત્મપુરુષાર્થથી ભવમાગને પ્રવાસ ઘણી ત્વરાથી પૂરો કરવા ઈચ્છે છે અને આ એક ભવને હિસાબ પણ ચૂકતે પતાવી દેવા માગે છે, અને સમયે સમયે વર્ધમાન અનંતા સંયમપરિણામથી અનંત નિજર કરી કર્મનું દેવું પતાવતા જાય છે-કમને બે માથા પરથી ઉતારતા જાય છે, પણ આયુષ્ય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy